ઓસ્ટ્રેલિયા ખાતે કપરા સંજોગામાં ભારતે મેળવેલી જીત ખરેખર ઐતિહાસિક
ભારતીય ટીમના યુવા ખેલાડીઓએ પોતાની લડવાની કેપેસિટી સાબિત કરી
આવનારા સમયમાં વધુને વધુ સારા ખેલાડીઓ દેશને મળશે
WatchGujarat. ગાબા ખાતે ભારત તેમજ ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની ફાઇનલ મેચમાં ભારતની ઐતિહાસિક જીત થઈ છે. જેમાં રાજકોટનાં ચેતેશ્વર પુજારા દ્વારા મહત્વનો ભાગ ભજવવામાં આવ્યો હતો. ત્યારે પુત્રની આ સિદ્ધિ અંગે પિતા અરવિંદભાઈ પુજારાએ મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ચેતેશ્વરની આ શાનદાર ઈનિંગ આજીવન યાદ રહી જશે. દેશની જીતમાં પુત્રએ મહત્વનો ફાળો ભજવવા બદલ તેમણે ખુશી પણ વ્યક્ત કરી છે.#Rajkot
અરવિંદભાઈ પુજારાનાં જણાવ્યા મુજબ, ઓસ્ટ્રેલિયા ખાતે કપરા સંજોગામાં ભારતે મેળવેલી જીત ખરેખર ઐતિહાસિક છે. તેમાં પણ ચેતેશ્વરે જરૂરિયાત મુજબ બેટિંગ કરી ભારતને જીત અપાવી તે મારા માટે ગર્વની વાત છે. આ ક્ષણ અમારા માટે તો ખૂબ જ આનંદની હતી. સાથે જ તેની આ શાનદાર ઈનિંગને લોકો પણ આજીવન યાદ રાખશે. આ તકે ભારતીય ટીમના યુવા ખેલાડીઓએ પોતાની લડવાની કેપેસિટી સાબિત કરી બતાવી હોવાનું પણ તેમણે કહ્યું હતું. #Rajkot
વધુમાં તેમણે કહ્યું હતું કે,આ સિરીઝમાં ઓસ્ટ્રેલિયન ટીમના બોલરે ફેંકેલા કુલ બોલના 25-27 ટકા બોલ ચેતેશ્વરે એકલાએ ફેઇસ કર્યા છે. જે આપણા દેશની માટે ગૌરવની વાત છે. આ ટેસ્ટ સિરીઝ જીતવાની સાથે ભારતે ગાબા સ્ટેડિયમનો 32 વર્ષનો રેકોર્ડ તોડી એક નવો ઇતિહાસ લખ્યો છે. જે માત્ર ભારત જ નહીં પણ ઓસ્ટ્રેલિયા સહિત દુનિયાનાં લોકો હંમેશા યાદ રાખશે. આ મેચ દરમિયાન ચેતેશ્વરને ટીવીમાં રમતો જોઈ તેની નાની પુત્રી પણ નાચવા લાગી હોવાનું તેમણે જણાવ્યું હતું.#Rajkotઅગાઉનાં ક્રિકેટની ખામીઓ વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, ભૂતકાળમાં ખેલાડીઓને ખાસ વળતર મળતું ન હોવાથી પાર્ટ ટાઈમ ક્રિકેટ કહેવાતું હતું. અને ખેલાડીઓને ગુજરાન ચલાવવા માટે પાર્ટ ટાઇમ નોકરી કરવી પડતી હતી. જ્યારે અત્યારે તો કોઈપણ ખેલાડી માત્ર રણજી ટ્રોફી કે IPL રમે તો પણ આર્થિક ટેન્શન રહેતું નથી. આ પરિવર્તનને કારણે આવનારા સમયમાં વધુને વધુ સારા ખેલાડીઓ દેશને મળવાની આશા પણ તેમણે વ્યક્ત કરી છે.
More #Indian #team #cricketer #cheteshwar #pujara #father #shared #happiness #Rajkotnews
ઓસ્ટ્રેલિયા ખાતે કપરા સંજોગામાં ભારતે મેળવેલી જીત ખરેખર ઐતિહાસિક
ભારતીય ટીમના યુવા ખેલાડીઓએ પોતાની લડવાની કેપેસિટી સાબિત કરી
આવનારા સમયમાં વધુને વધુ સારા ખેલાડીઓ દેશને મળશે
WatchGujarat. ગાબા ખાતે ભારત તેમજ ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની ફાઇનલ મેચમાં ભારતની ઐતિહાસિક જીત થઈ છે. જેમાં રાજકોટનાં ચેતેશ્વર પુજારા દ્વારા મહત્વનો ભાગ ભજવવામાં આવ્યો હતો. ત્યારે પુત્રની આ સિદ્ધિ અંગે પિતા અરવિંદભાઈ પુજારાએ મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ચેતેશ્વરની આ શાનદાર ઈનિંગ આજીવન યાદ રહી જશે. દેશની જીતમાં પુત્રએ મહત્વનો ફાળો ભજવવા બદલ તેમણે ખુશી પણ વ્યક્ત કરી છે.#Rajkot
અરવિંદભાઈ પુજારાનાં જણાવ્યા મુજબ, ઓસ્ટ્રેલિયા ખાતે કપરા સંજોગામાં ભારતે મેળવેલી જીત ખરેખર ઐતિહાસિક છે. તેમાં પણ ચેતેશ્વરે જરૂરિયાત મુજબ બેટિંગ કરી ભારતને જીત અપાવી તે મારા માટે ગર્વની વાત છે. આ ક્ષણ અમારા માટે તો ખૂબ જ આનંદની હતી. સાથે જ તેની આ શાનદાર ઈનિંગને લોકો પણ આજીવન યાદ રાખશે. આ તકે ભારતીય ટીમના યુવા ખેલાડીઓએ પોતાની લડવાની કેપેસિટી સાબિત કરી બતાવી હોવાનું પણ તેમણે કહ્યું હતું. #Rajkot
વધુમાં તેમણે કહ્યું હતું કે,આ સિરીઝમાં ઓસ્ટ્રેલિયન ટીમના બોલરે ફેંકેલા કુલ બોલના 25-27 ટકા બોલ ચેતેશ્વરે એકલાએ ફેઇસ કર્યા છે. જે આપણા દેશની માટે ગૌરવની વાત છે. આ ટેસ્ટ સિરીઝ જીતવાની સાથે ભારતે ગાબા સ્ટેડિયમનો 32 વર્ષનો રેકોર્ડ તોડી એક નવો ઇતિહાસ લખ્યો છે. જે માત્ર ભારત જ નહીં પણ ઓસ્ટ્રેલિયા સહિત દુનિયાનાં લોકો હંમેશા યાદ રાખશે. આ મેચ દરમિયાન ચેતેશ્વરને ટીવીમાં રમતો જોઈ તેની નાની પુત્રી પણ નાચવા લાગી હોવાનું તેમણે જણાવ્યું હતું.#Rajkot અગાઉનાં ક્રિકેટની ખામીઓ વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, ભૂતકાળમાં ખેલાડીઓને ખાસ વળતર મળતું ન હોવાથી પાર્ટ ટાઈમ ક્રિકેટ કહેવાતું હતું. અને ખેલાડીઓને ગુજરાન ચલાવવા માટે પાર્ટ ટાઇમ નોકરી કરવી પડતી હતી. જ્યારે અત્યારે તો કોઈપણ ખેલાડી માત્ર રણજી ટ્રોફી કે IPL રમે તો પણ આર્થિક ટેન્શન રહેતું નથી. આ પરિવર્તનને કારણે આવનારા સમયમાં વધુને વધુ સારા ખેલાડીઓ દેશને મળવાની આશા પણ તેમણે વ્યક્ત કરી છે.
More #Indian #team #cricketer #cheteshwar #pujara #father #shared #happiness #Rajkotnews