રાજકોટને 100 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત છે અને જથ્થો ફાળવવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે - જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન
અમે ગઈકાલ સવારથી ઓક્સિજન માટેની માંગ કરી રહ્યા છીએ. ટેન્ક લાઈનમાં લઈ હોસ્પિટલનો સ્ટાફ ઉભો છે પણ વારો આવ્યો નથી - ડો. જયંત મહેતા
તમામ વસ્તુઓની અછતને લઈને દર્દીઓનાં સગાઓ ભારે હાલાકી ભોગવી રહ્યા હોવાની અનેક ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે
WatchGujarat. શહેરમાં ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. જેને લઈને દર્દીઓ અને તેના સગાઓએ હાલાકી ભોગવવી પડી રહી છે. દરમિયાન કલેક્ટર અને ખાનગી હોસ્પિટલ સંચાલકો ઓક્સિજન મુદ્દે સામસામે આવી ગયા છે. આજરોજ એકતરફ કલેક્ટર રેમ્યા મોહને જ પત્રકાર પરિષદ યોજી ઓક્સિજનની અછત મહદઅંશે દૂર થયાનો દાવો કર્યો હતો. તો બીજીતરફ જીનેસીસ હોસ્પિટલના તબીબોએ ગણતરીના કલાકો સુધી ચાલે તેટલો જ ઓક્સિજન હોવાનું મીડિયાને જણાવ્યું છે. જેને લઈને બંનેમાંથી સાચું કોણ તેને લઈને અનેક ચર્ચા ઉઠી રહી છે.
રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ શહેર અને જિલ્લામાં ઓક્સિજનની કોઇ અછત નહીં સર્જાય હાલ પૂરતો જથ્થો રાજકોટને મળવા પાત્ર છે. જેમાં રોજ રાજકોટને 100 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત છે અને જથ્થો ફાળવવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ઓક્સિજન રીફલિંગ કરતા ખાનગી પ્લાન્ટ ખાતે ઓક્સિજન રીફલિંગમાં લાઇનો લાગતી હોવાથી હોમ આઇસોલેટ દર્દીને અલગ જગ્યા પર રીફલિંગ કરવા અને હોસ્પિટલ માટે અલગ જગ્યા પર રીફલિંગ કરવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું પણ તેમણે કહ્યું છે.
બીજીતરફ કલેક્ટરનાં આ દાવાઓ સામે જ જીનેસીસ હોસ્પિટલના તબીબો દ્વારા પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ડો. જયંત મહેતા તેમજ ડો. અર્ચિત રાઠોડે કહ્યું હતું કે, રાજકોટમાં કુલ 110 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર છે. જેની સામે 100 મેટ્રિક ટન ઓક્સિજન પૂરો પાડવાનો દાવો તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે અમે ગઈકાલ સવારથી ઓક્સિજન માટેની માંગ કરી રહ્યા છીએ. ટેન્ક લાઈનમાં લઈ હોસ્પિટલનો સ્ટાફ ઉભો છે પણ વારો આવ્યો નથી.
હાલ 14 દર્દીઓ સારવાર હેઠળ છે જેમાંથી 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 4 દર્દીઓ હાઈફલો પર કસર્વર હેઠળ છે. તેમજ 6 દર્દીઓ લો ફ્લો ઉપર સારવાર હેઠળ છે. હોસ્પિટલ પાસે માત્ર 24 ઓક્સિજન સિલિન્ડર છે જે માત્ર 2 કલાક ચાલે એટલો જ ઓક્સિજનનો જથ્થો છે. આવી સ્થિતિ હાલ શહેરની મોટાભાગની ખાનગી હોસ્પિટલોમાં જોવા મળી રહી છે. તબીબોએ સવાલ કર્યો હતો કે, ઓક્સિજનનો પૂરતો જથ્થો છે તો કેમ આપવામાં આવતો નથી ?
ઉલ્લેખનીય છે કે, શહેરમાં બેડ-ઓક્સિજન ઉપરાંત રેમડેસીવીર ઇન્જેક્શનની સતત અછત વર્તાઈ રહી છે. જો કે તંત્ર દ્વારા આ અછત પર ઢાંકપીછોડો કરવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અને તમામ વસ્તુઓ પૂરતા પ્રમાણમાં હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ જોવા મળી રહેલી હકીકત કૈક અલગ જ છે. જેમાં આ તમામ વસ્તુઓની અછતને લઈને દર્દીઓનાં સગાઓ ભારે હાલાકી ભોગવી રહ્યા હોવાની અનેક ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે. ત્યારે જીનેસીસ હોસ્પિટલનાં ડોક્ટરોની પ્રેસ કોન્ફરન્સે ફરીવાર તંત્રની પોલ ખોલી નાખી છે.
રાજકોટને 100 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત છે અને જથ્થો ફાળવવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે - જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન
અમે ગઈકાલ સવારથી ઓક્સિજન માટેની માંગ કરી રહ્યા છીએ. ટેન્ક લાઈનમાં લઈ હોસ્પિટલનો સ્ટાફ ઉભો છે પણ વારો આવ્યો નથી - ડો. જયંત મહેતા
તમામ વસ્તુઓની અછતને લઈને દર્દીઓનાં સગાઓ ભારે હાલાકી ભોગવી રહ્યા હોવાની અનેક ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે
WatchGujarat. શહેરમાં ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. જેને લઈને દર્દીઓ અને તેના સગાઓએ હાલાકી ભોગવવી પડી રહી છે. દરમિયાન કલેક્ટર અને ખાનગી હોસ્પિટલ સંચાલકો ઓક્સિજન મુદ્દે સામસામે આવી ગયા છે. આજરોજ એકતરફ કલેક્ટર રેમ્યા મોહને જ પત્રકાર પરિષદ યોજી ઓક્સિજનની અછત મહદઅંશે દૂર થયાનો દાવો કર્યો હતો. તો બીજીતરફ જીનેસીસ હોસ્પિટલના તબીબોએ ગણતરીના કલાકો સુધી ચાલે તેટલો જ ઓક્સિજન હોવાનું મીડિયાને જણાવ્યું છે. જેને લઈને બંનેમાંથી સાચું કોણ તેને લઈને અનેક ચર્ચા ઉઠી રહી છે.
રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ શહેર અને જિલ્લામાં ઓક્સિજનની કોઇ અછત નહીં સર્જાય હાલ પૂરતો જથ્થો રાજકોટને મળવા પાત્ર છે. જેમાં રોજ રાજકોટને 100 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત છે અને જથ્થો ફાળવવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ઓક્સિજન રીફલિંગ કરતા ખાનગી પ્લાન્ટ ખાતે ઓક્સિજન રીફલિંગમાં લાઇનો લાગતી હોવાથી હોમ આઇસોલેટ દર્દીને અલગ જગ્યા પર રીફલિંગ કરવા અને હોસ્પિટલ માટે અલગ જગ્યા પર રીફલિંગ કરવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું પણ તેમણે કહ્યું છે.
બીજીતરફ કલેક્ટરનાં આ દાવાઓ સામે જ જીનેસીસ હોસ્પિટલના તબીબો દ્વારા પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ડો. જયંત મહેતા તેમજ ડો. અર્ચિત રાઠોડે કહ્યું હતું કે, રાજકોટમાં કુલ 110 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર છે. જેની સામે 100 મેટ્રિક ટન ઓક્સિજન પૂરો પાડવાનો દાવો તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે અમે ગઈકાલ સવારથી ઓક્સિજન માટેની માંગ કરી રહ્યા છીએ. ટેન્ક લાઈનમાં લઈ હોસ્પિટલનો સ્ટાફ ઉભો છે પણ વારો આવ્યો નથી.
હાલ 14 દર્દીઓ સારવાર હેઠળ છે જેમાંથી 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 4 દર્દીઓ હાઈફલો પર કસર્વર હેઠળ છે. તેમજ 6 દર્દીઓ લો ફ્લો ઉપર સારવાર હેઠળ છે. હોસ્પિટલ પાસે માત્ર 24 ઓક્સિજન સિલિન્ડર છે જે માત્ર 2 કલાક ચાલે એટલો જ ઓક્સિજનનો જથ્થો છે. આવી સ્થિતિ હાલ શહેરની મોટાભાગની ખાનગી હોસ્પિટલોમાં જોવા મળી રહી છે. તબીબોએ સવાલ કર્યો હતો કે, ઓક્સિજનનો પૂરતો જથ્થો છે તો કેમ આપવામાં આવતો નથી ?
ઉલ્લેખનીય છે કે, શહેરમાં બેડ-ઓક્સિજન ઉપરાંત રેમડેસીવીર ઇન્જેક્શનની સતત અછત વર્તાઈ રહી છે. જો કે તંત્ર દ્વારા આ અછત પર ઢાંકપીછોડો કરવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અને તમામ વસ્તુઓ પૂરતા પ્રમાણમાં હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ જોવા મળી રહેલી હકીકત કૈક અલગ જ છે. જેમાં આ તમામ વસ્તુઓની અછતને લઈને દર્દીઓનાં સગાઓ ભારે હાલાકી ભોગવી રહ્યા હોવાની અનેક ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે. ત્યારે જીનેસીસ હોસ્પિટલનાં ડોક્ટરોની પ્રેસ કોન્ફરન્સે ફરીવાર તંત્રની પોલ ખોલી નાખી છે.