કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં લાગુ કરવામાં આવેલા કૃષિય કાયદનો દેશભરમાં વિરોધ
ખેડૂત વિરોધી ત્રણ કૃષિ કાયદા રદ્દ કરવા, વરાછામાં સરકારી કોલેજ સ્થાપવી અને આંદોલન દરમ્યાન થયેલા કેસો પાછા ખેચવાની માંગ સાથે પાસ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ
પોલીસ અને પાસ કાર્યકરો વચ્ચે ઘર્ષણની અનેક ઘટનાઓ સામે આવી
WatchGujarat. સુરતમાં પાટીદાર અનામાન આંદોલન સમિતિ (પાસ) દ્વારા સરકાર સમક્ષ અનેક માંગોને લઈને પ્રજાસતાક પર્વના દિવસે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પાસની ત્રિરંગા યાત્રાને પોલીસ પરવાનગી ન હોવા છત્તા યાત્રા કરનારા 100 થી વધુ લોકોની અટકાયત કરી લીધી હતી. પોલીસે પાસના કાર્યકરોની અટકાયત કરતા રસ્તા પર ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં લાગુ કરવામાં આવેલા કૃષિય કાયદનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. ખેડૂત વિરોધી ત્રણ કૃષિ કાયદા રદ્દ કરવા, વરાછામાં સરકારી કોલેજ સ્થાપવી અને પાટીદાર અનામત આંદોલન દરમ્યાન થયેલા કેસો પાછા ખેચવાની માંગ સાથે પાસ દ્વારા પ્રજાસતાક પર્વના દિવસે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે યાત્રા માટે પોલીસ પરવાનગી આપવામાં આવી ન હતી. તેમ છતાં આ યાત્રા નીકળતા પોલીસે અટકાયી પગલા લીધા હતા.
સુરતના વિવિધ વિસ્તારો સરથાણા, સીમાડા નાકા, નાના વરાછા, કાપોદ્રા, હીરાબાગ, મીની બજાર, યોગીચોકથી રેલીની શરૂઆત કરવામાં આવી હતી. તે દરમિયાન પાસ કન્વિનર અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા સહીત તમામ આંદોલનકારીઓ, અનેક સામાજિક અને રાજકીય સંગઠનોના 100 થી વધુ લોકોની અટકાયત કરીને સુરત ના અલગ અલગ પોલીસે સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા હતા. પોલીસે અટકાયત કરતા કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. કાર્યકરોએ ભાજપ વિરોધી સુત્રોચાર પણ કર્યા હતા. આ ઉપરાંત રોષે ભરાયેલા કાર્યકરો પોલીસની પી.સી.આર વાન પર પણ ચડી ગયા હતા. અને સાયરન તોડી નાખ્યા હતા.
પાસના કાર્યકરો પોલીસ વાહનો પર ચઢી ગયા
રોષે ભરાયેલા પાસના કાર્યકરોએ પોલીસની પીસીઆર વાન પર ચડી ગયા હતા. અને કાપોદ્રા બ્રીજ પાસે રોડ પર બેસી રસ્તો બંધ કર્યો હતો. પીસીઆરવાન પર ચડી કાર્યકરોએ સાયરન તોડી નાખ્યું હતું. જેથી પોલીસે બળ પ્રયોગ કરી તમામ કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.
તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી થશે : જોઈન્ટ સીપી
જોઈન્ટ પોલીસ કમિશ્નર પ્રવીણ મલે જણાવ્યું હતું કે સુરતના અલગ અલગ વિસ્તારમાંથી ૯૦ થી વધુ કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી છે. આ રેલીની પરવાનગી ન હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ જે લોકોએ પોલીસના વાહનોમાં તોડફોડ કરી છે. તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં લાગુ કરવામાં આવેલા કૃષિય કાયદનો દેશભરમાં વિરોધ
ખેડૂત વિરોધી ત્રણ કૃષિ કાયદા રદ્દ કરવા, વરાછામાં સરકારી કોલેજ સ્થાપવી અને આંદોલન દરમ્યાન થયેલા કેસો પાછા ખેચવાની માંગ સાથે પાસ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ
પોલીસ અને પાસ કાર્યકરો વચ્ચે ઘર્ષણની અનેક ઘટનાઓ સામે આવી
WatchGujarat. સુરતમાં પાટીદાર અનામાન આંદોલન સમિતિ (પાસ) દ્વારા સરકાર સમક્ષ અનેક માંગોને લઈને પ્રજાસતાક પર્વના દિવસે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પાસની ત્રિરંગા યાત્રાને પોલીસ પરવાનગી ન હોવા છત્તા યાત્રા કરનારા 100 થી વધુ લોકોની અટકાયત કરી લીધી હતી. પોલીસે પાસના કાર્યકરોની અટકાયત કરતા રસ્તા પર ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં લાગુ કરવામાં આવેલા કૃષિય કાયદનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. ખેડૂત વિરોધી ત્રણ કૃષિ કાયદા રદ્દ કરવા, વરાછામાં સરકારી કોલેજ સ્થાપવી અને પાટીદાર અનામત આંદોલન દરમ્યાન થયેલા કેસો પાછા ખેચવાની માંગ સાથે પાસ દ્વારા પ્રજાસતાક પર્વના દિવસે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે યાત્રા માટે પોલીસ પરવાનગી આપવામાં આવી ન હતી. તેમ છતાં આ યાત્રા નીકળતા પોલીસે અટકાયી પગલા લીધા હતા.
સુરતના વિવિધ વિસ્તારો સરથાણા, સીમાડા નાકા, નાના વરાછા, કાપોદ્રા, હીરાબાગ, મીની બજાર, યોગીચોકથી રેલીની શરૂઆત કરવામાં આવી હતી. તે દરમિયાન પાસ કન્વિનર અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા સહીત તમામ આંદોલનકારીઓ, અનેક સામાજિક અને રાજકીય સંગઠનોના 100 થી વધુ લોકોની અટકાયત કરીને સુરત ના અલગ અલગ પોલીસે સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા હતા. પોલીસે અટકાયત કરતા કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. કાર્યકરોએ ભાજપ વિરોધી સુત્રોચાર પણ કર્યા હતા. આ ઉપરાંત રોષે ભરાયેલા કાર્યકરો પોલીસની પી.સી.આર વાન પર પણ ચડી ગયા હતા. અને સાયરન તોડી નાખ્યા હતા.
પાસના કાર્યકરો પોલીસ વાહનો પર ચઢી ગયા
રોષે ભરાયેલા પાસના કાર્યકરોએ પોલીસની પીસીઆર વાન પર ચડી ગયા હતા. અને કાપોદ્રા બ્રીજ પાસે રોડ પર બેસી રસ્તો બંધ કર્યો હતો. પીસીઆરવાન પર ચડી કાર્યકરોએ સાયરન તોડી નાખ્યું હતું. જેથી પોલીસે બળ પ્રયોગ કરી તમામ કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.
તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી થશે : જોઈન્ટ સીપી
જોઈન્ટ પોલીસ કમિશ્નર પ્રવીણ મલે જણાવ્યું હતું કે સુરતના અલગ અલગ વિસ્તારમાંથી ૯૦ થી વધુ કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી છે. આ રેલીની પરવાનગી ન હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ જે લોકોએ પોલીસના વાહનોમાં તોડફોડ કરી છે. તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.