મૃતકની પત્ની જયશ્રીબેને બે દિવસ પહેલા જ પતિએ કાતરથી હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી
સવારે પીડીએમ કોલેજ સામેના ફાટક પાસે એક યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કર્યો
મારી પત્નિ જયશ્રી, બંને પુત્ર સુમિત અને વિરલ મને અસહ્ય હેરાન પરેશાન કરે છે. છેલ્લા બે દિવસથી મને ઢોર માર મારવામાં આવ્યો છે – મૃતકની અંતિમ ચીઠ્ઠી
WatchGujarat. શહેરમાં પત્નીનાં આડા સંબંધોથી ત્રસ્ત એક પતિનાં આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં મવડી ચોકડી પાસે ઉદયનગરમાં રહેતાં યુવાન જયસુખભાઇ એલ. વાડોદરીયાએ પી.ડી.એમ. કોલેજના ફાટક પાસે ટ્રેન હેઠળ પડતું મુકીને જિંદગી ટૂંકાવી હતી. આપઘાત પહેલા આ યુવાને એક ચિઠ્ઠી લખી છે. જેમાં પત્નિના આડા સંબંધો ઉપરાંત બે પુત્રોના અસહ્ય મારથી પોતે કંટાળી ગયાના ચોંકાવનારા આક્ષેપો કરવાની સાથે જ પોલીસ કમિશ્નરને સંબોધી ન્યાય અપાવવા અપીલ કરી છે. તો પત્નીને સંબોધીને લખ્યું છે કે, 'હવે મેરૂ સાથે જિંદગી કાઢજે એ તારો જાનું છે અને તને બધું પૂરું પાડે છે.ઉલ્લેખનીય છે કે મૃતકની પત્ની જયશ્રીબેને બે દિવસ પહેલા જ પતિએ કાતરથી હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પતિ દારૂ પી મારકુટ કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ, સવારે પીડીએમ કોલેજ સામેના ફાટક પાસે એક યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં તરત જ માલવીયાનગર પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસ તપાસ દરમિયાન આપઘાત કરનાર આ યુવકનું નામ જયસુખભાઇ હોવાનું જાણવા મળ્યું હતું. અને તેની પાસેથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં મૃતકે અનેક ચોંકાવનારા આક્ષેપો કર્યા છે.
તેમણે ચિઠ્ઠીમાં લખ્યું છે કે-શ્રીમાન કમિશ્નર સાહેબશ્રી આ મારી સ્યુસાઇડ નોટમાં સાચી હકિકત જણાવીશ તો તેનો અમલ વહેલાસર કરવા બાબત. હું છેલ્લા ત્રણ વર્ષથી પરેશાન છું. મારી પત્નિ જયશ્રી, બંને પુત્ર સુમિત અને વિરલ મને અસહ્ય હેરાન પરેશાન કરે છે. છેલ્લા બે દિવસથી મને ઢોર માર મારવામાં આવ્યો છે. તે વિશે મારા પડોશમાં પુછપરછ કરવા વિનંતી છે. મારા બંને પુત્રોને આકરામાં આકરી સજા થાય તેવી મારી નમ્ર વિનંતી છે.
ચિઠ્ઠીમાં વધુમાં જણાવ્યા મુજબ, ગઇકાલે સાંજે ચાર વાગ્યા આસપાસ રૂમનું બારણું બંધ કરીને મને ઢોર માર મારવામાં આવ્યો હતો. મારી પત્નિ ગાળો દઇ હાથમાં સાવરણી અને પ્લાસ્ટીકનો પાઇપ લઇને તૂટી પડી હતી. નાના છોકરાએ મારા મોઢાના 6 દાંત પાડી નાંખ્યા હતાં. મોટા પુત્ર સુમિતે કમરપટ્ટાથી માર માર્યો હતો. પટ્ટાના છ સાત કટકા થઇ ગયા તોય બંધ નહોતો થયો. મારો વાંક ગુનો શું હતો તો મને ઢોર માર મારવામાં આવ્યો? પાંચ દિવસથી ખાવાનું નથી આપ્યું. આજીવન કેદની સજા થાય મારા મોટા પુત્રને એવું હું ઇચ્છુ છુ઼.
ચિઠ્ઠીમાં આગળ લખ્યું છે કે, મારી જ પત્નિની ચાલ ચલગત સારી નથી. તેની વિગત હું સબુત સાથે લખીશ. તમે આ બધાને કડક સજા થાય તેવા ઇમાનદાર પોલીસ સાહેબને કેસ આપજો. મારા છોકરા બંનેને કૂકડા બનાવીને સરઘસ કાઢજો. અત્યારે મારી તબિયત સારી નથી. હાથ પગ મોઢુ બધુ દુઃખે છે, શ્વાસ માંડ લઇ શકુ છું. મારી ડેડ બોડી પીએમ કરો ત્યારે તમને ખબર પડશે કે મને કેટલો માર મારવામાં આવ્યો હતો. મારી પત્નિની વિગત લખુ છું. રાજભા, મંગલ પાંડે, સરોજ, પૂનમ, નાગજી, હંસાબેન, મેરૂભાઇ, મહેશ્વરી સહિતના નામો પણ ચિઠ્ઠીમાં છે. આનો ઓડિયો મોબાઇલમાં છે. મારો મોબાઇલ મારા મોટા છોકરા સુમિત પાસેથી લઇ લેજો સબૂત મળી જાશે.
મારી બાપદાદાની મિલ્કત 30-40 લાખની કિંમતનું મકાન મારી પત્નિ જયશ્રીએ તેના પ્રેમી મેરૂ ફાંગલીયા સાથે મળીને 1.80 લાખમાં પડાવી લીધું છે. મેરૂના ભત્રીજા હિરેન અને તેની પત્નિના નામે લખાવેલ છે. તેનો ન્યાય મને મળવો જોઇએ. માફ કરજો જયશ્રી, પણ તે મારી એક વાત માની હોત તો હું આ પગલુ ન ભરત, હવે તું આઝાદ. મારા મરણ પછી મારું હોન્ડા મારા ભત્રીજા અમિત જયંતિભાઇને સોંપજો. મારી પત્નિને કહેજો કે હવે મેરૂ સાથે જિંદગી કાઢજે, ઇ તારો જાનુ છે, તને બધુ પુરૂ પાડે છે.
મૃતકની પત્ની જયશ્રીબેને બે દિવસ પહેલા જ પતિએ કાતરથી હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી
સવારે પીડીએમ કોલેજ સામેના ફાટક પાસે એક યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કર્યો
મારી પત્નિ જયશ્રી, બંને પુત્ર સુમિત અને વિરલ મને અસહ્ય હેરાન પરેશાન કરે છે. છેલ્લા બે દિવસથી મને ઢોર માર મારવામાં આવ્યો છે – મૃતકની અંતિમ ચીઠ્ઠી
WatchGujarat. શહેરમાં પત્નીનાં આડા સંબંધોથી ત્રસ્ત એક પતિનાં આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં મવડી ચોકડી પાસે ઉદયનગરમાં રહેતાં યુવાન જયસુખભાઇ એલ. વાડોદરીયાએ પી.ડી.એમ. કોલેજના ફાટક પાસે ટ્રેન હેઠળ પડતું મુકીને જિંદગી ટૂંકાવી હતી. આપઘાત પહેલા આ યુવાને એક ચિઠ્ઠી લખી છે. જેમાં પત્નિના આડા સંબંધો ઉપરાંત બે પુત્રોના અસહ્ય મારથી પોતે કંટાળી ગયાના ચોંકાવનારા આક્ષેપો કરવાની સાથે જ પોલીસ કમિશ્નરને સંબોધી ન્યાય અપાવવા અપીલ કરી છે. તો પત્નીને સંબોધીને લખ્યું છે કે, 'હવે મેરૂ સાથે જિંદગી કાઢજે એ તારો જાનું છે અને તને બધું પૂરું પાડે છે.ઉલ્લેખનીય છે કે મૃતકની પત્ની જયશ્રીબેને બે દિવસ પહેલા જ પતિએ કાતરથી હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પતિ દારૂ પી મારકુટ કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ, સવારે પીડીએમ કોલેજ સામેના ફાટક પાસે એક યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં તરત જ માલવીયાનગર પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસ તપાસ દરમિયાન આપઘાત કરનાર આ યુવકનું નામ જયસુખભાઇ હોવાનું જાણવા મળ્યું હતું. અને તેની પાસેથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં મૃતકે અનેક ચોંકાવનારા આક્ષેપો કર્યા છે.
તેમણે ચિઠ્ઠીમાં લખ્યું છે કે-શ્રીમાન કમિશ્નર સાહેબશ્રી આ મારી સ્યુસાઇડ નોટમાં સાચી હકિકત જણાવીશ તો તેનો અમલ વહેલાસર કરવા બાબત. હું છેલ્લા ત્રણ વર્ષથી પરેશાન છું. મારી પત્નિ જયશ્રી, બંને પુત્ર સુમિત અને વિરલ મને અસહ્ય હેરાન પરેશાન કરે છે. છેલ્લા બે દિવસથી મને ઢોર માર મારવામાં આવ્યો છે. તે વિશે મારા પડોશમાં પુછપરછ કરવા વિનંતી છે. મારા બંને પુત્રોને આકરામાં આકરી સજા થાય તેવી મારી નમ્ર વિનંતી છે.
ચિઠ્ઠીમાં વધુમાં જણાવ્યા મુજબ, ગઇકાલે સાંજે ચાર વાગ્યા આસપાસ રૂમનું બારણું બંધ કરીને મને ઢોર માર મારવામાં આવ્યો હતો. મારી પત્નિ ગાળો દઇ હાથમાં સાવરણી અને પ્લાસ્ટીકનો પાઇપ લઇને તૂટી પડી હતી. નાના છોકરાએ મારા મોઢાના 6 દાંત પાડી નાંખ્યા હતાં. મોટા પુત્ર સુમિતે કમરપટ્ટાથી માર માર્યો હતો. પટ્ટાના છ સાત કટકા થઇ ગયા તોય બંધ નહોતો થયો. મારો વાંક ગુનો શું હતો તો મને ઢોર માર મારવામાં આવ્યો? પાંચ દિવસથી ખાવાનું નથી આપ્યું. આજીવન કેદની સજા થાય મારા મોટા પુત્રને એવું હું ઇચ્છુ છુ઼.
ચિઠ્ઠીમાં આગળ લખ્યું છે કે, મારી જ પત્નિની ચાલ ચલગત સારી નથી. તેની વિગત હું સબુત સાથે લખીશ. તમે આ બધાને કડક સજા થાય તેવા ઇમાનદાર પોલીસ સાહેબને કેસ આપજો. મારા છોકરા બંનેને કૂકડા બનાવીને સરઘસ કાઢજો. અત્યારે મારી તબિયત સારી નથી. હાથ પગ મોઢુ બધુ દુઃખે છે, શ્વાસ માંડ લઇ શકુ છું. મારી ડેડ બોડી પીએમ કરો ત્યારે તમને ખબર પડશે કે મને કેટલો માર મારવામાં આવ્યો હતો. મારી પત્નિની વિગત લખુ છું. રાજભા, મંગલ પાંડે, સરોજ, પૂનમ, નાગજી, હંસાબેન, મેરૂભાઇ, મહેશ્વરી સહિતના નામો પણ ચિઠ્ઠીમાં છે. આનો ઓડિયો મોબાઇલમાં છે. મારો મોબાઇલ મારા મોટા છોકરા સુમિત પાસેથી લઇ લેજો સબૂત મળી જાશે.
મારી બાપદાદાની મિલ્કત 30-40 લાખની કિંમતનું મકાન મારી પત્નિ જયશ્રીએ તેના પ્રેમી મેરૂ ફાંગલીયા સાથે મળીને 1.80 લાખમાં પડાવી લીધું છે. મેરૂના ભત્રીજા હિરેન અને તેની પત્નિના નામે લખાવેલ છે. તેનો ન્યાય મને મળવો જોઇએ. માફ કરજો જયશ્રી, પણ તે મારી એક વાત માની હોત તો હું આ પગલુ ન ભરત, હવે તું આઝાદ. મારા મરણ પછી મારું હોન્ડા મારા ભત્રીજા અમિત જયંતિભાઇને સોંપજો. મારી પત્નિને કહેજો કે હવે મેરૂ સાથે જિંદગી કાઢજે, ઇ તારો જાનુ છે, તને બધુ પુરૂ પાડે છે.