માઇક્રોબાયોલોજી વિભાગ ખાતે માર્ચ 2020થી લેબ યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી
RTPCR લેબમાં સેમ્પલનું જુદાજુદા તબકકામાં પૃથ્થકરણ કરવામાં આવે છે
હાલ લેબમાં દરરોજ અંદાજે 2500થી3000 નમુનાની ચકાસણી કરવામાં આવે છે
સમગ્ર પ્રકીયા માટે બાયોસેફટી કેબીનેટ કલાસ 2એ, RTPCR મશીન, માઇનસ 20 ડીગ્રી રેફ્રીજેરેટડ કન્ટ્રીફજ જેવા આધુનિક સાધનોની જરુર પડે - ડો. જી. યુ. કાવઠીયા
WatchGujarat. કોઈપણ દર્દી કોરાના પોઝીટીવ છે કે નહીં તેના વધું સ્પષ્ટ નિદાન માટે જ RTPCR ટેસ્ટ રીપોર્ટ અગત્યનો હોય છે. રિપોર્ટ આવ્યા બાદ જ ડોક્ટરોની ભૂમિકા શરૂ થાય છે. સચોટ નિદાન આવે તો સારવાર શકય બને અને આ કામ પીડીયુ મેડિકલ કોલેજ ખાતે આવેલ માઇક્રોબાયોલોજી વિભાગમાં કાર્યરત covid -19 RTPCR લેબોરેટરીના તબીબો અને ટેકનીશ્યન સ્ટાફ જીવના જોખમે કરી રહ્યો છે. માત્ર સવા વર્ષમાં બે લાખ જેટલા ટેસ્ટ કરીને લેબોરેટરી હોસ્પિલટલનું હૃદય બની ચુકી છે.
રાજકોટની સિવિલની આ લેબ દ્વારા માર્ચ 2020થી કામ શરૂ કરવામાં આવ્યું હતું. અને અત્યાર સુધીમાં 2,04,072 આરટીપીસીઆર રીપોર્ટ કરવામાં આવ્યા છે. માઇક્રોબાયોલોજી વિભાગ ખાતે માર્ચ 2020થી આ લેબ યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. જેમાં કોરાના અંગેના નમુનાની આરટીપીસીઆર મેથડથી ચકાસણી થાય છે. વર્ષ 2020 દરમિયાન રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, ગીરસોમનાથ, સુરેન્દ્રનગર જિલ્લો અને મોરબી જિલ્લામાંથી આવતા સેમ્પલોની ચકાસણી કરવામાં આવતી હતી. હાલમાં આ લેબમાં દરરોજ અંદાજે 2500થી3000 નમુનાની ચકાસણી કરવામાં આવે છે.
આ RTPCR લેબમાં સેમ્પલનું જુદાજુદા તબકકામાં પૃથ્થકરણ કરવામાં આવે છે. જેમાં સૌપ્રથમ વાઇરલ ટ્રાન્સપોર્ટ મીડીયમમાં આવેલ સેમ્પલમાં વાઇરસને લાઇસીસ કરવાની પ્રકિયા કરવામાં આવે છે. ત્યારબાદ વાઇરસમાંથી RNAને અલગ કરવામાં આવે છે. અને PCR ચેમ્બરમાં અલગ અલગ કરેલ RNAને માસ્ટર મિકસ ચેમ્બરમાં તૈયાર કરેલ રીએજન્ટમાં ઉમેરી COVID-19 વાઇરસ છે કે નહી તે જોવા માટે RTPCR મશીનમાં બે કલાક મુકવામાં આવે છે. RTPCR મશીનમાં ગ્રાફ જોઇને આ વાઇરસની હાજરી છે કે નહી તે જાણી શકાય છે.આ સમગ્ર પ્રક્રીયા પુર્ણ થતા સુધી આશરે 6થી8 કલાકનો સમય લાગે છે.
પીડીયુ મેડીકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના ઇનચાર્જ પ્રાધ્યાપક અને વડા ડો. જી. યુ. કાવઠીયાના જણાવ્યા મુજબ, આ સમગ્ર પ્રકીયા માટે બાયોસેફટી કેબીનેટ કલાસ 2એ, RTPCR મશીન, માઇનસ 20 ડીગ્રી રેફ્રીજેરેટડ કન્ટ્રીફજ જેવા આધુનિક સાધનોની જરુર પડે છે. જે રાજય સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે. હાલમાં કોવીડ -19 ટેસ્ટીંગનું ભારણ ખુબ જ હોય લેબમાં ટીચીંગ ફેકલ્ટીઓ, રેસીડેન્ટ ડોકટરો, લેબ ટેકનીશ્યનો, વર્ગ 4ના કર્મચારીઓ તેમજ કોમ્યુટર ઓપરેટરો એમ સમગ્ર લેબની ટીમ રાઉન્ડ ધ કલોક કામ કરી રહી છે.
માઇક્રોબાયોલોજી વિભાગ ખાતે માર્ચ 2020થી લેબ યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી
RTPCR લેબમાં સેમ્પલનું જુદાજુદા તબકકામાં પૃથ્થકરણ કરવામાં આવે છે
હાલ લેબમાં દરરોજ અંદાજે 2500થી3000 નમુનાની ચકાસણી કરવામાં આવે છે
સમગ્ર પ્રકીયા માટે બાયોસેફટી કેબીનેટ કલાસ 2એ, RTPCR મશીન, માઇનસ 20 ડીગ્રી રેફ્રીજેરેટડ કન્ટ્રીફજ જેવા આધુનિક સાધનોની જરુર પડે - ડો. જી. યુ. કાવઠીયા
WatchGujarat. કોઈપણ દર્દી કોરાના પોઝીટીવ છે કે નહીં તેના વધું સ્પષ્ટ નિદાન માટે જ RTPCR ટેસ્ટ રીપોર્ટ અગત્યનો હોય છે. રિપોર્ટ આવ્યા બાદ જ ડોક્ટરોની ભૂમિકા શરૂ થાય છે. સચોટ નિદાન આવે તો સારવાર શકય બને અને આ કામ પીડીયુ મેડિકલ કોલેજ ખાતે આવેલ માઇક્રોબાયોલોજી વિભાગમાં કાર્યરત covid -19 RTPCR લેબોરેટરીના તબીબો અને ટેકનીશ્યન સ્ટાફ જીવના જોખમે કરી રહ્યો છે. માત્ર સવા વર્ષમાં બે લાખ જેટલા ટેસ્ટ કરીને લેબોરેટરી હોસ્પિલટલનું હૃદય બની ચુકી છે.
રાજકોટની સિવિલની આ લેબ દ્વારા માર્ચ 2020થી કામ શરૂ કરવામાં આવ્યું હતું. અને અત્યાર સુધીમાં 2,04,072 આરટીપીસીઆર રીપોર્ટ કરવામાં આવ્યા છે. માઇક્રોબાયોલોજી વિભાગ ખાતે માર્ચ 2020થી આ લેબ યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. જેમાં કોરાના અંગેના નમુનાની આરટીપીસીઆર મેથડથી ચકાસણી થાય છે. વર્ષ 2020 દરમિયાન રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, ગીરસોમનાથ, સુરેન્દ્રનગર જિલ્લો અને મોરબી જિલ્લામાંથી આવતા સેમ્પલોની ચકાસણી કરવામાં આવતી હતી. હાલમાં આ લેબમાં દરરોજ અંદાજે 2500થી3000 નમુનાની ચકાસણી કરવામાં આવે છે.
આ RTPCR લેબમાં સેમ્પલનું જુદાજુદા તબકકામાં પૃથ્થકરણ કરવામાં આવે છે. જેમાં સૌપ્રથમ વાઇરલ ટ્રાન્સપોર્ટ મીડીયમમાં આવેલ સેમ્પલમાં વાઇરસને લાઇસીસ કરવાની પ્રકિયા કરવામાં આવે છે. ત્યારબાદ વાઇરસમાંથી RNAને અલગ કરવામાં આવે છે. અને PCR ચેમ્બરમાં અલગ અલગ કરેલ RNAને માસ્ટર મિકસ ચેમ્બરમાં તૈયાર કરેલ રીએજન્ટમાં ઉમેરી COVID-19 વાઇરસ છે કે નહી તે જોવા માટે RTPCR મશીનમાં બે કલાક મુકવામાં આવે છે. RTPCR મશીનમાં ગ્રાફ જોઇને આ વાઇરસની હાજરી છે કે નહી તે જાણી શકાય છે.આ સમગ્ર પ્રક્રીયા પુર્ણ થતા સુધી આશરે 6થી8 કલાકનો સમય લાગે છે.
પીડીયુ મેડીકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના ઇનચાર્જ પ્રાધ્યાપક અને વડા ડો. જી. યુ. કાવઠીયાના જણાવ્યા મુજબ, આ સમગ્ર પ્રકીયા માટે બાયોસેફટી કેબીનેટ કલાસ 2એ, RTPCR મશીન, માઇનસ 20 ડીગ્રી રેફ્રીજેરેટડ કન્ટ્રીફજ જેવા આધુનિક સાધનોની જરુર પડે છે. જે રાજય સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે. હાલમાં કોવીડ -19 ટેસ્ટીંગનું ભારણ ખુબ જ હોય લેબમાં ટીચીંગ ફેકલ્ટીઓ, રેસીડેન્ટ ડોકટરો, લેબ ટેકનીશ્યનો, વર્ગ 4ના કર્મચારીઓ તેમજ કોમ્યુટર ઓપરેટરો એમ સમગ્ર લેબની ટીમ રાઉન્ડ ધ કલોક કામ કરી રહી છે.