પડધરીના રોજિયા ગામની નદીમાં દીપડો જોવા મળ્યો હતો
ત્યારબાદ કાલાવડના પીઠડીયા ગામે પણ ખુલ્લા મેદાનમાં દીપડાનાં દર્શન થયા હતા
WatchGujarat. જિલ્લામાં છેલ્લા દોઢેક મહિનાથી સિંહોની ત્રિપુટી ફરી રહી હતી. જોકે વન વિભાગે આ ત્રિપુટીને પાંજરે પુરી સાસણ મોકલી દેતા લોકો રાહત અનુભવી રહ્યા હતા. ત્યાં હવે કાલાવડ રોડ પરના વિરડા વાજડી ગામે દીપડો જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. ગામનાં એક ચોકીદારે દીપડો જોયો હોવાનું કહેતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. અને આ દીપડાનાં ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
તાજેતરમાં પડધરીના રોજિયા ગામની નદીમાં દીપડો જોવા મળ્યો હતો. અને ત્યારબાદ કાલાવડના પીઠડીયા ગામે પણ ખુલ્લા મેદાનમાં દીપડાનાં દર્શન થતા ગામમાં ખેડૂતો અને મજૂરોમાં નાસભાગ મચી હતી. આ દીપડો ગામમાં ઘૂસ્યો હોવાની જાણ થતાં જ આસપાસના ગામોમાં પણ ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. ત્યારે હવે ફરી એકવાર કાલાવડ રોડ પર વિરડા વાઝડી ગામમાં દીપડાએ દેખા દેતા વન વિભાગને જાણ કરવામાં આવી છે. જો કે વન વિભાગ દ્વારા સત્તાવાર આ અંગેની પુષ્ટિ કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે, રાજકોટની ભાગોળે દોઢેક મહિનો ધામા નાખનાર 3 સિંહોને પાંજરે પુરી ફોરેસ્ટ વિભાગની નર્સરીમાં લઇ જવામાં આવ્યા છે. રેસ્કયૂ ઓપરેશન માટે ગીરથી ફોરેસ્ટ ટીમ ખાસ આવી હતી. અને ત્રણેય સિંહોને પાંજરે પુરવામાં વન વિભાગ સફળ રહ્યું હતું. અલગ અલગ ત્રણ પાંજરામાં ત્રણેય સિંહને પુરવામાં આવ્યા હતા. જેથી સ્થાનિકો ભય મુક્ત થયા હતાં. ત્યાં હવે દીપડો દેખાતા ફરીવાર સ્થનિકો અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
પડધરીના રોજિયા ગામની નદીમાં દીપડો જોવા મળ્યો હતો
ત્યારબાદ કાલાવડના પીઠડીયા ગામે પણ ખુલ્લા મેદાનમાં દીપડાનાં દર્શન થયા હતા
WatchGujarat. જિલ્લામાં છેલ્લા દોઢેક મહિનાથી સિંહોની ત્રિપુટી ફરી રહી હતી. જોકે વન વિભાગે આ ત્રિપુટીને પાંજરે પુરી સાસણ મોકલી દેતા લોકો રાહત અનુભવી રહ્યા હતા. ત્યાં હવે કાલાવડ રોડ પરના વિરડા વાજડી ગામે દીપડો જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. ગામનાં એક ચોકીદારે દીપડો જોયો હોવાનું કહેતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. અને આ દીપડાનાં ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
તાજેતરમાં પડધરીના રોજિયા ગામની નદીમાં દીપડો જોવા મળ્યો હતો. અને ત્યારબાદ કાલાવડના પીઠડીયા ગામે પણ ખુલ્લા મેદાનમાં દીપડાનાં દર્શન થતા ગામમાં ખેડૂતો અને મજૂરોમાં નાસભાગ મચી હતી. આ દીપડો ગામમાં ઘૂસ્યો હોવાની જાણ થતાં જ આસપાસના ગામોમાં પણ ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. ત્યારે હવે ફરી એકવાર કાલાવડ રોડ પર વિરડા વાઝડી ગામમાં દીપડાએ દેખા દેતા વન વિભાગને જાણ કરવામાં આવી છે. જો કે વન વિભાગ દ્વારા સત્તાવાર આ અંગેની પુષ્ટિ કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે, રાજકોટની ભાગોળે દોઢેક મહિનો ધામા નાખનાર 3 સિંહોને પાંજરે પુરી ફોરેસ્ટ વિભાગની નર્સરીમાં લઇ જવામાં આવ્યા છે. રેસ્કયૂ ઓપરેશન માટે ગીરથી ફોરેસ્ટ ટીમ ખાસ આવી હતી. અને ત્રણેય સિંહોને પાંજરે પુરવામાં વન વિભાગ સફળ રહ્યું હતું. અલગ અલગ ત્રણ પાંજરામાં ત્રણેય સિંહને પુરવામાં આવ્યા હતા. જેથી સ્થાનિકો ભય મુક્ત થયા હતાં. ત્યાં હવે દીપડો દેખાતા ફરીવાર સ્થનિકો અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે.