રાજકોટ. શહેરની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ફિ ભરવા બાબતે વાલીઓ ઉપર દબાણ કરવામાં આવતું હોવા અંગે આજરોજ આમ આદમી પાર્ટીએ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી. જોકે ત્યાંથી પણ ત્વરિત ઉકેલની ખાતરી ન મળતા 'આપ' અગ્રણીઓએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. જેને પગલે પોલીસ દ્વારા 10 જેટલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ પોદાર સ્કૂલ દ્વારા ફી નાં ઉઘરાણા કરાતા હોવાની ઓડિયોક્લિપો વાયરલ થયા બાદ ગઈકાલે આપ દ્વારા સંચાલકોને જ રજૂઆત કરવામાં આવી હતી. જો કે ત્યાંથી કોઈપણ યોગ્ય પ્રત્યુત્તર ન મળતા આજરોજ સ્કૂલ સામે કડક કાર્યવાહીની રજુઆત જિલ્લા શિક્ષણાધીકારીને કરાઈ હતી. પરંતુ ત્યાંથી પણ ત્વરિત કાર્યવાહી અંગેની કોઈ ખાતરી ન મળતા આમ આદમી પાર્ટીનાં કાર્યકરોએ 'હાય રે શિક્ષણાધિકારી હાય હાય'નાં સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. જેને પગલે પોલીસે ઉગ્ર સુત્રોચ્ચાર કરતા 10 જેટલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી છે.
આ તકે આમ આદમી પાર્ટી દ્વારા જણાવાયું હતું કે, અમારી રજૂઆત બાદ વાલીઓનાં ત્વરિત કાર્યવાહી કરવાને બદલે 'શિક્ષણાધિકારી ટાઈમ આવશે ત્યારે પગલાં લેવાશે' નો જવાબ આપવામાં આવ્યો હતો. તેમજ સ્કૂલને નોટિસ આપવાની વિનંતી કરવા છતાં તેમના દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી અને સ્કૂલ વચ્ચે કોઈ સાંઠગાંઠ હોય તેવું લાગી રહ્યું છે.
રાજકોટ. શહેરની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ફિ ભરવા બાબતે વાલીઓ ઉપર દબાણ કરવામાં આવતું હોવા અંગે આજરોજ આમ આદમી પાર્ટીએ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી. જોકે ત્યાંથી પણ ત્વરિત ઉકેલની ખાતરી ન મળતા 'આપ' અગ્રણીઓએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. જેને પગલે પોલીસ દ્વારા 10 જેટલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ પોદાર સ્કૂલ દ્વારા ફી નાં ઉઘરાણા કરાતા હોવાની ઓડિયોક્લિપો વાયરલ થયા બાદ ગઈકાલે આપ દ્વારા સંચાલકોને જ રજૂઆત કરવામાં આવી હતી. જો કે ત્યાંથી કોઈપણ યોગ્ય પ્રત્યુત્તર ન મળતા આજરોજ સ્કૂલ સામે કડક કાર્યવાહીની રજુઆત જિલ્લા શિક્ષણાધીકારીને કરાઈ હતી. પરંતુ ત્યાંથી પણ ત્વરિત કાર્યવાહી અંગેની કોઈ ખાતરી ન મળતા આમ આદમી પાર્ટીનાં કાર્યકરોએ 'હાય રે શિક્ષણાધિકારી હાય હાય'નાં સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. જેને પગલે પોલીસે ઉગ્ર સુત્રોચ્ચાર કરતા 10 જેટલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી છે.
આ તકે આમ આદમી પાર્ટી દ્વારા જણાવાયું હતું કે, અમારી રજૂઆત બાદ વાલીઓનાં ત્વરિત કાર્યવાહી કરવાને બદલે 'શિક્ષણાધિકારી ટાઈમ આવશે ત્યારે પગલાં લેવાશે' નો જવાબ આપવામાં આવ્યો હતો. તેમજ સ્કૂલને નોટિસ આપવાની વિનંતી કરવા છતાં તેમના દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી અને સ્કૂલ વચ્ચે કોઈ સાંઠગાંઠ હોય તેવું લાગી રહ્યું છે.