અર્જુન પાર્કના પ્લોટ હોલ્ડરોની અંદાજીત 15 કરોડની જમીન ઉપર ભૂપત ગેંગે કબજો જમાવી પ્લોટધારકોને જમીન ભૂલી જવા ધમકી આપી
જામીન મુક્ત થયેલા ભૂપત ભરવાડને ક્રાઇમ બ્રાંચે જેલની નજીકથી જ ફરી અટકાયતમાં લઇ લીધો
રાજકોટ. ભુમાફિયા ભુપત સામે 15 કરોડની જમીન પચાવી પાડ્યાની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં મોરબી રોડ સર્વે નંબર 50 પૈકીની જમીન પર સૂચિત સોસાયટી અર્જુન પાર્કના પ્લોટ હોલ્ડરોની અંદાજીત 15 કરોડની જમીન ઉપર ભૂપત ગેંગે કબજો જમાવી પ્લોટધારકોને જમીન ભૂલી જવા ધમકી અપાતી હતી. અગાઉના ગુનામાં જેલમાંથી ગઇકાલે જામીન મુક્ત થયેલા ભૂપત ભરવાડને ક્રાઇમ બ્રાંચે જેલની નજીકથી જ ફરી અટકાયતમાં લઇ લીધો હતો. અને આજે તેના રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરાશે.
જમીન કૌભાંડમાં જેલવાસ ભોગવી રહેલા ભૂપત અને તેના ભાગીદાર સામે કોઠારીયા રોડ પર ભારતીનગરમાં રહેતા જમીન મકાનના ધંધાર્થી વિનોદભાઇ પીપળીયા દ્વારા ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના પિતાએ મોરબી રોડ પર સર્વે નંબર 50 પૈકીની 1,2,3 અને 4ની કુલ 18009 ચોરસમીટર જમીન અરજણભાઇ બાસીડા અને વજુભાઇ બાસીડાના નામે વર્ષ 1996માં ખરીદી હતી. જે પૈકી 9836 ચો.મી. જમીન વર્ષ 2008માં બીનખેતી થઇ હતી. એ જમીન ઉપર પ્રયોજક તરીકે યુનુસભાઇ જુણેજાએ અર્જુન પાર્ક નામની સૂચિત સોસાયટી ઉભી કરી પ્લોટનું વેચાણ કર્યું હતું. જેમાં 100થી વધુ લોકોએ પ્લોટ ખરીદ કર્યા હતા. અને પ્લોટ ધારકોને શેર સર્ટિફિકેટ સાથેની ફાઇલ આપવામાં આવી હતી.
અંદાજીત 15 કરોડની આ જમીન ઉપર ભૂપત ભરવાડ અને તેના ભાગીદારોની દાનત બગડતા 2019માં ભૂપત ગેંગે 17 પ્લોટ ફરતે કમ્પાઉન્ડ વોલ ઉભી કરી લીધો છે. પ્લોટ ધારકોએ ભેગા થઇ જતાં ભૂપતે પોતાની ઓળખ આપીને હવે આ જમીન સરકારે તેને ફાળવી દીધી છે, પ્લોટ ભૂલી જજો અને અહિં પગ મૂકશો તો જીવતા નહીં જવા દઇએ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ પ્લોટ ધારકો ભૂપતની ઓફિસે ફાઇલો લઇને મળવા ગયા ત્યારે ભૂપત અને તેના ભાગીદારે થોડી ઘણી રકમ આપીને નિકળી જવા કહ્યું હતું. પરંતુ પ્લોટ ધારકોએ પૈસા નથી જોઇતા, પ્લોટ જ રાખવા છે તેમ કહેતા તમામને ગાળો ભાંડીને ખૂનની ધમકી આપી કાઢી મૂક્યા હતા.
જોકે ભૂપતની ઓફિસે ચોક્કસ પોલીસ અધિકારીઓ, રાજકીય આકાઓની બેઠક હોવાથી કોઇએ ફરિયાદ કરવાની હિંમત કરી ન હતી. હવે પોલીસે ભૂપત સામે કાનૂની કાર્યવાહી શરૂ કરતા પોલીસ સમક્ષ ફરિયાદ કરવાની હિંમત કરી હતી. જેને પગલે ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવીએ ભૂપત અને તેના ભાગીદાર સામે આઇપીસીની કલમ 386, 447,504 અને 506(2) મુજબ ગુનો દાખલ કર્યો છે. અને ભુપતને જામીન મુક્ત થતાની સાથે જ ઉઠાવી લઈ તેના ફરાર ભાગીદારની શોધખોળ શરૂ કરી છે.
અર્જુન પાર્કના પ્લોટ હોલ્ડરોની અંદાજીત 15 કરોડની જમીન ઉપર ભૂપત ગેંગે કબજો જમાવી પ્લોટધારકોને જમીન ભૂલી જવા ધમકી આપી
રાજકોટ. ભુમાફિયા ભુપત સામે 15 કરોડની જમીન પચાવી પાડ્યાની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં મોરબી રોડ સર્વે નંબર 50 પૈકીની જમીન પર સૂચિત સોસાયટી અર્જુન પાર્કના પ્લોટ હોલ્ડરોની અંદાજીત 15 કરોડની જમીન ઉપર ભૂપત ગેંગે કબજો જમાવી પ્લોટધારકોને જમીન ભૂલી જવા ધમકી અપાતી હતી. અગાઉના ગુનામાં જેલમાંથી ગઇકાલે જામીન મુક્ત થયેલા ભૂપત ભરવાડને ક્રાઇમ બ્રાંચે જેલની નજીકથી જ ફરી અટકાયતમાં લઇ લીધો હતો. અને આજે તેના રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરાશે.
જમીન કૌભાંડમાં જેલવાસ ભોગવી રહેલા ભૂપત અને તેના ભાગીદાર સામે કોઠારીયા રોડ પર ભારતીનગરમાં રહેતા જમીન મકાનના ધંધાર્થી વિનોદભાઇ પીપળીયા દ્વારા ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના પિતાએ મોરબી રોડ પર સર્વે નંબર 50 પૈકીની 1,2,3 અને 4ની કુલ 18009 ચોરસમીટર જમીન અરજણભાઇ બાસીડા અને વજુભાઇ બાસીડાના નામે વર્ષ 1996માં ખરીદી હતી. જે પૈકી 9836 ચો.મી. જમીન વર્ષ 2008માં બીનખેતી થઇ હતી. એ જમીન ઉપર પ્રયોજક તરીકે યુનુસભાઇ જુણેજાએ અર્જુન પાર્ક નામની સૂચિત સોસાયટી ઉભી કરી પ્લોટનું વેચાણ કર્યું હતું. જેમાં 100થી વધુ લોકોએ પ્લોટ ખરીદ કર્યા હતા. અને પ્લોટ ધારકોને શેર સર્ટિફિકેટ સાથેની ફાઇલ આપવામાં આવી હતી.
અંદાજીત 15 કરોડની આ જમીન ઉપર ભૂપત ભરવાડ અને તેના ભાગીદારોની દાનત બગડતા 2019માં ભૂપત ગેંગે 17 પ્લોટ ફરતે કમ્પાઉન્ડ વોલ ઉભી કરી લીધો છે. પ્લોટ ધારકોએ ભેગા થઇ જતાં ભૂપતે પોતાની ઓળખ આપીને હવે આ જમીન સરકારે તેને ફાળવી દીધી છે, પ્લોટ ભૂલી જજો અને અહિં પગ મૂકશો તો જીવતા નહીં જવા દઇએ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ પ્લોટ ધારકો ભૂપતની ઓફિસે ફાઇલો લઇને મળવા ગયા ત્યારે ભૂપત અને તેના ભાગીદારે થોડી ઘણી રકમ આપીને નિકળી જવા કહ્યું હતું. પરંતુ પ્લોટ ધારકોએ પૈસા નથી જોઇતા, પ્લોટ જ રાખવા છે તેમ કહેતા તમામને ગાળો ભાંડીને ખૂનની ધમકી આપી કાઢી મૂક્યા હતા.
જોકે ભૂપતની ઓફિસે ચોક્કસ પોલીસ અધિકારીઓ, રાજકીય આકાઓની બેઠક હોવાથી કોઇએ ફરિયાદ કરવાની હિંમત કરી ન હતી. હવે પોલીસે ભૂપત સામે કાનૂની કાર્યવાહી શરૂ કરતા પોલીસ સમક્ષ ફરિયાદ કરવાની હિંમત કરી હતી. જેને પગલે ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવીએ ભૂપત અને તેના ભાગીદાર સામે આઇપીસીની કલમ 386, 447,504 અને 506(2) મુજબ ગુનો દાખલ કર્યો છે. અને ભુપતને જામીન મુક્ત થતાની સાથે જ ઉઠાવી લઈ તેના ફરાર ભાગીદારની શોધખોળ શરૂ કરી છે.