રાજકોટમાં 47 વર્ષીય પૂજાબેન જાદવ નામની એક વિધવા મહિલાને મૂળ હરિદ્વારના આરોપી રાજેન્દ્ર સરદારીલાલ શેઠી સાથે આઠેક વર્ષથી પ્રેમ સંબંધ હતો
26/9/2016 ના રોજ આરોપી રાજેન્દ્ર શેઠી વિધવા પ્રેમીકા રિક્ષામાં બહાર ગયા
બપોર સુધી માતા પોતાના ઘરે પરત નહીં આવતા તેની દીકરી ગ્રીષ્માએ પોતાની માતાને ફોન કર્યો
બે દિવસ બાદ તપાસ દરમિયાન મહિલાની અમદાવાદ હાઈ-વે પર ગુંદા ગામના પાટીયા પાસે નાલા નીચેથી બોથડ પદાર્થના ઘા ઝીંકેલી હાલતમાં લાશ મળી આવી
WatchGujarat. અમદાવાદ હાઈ-વે પર ગુંદા ગામના પાટીયા પાસે પાંચ વર્ષ પૂર્વે રેલ્વેકર્મી વિધવા મહિલાને પ્રેમીએ માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી હતી. સમગ્ર મામલે પ્રેમી સાથે સાથે રિક્ષામાં બેસી અને સોમનાથ ફરવા ગયા બાદ બે દિવસે લાશ મળતાં તેના પુત્રીએ ફરિયાદ નોંધાવતા આરોપી પ્રેમીની ધરપકડ થઈ હતી. આ અંગેનો કેસ ચાલી જતા પ્રેમિકાની હત્યા કરનાર આરોપી પ્રેમીને તકસીરવાન ઠેરવીને અદાલતે આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની વિગત મુજબ, રાજકોટમાં આવેલા કોઠી કંપાઉન્ડમાં રહેતી અને રેલ્વેમાં ખલાસી વિભાગમાં પતિના મૃત્યુ બાદ રહેમ રાહે નોકરી કરતી 47 વર્ષીય પૂજાબેન જાદવ નામની એક વિધવા મહિલાને મૂળ હરિદ્વારના આરોપી રાજેન્દ્ર સરદારીલાલ શેઠી સાથે આઠેક વર્ષથી પ્રેમ સંબંધ હતો. ગત તા.26/9/2016 ના રોજ આરોપી રાજેન્દ્ર શેઠી વિધવા પ્રેમીકા રિક્ષામાં બહાર ગયા હતા. બપોર સુધી માતા પોતાના ઘરે પરત નહીં આવતા તેની દીકરી ગ્રીષ્માએ પોતાની માતાને ફોન કર્યો હતો. જે ફોન રાજેન્દ્ર શેઠીએ ઉપાડ્યો હતો અને આરોપી રાજેન્દ્ર શેઠીએ ગ્રિષ્માને બન્ને સોમનાથ જઈ રહ્યા છીએ તેમ કહી ફોન કાપી નાંખ્યો હતો.
બીજા દિવસે માતા ઘરે નહીં આવતાં ગ્રિષ્માએ મોટી બહેન પ્રિતીબેનને જાણ કરતાં પ્રિતીબેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે બે દિવસ બાદ તપાસ દરમિયાન મહિલાની અમદાવાદ હાઈ-વે પર ગુંદા ગામના પાટીયા પાસે નાલા નીચેથી બોથડ પદાર્થના ઘા ઝીંકેલી હાલતમાં લાશ મળી આવી હતી. ફરિયાદના આધારે પોલીસે પ્રેમી રાજેન્દ્ર શેઠી વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલતાં બન્ને પક્ષની રજૂઆતો અને દલીલોને ધ્યાને લઈ કોર્ટે પ્રેમી રાજેન્દ્રને અદાલતે તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં સરકાર તરફથી જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતાં.
રાજકોટમાં 47 વર્ષીય પૂજાબેન જાદવ નામની એક વિધવા મહિલાને મૂળ હરિદ્વારના આરોપી રાજેન્દ્ર સરદારીલાલ શેઠી સાથે આઠેક વર્ષથી પ્રેમ સંબંધ હતો
26/9/2016 ના રોજ આરોપી રાજેન્દ્ર શેઠી વિધવા પ્રેમીકા રિક્ષામાં બહાર ગયા
બપોર સુધી માતા પોતાના ઘરે પરત નહીં આવતા તેની દીકરી ગ્રીષ્માએ પોતાની માતાને ફોન કર્યો
બે દિવસ બાદ તપાસ દરમિયાન મહિલાની અમદાવાદ હાઈ-વે પર ગુંદા ગામના પાટીયા પાસે નાલા નીચેથી બોથડ પદાર્થના ઘા ઝીંકેલી હાલતમાં લાશ મળી આવી
WatchGujarat. અમદાવાદ હાઈ-વે પર ગુંદા ગામના પાટીયા પાસે પાંચ વર્ષ પૂર્વે રેલ્વેકર્મી વિધવા મહિલાને પ્રેમીએ માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી હતી. સમગ્ર મામલે પ્રેમી સાથે સાથે રિક્ષામાં બેસી અને સોમનાથ ફરવા ગયા બાદ બે દિવસે લાશ મળતાં તેના પુત્રીએ ફરિયાદ નોંધાવતા આરોપી પ્રેમીની ધરપકડ થઈ હતી. આ અંગેનો કેસ ચાલી જતા પ્રેમિકાની હત્યા કરનાર આરોપી પ્રેમીને તકસીરવાન ઠેરવીને અદાલતે આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની વિગત મુજબ, રાજકોટમાં આવેલા કોઠી કંપાઉન્ડમાં રહેતી અને રેલ્વેમાં ખલાસી વિભાગમાં પતિના મૃત્યુ બાદ રહેમ રાહે નોકરી કરતી 47 વર્ષીય પૂજાબેન જાદવ નામની એક વિધવા મહિલાને મૂળ હરિદ્વારના આરોપી રાજેન્દ્ર સરદારીલાલ શેઠી સાથે આઠેક વર્ષથી પ્રેમ સંબંધ હતો. ગત તા.26/9/2016 ના રોજ આરોપી રાજેન્દ્ર શેઠી વિધવા પ્રેમીકા રિક્ષામાં બહાર ગયા હતા. બપોર સુધી માતા પોતાના ઘરે પરત નહીં આવતા તેની દીકરી ગ્રીષ્માએ પોતાની માતાને ફોન કર્યો હતો. જે ફોન રાજેન્દ્ર શેઠીએ ઉપાડ્યો હતો અને આરોપી રાજેન્દ્ર શેઠીએ ગ્રિષ્માને બન્ને સોમનાથ જઈ રહ્યા છીએ તેમ કહી ફોન કાપી નાંખ્યો હતો.
બીજા દિવસે માતા ઘરે નહીં આવતાં ગ્રિષ્માએ મોટી બહેન પ્રિતીબેનને જાણ કરતાં પ્રિતીબેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે બે દિવસ બાદ તપાસ દરમિયાન મહિલાની અમદાવાદ હાઈ-વે પર ગુંદા ગામના પાટીયા પાસે નાલા નીચેથી બોથડ પદાર્થના ઘા ઝીંકેલી હાલતમાં લાશ મળી આવી હતી. ફરિયાદના આધારે પોલીસે પ્રેમી રાજેન્દ્ર શેઠી વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલતાં બન્ને પક્ષની રજૂઆતો અને દલીલોને ધ્યાને લઈ કોર્ટે પ્રેમી રાજેન્દ્રને અદાલતે તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં સરકાર તરફથી જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતાં.