સાસુ નિર્મળાબેન દાવડા 35 વર્ષથી અને તેમની વહુ ખુશ્બુબેન છેલ્લા 5 વર્ષથી સિલાઇકામ કરી રહ્યાં છે
જિલ્લા કલેકટરે મધ્યમવર્ગના આ સાસુ-વહુની પ્રશંસા કરીને તેમના અનુદાનને અત્યાર સુધીમાં સૌથી મોટું ગણાવ્યું
રાજકોટના સાસુ-વહુએ ભરત ગુંથણ, સિલાઈ કામના ભેગા કરેલા રૂપિયામાંથી જરૂરિયાતમદ લોકોને ઓક્સિજન પુરા પાડયા
WatchGujarat. કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે જ લોકો પણ પીડિતોની મદદ કરવા યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે. ત્યારે શહેરમાં જ સિલાઈકામ કરતી એક સાસુ-વહુએ કલેક્ટરને કોરો ચેક આપતા કહ્યું હતું કે, તમારે જેટલા ભરવા હો એટલા ભરી લો, તેમજ સાસુ-વહુએ વર્ષોની મહેનતથી એકઠી કરેલી પૂંજી દાનમાં આપી દેવાની તૈયારી દર્શાવી છે. જોકે જિલ્લા કલેક્ટરે સાસુ સહિત વહુનું સન્માન કરીને આ રકમ જરૂરિયાત વાળા લોકોને કરીયાણું સહિતની જરૂરી વસ્તુઓ માટે ઉપયોગમાં લેવા જણાવ્યું હતું.
રાજકોટમાં રહેતા સાસુ નિર્મળાબેન દાવડા 35 વર્ષથી અને તેમની વહુ ખુશ્બુબેન છેલ્લા 5 વર્ષથી સિલાઇકામ કરી રહ્યાં છે. કોરોનાની કપરી પરિસ્થિતિમાં સાસુ-વહુએ પોતાની જીવનભરની પુંજી કોરોનામાં હેરાન-પરેશાન થતા લોકોને આપવાનું નક્કી કર્યું હતું. બંને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. અને કલેકટરને કોરો ચેક આપી કોઈપણ રકમ ભરી લેવા જણાવ્યું હતું. જો કે જિલ્લા કલેકટરે મધ્યમવર્ગના આ સાસુ-વહુની પ્રશંસા કરીને તેમના અનુદાનને અત્યાર સુધીમાં સૌથી મોટું ગણાવ્યું હતું. પરંતુ ચેક સ્વીકારવાને બદલે જરૂરિયાત વાળા લોકોને કરીયાણું અને દવા માટે આ રકમ વાપરવાની સલાહ આપી હતી.
આ અંગે વહુ ખુશ્બુબેને જણાવ્યું હતું કે, અમે સિલાઈ કામ, મોતીનું કામ અને ભરતગુંથણ કામ કરીએ છીએ. આ દરેક કામમાંથી એક ચોક્કસ રકમ એકઠી થઇ છે. આ પુંજી અમે કોરોનાની મહામારીમાં વીંખાઈ ગયેલા પરિવારોની મદદ માટે આપવાનું નક્કી કર્યું હતું. આવા લોકોનો પરિવાર સારી રીતે ચાલે એ જ અમારો હેતુ છે. અને આ માટે જ અમે કલેક્ટરને કોરો ચેક આપ્યો હતો, તેમજ કલેક્ટરને કહ્યું હતું કે, તમારે જે રકમ ભરવી તે ભરી લો. જો કે કલેક્ટરે આ ચેક સ્વીકાર્યો નહીં. પણ અમને ગર્વ અનુભવ કરાવતા કહ્યું હતું કે, તમે અત્યારે નારી શક્તિ તરીકે આવ્યા છો અને તમારી શક્તિને હું પ્રણામ કરું છું. તમારા કામને બિરદાવું છું, અત્યાર સુધી જેટલા લોકોએ પણ જે કંઈ અર્પણ કર્યું છે તેના કરતાં તમે જે દીધુ એ સૌથી મોટું છે. તમે સાસુ વહુ થઈને અમને રકમ આપો છો મારા માટે ગર્વની વાત છે.
નોંધનીય છે કે, રાજકોટના સાસુ-વહુએ ભરત ગુંથણ, સિલાઈ કામના ભેગા કરેલા રૂપિયામાંથી જરૂરિયાતમદ લોકોને ઓક્સિજન પુરા પાડયા છે. 50 થી 60 જેટલા ઓક્સિજનના બાટલા વસાવ્યા છે. આ સેવાથી અનેક લોકોને મદદ મળી છે. ત્યારે મધ્યમ વર્ગના સાસુ વહુની અનોખી કહાની કોરોનાનાં કપરા કાળમાં જોવા મળી છે. અને લોકો મધ્યમ વર્ગના આ સાસુ-વહુની સેવાને બે-બે મોઢે વખાણી રહ્યા છે. અને આ સાસુ-વહુ માત્ર શહેરમાં નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની ગયા છે.
સાસુ નિર્મળાબેન દાવડા 35 વર્ષથી અને તેમની વહુ ખુશ્બુબેન છેલ્લા 5 વર્ષથી સિલાઇકામ કરી રહ્યાં છે
જિલ્લા કલેકટરે મધ્યમવર્ગના આ સાસુ-વહુની પ્રશંસા કરીને તેમના અનુદાનને અત્યાર સુધીમાં સૌથી મોટું ગણાવ્યું
WatchGujarat. કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે જ લોકો પણ પીડિતોની મદદ કરવા યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે. ત્યારે શહેરમાં જ સિલાઈકામ કરતી એક સાસુ-વહુએ કલેક્ટરને કોરો ચેક આપતા કહ્યું હતું કે, તમારે જેટલા ભરવા હો એટલા ભરી લો, તેમજ સાસુ-વહુએ વર્ષોની મહેનતથી એકઠી કરેલી પૂંજી દાનમાં આપી દેવાની તૈયારી દર્શાવી છે. જોકે જિલ્લા કલેક્ટરે સાસુ સહિત વહુનું સન્માન કરીને આ રકમ જરૂરિયાત વાળા લોકોને કરીયાણું સહિતની જરૂરી વસ્તુઓ માટે ઉપયોગમાં લેવા જણાવ્યું હતું.
રાજકોટમાં રહેતા સાસુ નિર્મળાબેન દાવડા 35 વર્ષથી અને તેમની વહુ ખુશ્બુબેન છેલ્લા 5 વર્ષથી સિલાઇકામ કરી રહ્યાં છે. કોરોનાની કપરી પરિસ્થિતિમાં સાસુ-વહુએ પોતાની જીવનભરની પુંજી કોરોનામાં હેરાન-પરેશાન થતા લોકોને આપવાનું નક્કી કર્યું હતું. બંને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. અને કલેકટરને કોરો ચેક આપી કોઈપણ રકમ ભરી લેવા જણાવ્યું હતું. જો કે જિલ્લા કલેકટરે મધ્યમવર્ગના આ સાસુ-વહુની પ્રશંસા કરીને તેમના અનુદાનને અત્યાર સુધીમાં સૌથી મોટું ગણાવ્યું હતું. પરંતુ ચેક સ્વીકારવાને બદલે જરૂરિયાત વાળા લોકોને કરીયાણું અને દવા માટે આ રકમ વાપરવાની સલાહ આપી હતી.
આ અંગે વહુ ખુશ્બુબેને જણાવ્યું હતું કે, અમે સિલાઈ કામ, મોતીનું કામ અને ભરતગુંથણ કામ કરીએ છીએ. આ દરેક કામમાંથી એક ચોક્કસ રકમ એકઠી થઇ છે. આ પુંજી અમે કોરોનાની મહામારીમાં વીંખાઈ ગયેલા પરિવારોની મદદ માટે આપવાનું નક્કી કર્યું હતું. આવા લોકોનો પરિવાર સારી રીતે ચાલે એ જ અમારો હેતુ છે. અને આ માટે જ અમે કલેક્ટરને કોરો ચેક આપ્યો હતો, તેમજ કલેક્ટરને કહ્યું હતું કે, તમારે જે રકમ ભરવી તે ભરી લો. જો કે કલેક્ટરે આ ચેક સ્વીકાર્યો નહીં. પણ અમને ગર્વ અનુભવ કરાવતા કહ્યું હતું કે, તમે અત્યારે નારી શક્તિ તરીકે આવ્યા છો અને તમારી શક્તિને હું પ્રણામ કરું છું. તમારા કામને બિરદાવું છું, અત્યાર સુધી જેટલા લોકોએ પણ જે કંઈ અર્પણ કર્યું છે તેના કરતાં તમે જે દીધુ એ સૌથી મોટું છે. તમે સાસુ વહુ થઈને અમને રકમ આપો છો મારા માટે ગર્વની વાત છે.
નોંધનીય છે કે, રાજકોટના સાસુ-વહુએ ભરત ગુંથણ, સિલાઈ કામના ભેગા કરેલા રૂપિયામાંથી જરૂરિયાતમદ લોકોને ઓક્સિજન પુરા પાડયા છે. 50 થી 60 જેટલા ઓક્સિજનના બાટલા વસાવ્યા છે. આ સેવાથી અનેક લોકોને મદદ મળી છે. ત્યારે મધ્યમ વર્ગના સાસુ વહુની અનોખી કહાની કોરોનાનાં કપરા કાળમાં જોવા મળી છે. અને લોકો મધ્યમ વર્ગના આ સાસુ-વહુની સેવાને બે-બે મોઢે વખાણી રહ્યા છે. અને આ સાસુ-વહુ માત્ર શહેરમાં નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની ગયા છે.