આરોગ્ય મંત્રાલયની કોવિડ લાઈનનાં આધારે રેલવેનાં કોચને આઈસોલેશન વોર્ડમાં તબદલી કરવામાં આવ્યા છે
એક કોચમાં 9 કેબીનમાંથી 8 માં દદીઓ અને 1 માં તબીબી સ્ટાફ રહી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ
રાજકોટ અને ભાવનગર બંને ડિવિઝનમાં મળીને 100 કોચ તૈયાર
બંને તંત્ર વચ્ચે સંકલનનાં અભાવથી વેન્ટીલેટર જેવા સાધનોથી સજજ રેલવે હોસ્પિટલનો ઉપયોગ કરી શકાતો નથી
WatchGujarat. એકતરફ શહેરમાં કોરોનાનું સંક્રમણ એટલી હદે વધી રહયુ છે કે, સરકારી અને ખાનગી હોસ્પિટલો ફૂલ થઈ રહી છે આવા સંજોગોમાં કલેકટર તંત્રે કોરોના દર્દીઓ માટે નવી હોસ્પિટલ શોધવા કવાયત શરૂ કરી છે. ત્યારે વિચિત્રતા એ છે કે સિવિલ હોસ્પિટલની સામે જ રેલવેનાં 20 કોચમાં તૈયાર કરાયેલ 320 બેડની કોવિડ હોસ્પિટલ એક વર્ષથી તૈયાર હોવા છતાં રેલવે અને સ્થાનિક વહીવટી તંત્ર વચ્ચે સંકલનનાં અભાવથી ખાલી પડી છે.
આરોગ્ય મંત્રાલયની કોવિડ લાઈનનાં આધારે રેલવેનાં કોચને આઈસોલેશન વોર્ડમાં તબદલી કરવામાં આવ્યા છે. અને આશરે રૂ. 1 લાખનાં ખર્ચે કન્વર્ટ કરી તેનો નિભાવ કરાઈ રહયો છે. રાજકોટ ડિવિઝનમાં આવા 20 કોચ એક વર્ષ કરતા વધુ સમયથી વર્કશોપમાં ધૂળ ખાય છે. એક કોચમાં 9 કેબીનમાંથી 8 માં દદીઓ અને 1 માં તબીબી સ્ટાફ રહી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ રહી છે. એક કોચમાં 16 દર્દીઓ રાખી શકાય તે મુજબ 20 કોચમાં 320 કોરોના પેશન્ટને રાખી શકાય તેમ છે.
રાજકોટ અને ભાવનગર બંને ડિવિઝનમાં મળીને 100 કોચ તૈયાર છે. જેનો લાખોનો ખર્ચ 1 વર્ષથી પાણીમાં જઈ રહયો છે. પરંતુ તેનો એક પણ કોરોના પેશન્ટ માટે તેનો ઉપયોગ થયો નથી. ઉપરાંત રેલવે હોસ્પિટલમાં પણ કોરોના દર્દીને દાખલ કરી શકાય તેમ છે. પરંતુ કલેકટર તંત્ર કયા કારણથી રેલવે ઓથોરીટીનો સંપર્ક કરતી નથી એ મોટો પ્રશ્ન છે. બંને તંત્ર વચ્ચે સંકલનનાં અભાવથી વેન્ટીલેટર જેવા સાધનોથી સજજ રેલવે હોસ્પિટલનો ઉપયોગ કરી શકાતો નથી.
ઉલ્લેખનીય છે કે, હાલમાં વહિવટી તંત્ર દ્વારા મેડિકલ એસોસીએશન અને હોટેલ સંચાલકો સાથે બેઠક કરી વધુ બેડો શરૂ કરવા હવાતિયાં મારવામાં આવી રહ્યા છે. અને બીજીતરફ રેલવે હોસ્પિટલ અને રેલવે ડબામાં તૈયાર કરાયેલા કોચ સાવ બિનઉપયોગી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 590 દર્દીઓની ક્ષમતા સાથેની કોવિડ હોસ્પિટલમાં હાલ 500 જેટલા દર્દીઓ સારવાર લઈ રહયા છે. સિવિલ ફૂલ થવાની પહેલા જ ખાનગી હોસ્પિટલો પણ ફૂલ થઈ ચૂકી છે. આવા સંજોગોમાં લોકો લૂટાય નહિ તે માટે તંત્રએ રેલવેનાં બેડનો ઉપયોગ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવાની દિશામાં ધ્યાન આપવું જરૂરી બન્યું છે.
આરોગ્ય મંત્રાલયની કોવિડ લાઈનનાં આધારે રેલવેનાં કોચને આઈસોલેશન વોર્ડમાં તબદલી કરવામાં આવ્યા છે
એક કોચમાં 9 કેબીનમાંથી 8 માં દદીઓ અને 1 માં તબીબી સ્ટાફ રહી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ
રાજકોટ અને ભાવનગર બંને ડિવિઝનમાં મળીને 100 કોચ તૈયાર
બંને તંત્ર વચ્ચે સંકલનનાં અભાવથી વેન્ટીલેટર જેવા સાધનોથી સજજ રેલવે હોસ્પિટલનો ઉપયોગ કરી શકાતો નથી
WatchGujarat. એકતરફ શહેરમાં કોરોનાનું સંક્રમણ એટલી હદે વધી રહયુ છે કે, સરકારી અને ખાનગી હોસ્પિટલો ફૂલ થઈ રહી છે આવા સંજોગોમાં કલેકટર તંત્રે કોરોના દર્દીઓ માટે નવી હોસ્પિટલ શોધવા કવાયત શરૂ કરી છે. ત્યારે વિચિત્રતા એ છે કે સિવિલ હોસ્પિટલની સામે જ રેલવેનાં 20 કોચમાં તૈયાર કરાયેલ 320 બેડની કોવિડ હોસ્પિટલ એક વર્ષથી તૈયાર હોવા છતાં રેલવે અને સ્થાનિક વહીવટી તંત્ર વચ્ચે સંકલનનાં અભાવથી ખાલી પડી છે.
આરોગ્ય મંત્રાલયની કોવિડ લાઈનનાં આધારે રેલવેનાં કોચને આઈસોલેશન વોર્ડમાં તબદલી કરવામાં આવ્યા છે. અને આશરે રૂ. 1 લાખનાં ખર્ચે કન્વર્ટ કરી તેનો નિભાવ કરાઈ રહયો છે. રાજકોટ ડિવિઝનમાં આવા 20 કોચ એક વર્ષ કરતા વધુ સમયથી વર્કશોપમાં ધૂળ ખાય છે. એક કોચમાં 9 કેબીનમાંથી 8 માં દદીઓ અને 1 માં તબીબી સ્ટાફ રહી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ રહી છે. એક કોચમાં 16 દર્દીઓ રાખી શકાય તે મુજબ 20 કોચમાં 320 કોરોના પેશન્ટને રાખી શકાય તેમ છે.
રાજકોટ અને ભાવનગર બંને ડિવિઝનમાં મળીને 100 કોચ તૈયાર છે. જેનો લાખોનો ખર્ચ 1 વર્ષથી પાણીમાં જઈ રહયો છે. પરંતુ તેનો એક પણ કોરોના પેશન્ટ માટે તેનો ઉપયોગ થયો નથી. ઉપરાંત રેલવે હોસ્પિટલમાં પણ કોરોના દર્દીને દાખલ કરી શકાય તેમ છે. પરંતુ કલેકટર તંત્ર કયા કારણથી રેલવે ઓથોરીટીનો સંપર્ક કરતી નથી એ મોટો પ્રશ્ન છે. બંને તંત્ર વચ્ચે સંકલનનાં અભાવથી વેન્ટીલેટર જેવા સાધનોથી સજજ રેલવે હોસ્પિટલનો ઉપયોગ કરી શકાતો નથી.
ઉલ્લેખનીય છે કે, હાલમાં વહિવટી તંત્ર દ્વારા મેડિકલ એસોસીએશન અને હોટેલ સંચાલકો સાથે બેઠક કરી વધુ બેડો શરૂ કરવા હવાતિયાં મારવામાં આવી રહ્યા છે. અને બીજીતરફ રેલવે હોસ્પિટલ અને રેલવે ડબામાં તૈયાર કરાયેલા કોચ સાવ બિનઉપયોગી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 590 દર્દીઓની ક્ષમતા સાથેની કોવિડ હોસ્પિટલમાં હાલ 500 જેટલા દર્દીઓ સારવાર લઈ રહયા છે. સિવિલ ફૂલ થવાની પહેલા જ ખાનગી હોસ્પિટલો પણ ફૂલ થઈ ચૂકી છે. આવા સંજોગોમાં લોકો લૂટાય નહિ તે માટે તંત્રએ રેલવેનાં બેડનો ઉપયોગ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવાની દિશામાં ધ્યાન આપવું જરૂરી બન્યું છે.