રાજકોટ રૈયા ગામમાં 10,000 ચો.મી. પર સરકારી પદ્મકુંવરબા હોસ્પિટલનું નિર્માણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વહીવટી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી
ગુંદાવાડી ખાતે પદ્મકુંવરબા હોસ્પિટલ આરોગ્ય સુવિધા પુરી પાડી રહી છે, જે બાદ રૈયા ગામમાં પણ હવે રાજ્ય સરકાર દ્વારા પદ્મકુંવરબા સિવીલ હોસ્પિટલનુંં નિર્માણ કરવામાં આવનાર છે
જામનગર રોડ પર એઇમ્સ ખાતે આગામી માસથી ઓપીડીની સુવિધા શરુ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી છે
WatchGujarat. સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં નવા વિસ્તારો અને વસ્તીની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરની જનસંખ્યા વધીને 20 લાખની ઉપર પહોંચી ગયો છે. જેના પગલે હવે શહેરમાં વધુ એક સરકારી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવનાર છે. આ માટે રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા રૈયામાં 10,000 ચો.મી.ની જમીનની ફાળવણી કરવામાં આવી છે.
રાજકોટમાં રૈયા ગામમાં 10,000 ચો.મી. પર સરકારી પદ્મકુંવરબા હોસ્પિટલનું નિર્માણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વહીવટી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સિવીલ હોસ્પિટલ કેમ્પસમાં હાલ સિવીલ તેમજ જનાના એમ બે હોસ્પિટલ કાર્યરત છે. જ્યારે ગુંદાવાડી ખાતે પદ્મકુંવરબા હોસ્પિટલ આરોગ્ય સુવિધા પુરી પાડી રહી છે. જે બાદ રૈયા ગામમાં પણ હવે રાજ્ય સરકાર દ્વારા પદ્મકુંવરબા સિવીલ હોસ્પિટલનુંં નિર્માણ કરવામાં આવનાર છે.
આ સંદર્ભે રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, રૈયા ગામમાં નિર્માણ પામનાર આ પદ્મકુંવરબા સિવીલ હોસ્પિટલ માટે 10,000 ચો.મી. જમીનની ફાળવણી કરી દેવામાં આવી છે. આ અંગે રાજ્ય સરકારની મંજૂરી માંગવામાં આવી છે. જે મળતા જ આ હોસ્પિટલનું નિર્માણ કાર્ય પણ ઝડપભેર આગળ વધશે. ઉલ્લેખનીય છે કે, જામનગર રોડ પર એઇમ્સ ખાતે આગામી માસથી ઓપીડીની સુવિધા શરુ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી છે. જો કે કોરોના કાળમાં સરકારી હોસ્પિટલોમાં બેડની અછત સર્જાતા દર્દીઓને ન છૂટકે ખાનગી હોસ્પિટલોમાં મોંઘીદાટ સારવારનો સહારો લેવો પડયો હતો. જેને પગલે વધુ એક હોસ્પિટલનું નિર્માણ કરવા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.
- રાજકોટ રૈયા ગામમાં 10,000 ચો.મી. પર સરકારી પદ્મકુંવરબા હોસ્પિટલનું નિર્માણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વહીવટી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી
- ગુંદાવાડી ખાતે પદ્મકુંવરબા હોસ્પિટલ આરોગ્ય સુવિધા પુરી પાડી રહી છે, જે બાદ રૈયા ગામમાં પણ હવે રાજ્ય સરકાર દ્વારા પદ્મકુંવરબા સિવીલ હોસ્પિટલનુંં નિર્માણ કરવામાં આવનાર છે
- જામનગર રોડ પર એઇમ્સ ખાતે આગામી માસથી ઓપીડીની સુવિધા શરુ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી છે
WatchGujarat. સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં નવા વિસ્તારો અને વસ્તીની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરની જનસંખ્યા વધીને 20 લાખની ઉપર પહોંચી ગયો છે. જેના પગલે હવે શહેરમાં વધુ એક સરકારી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવનાર છે. આ માટે રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા રૈયામાં 10,000 ચો.મી.ની જમીનની ફાળવણી કરવામાં આવી છે.
રાજકોટમાં રૈયા ગામમાં 10,000 ચો.મી. પર સરકારી પદ્મકુંવરબા હોસ્પિટલનું નિર્માણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વહીવટી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સિવીલ હોસ્પિટલ કેમ્પસમાં હાલ સિવીલ તેમજ જનાના એમ બે હોસ્પિટલ કાર્યરત છે. જ્યારે ગુંદાવાડી ખાતે પદ્મકુંવરબા હોસ્પિટલ આરોગ્ય સુવિધા પુરી પાડી રહી છે. જે બાદ રૈયા ગામમાં પણ હવે રાજ્ય સરકાર દ્વારા પદ્મકુંવરબા સિવીલ હોસ્પિટલનુંં નિર્માણ કરવામાં આવનાર છે.
આ સંદર્ભે રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, રૈયા ગામમાં નિર્માણ પામનાર આ પદ્મકુંવરબા સિવીલ હોસ્પિટલ માટે 10,000 ચો.મી. જમીનની ફાળવણી કરી દેવામાં આવી છે. આ અંગે રાજ્ય સરકારની મંજૂરી માંગવામાં આવી છે. જે મળતા જ આ હોસ્પિટલનું નિર્માણ કાર્ય પણ ઝડપભેર આગળ વધશે. ઉલ્લેખનીય છે કે, જામનગર રોડ પર એઇમ્સ ખાતે આગામી માસથી ઓપીડીની સુવિધા શરુ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી છે. જો કે કોરોના કાળમાં સરકારી હોસ્પિટલોમાં બેડની અછત સર્જાતા દર્દીઓને ન છૂટકે ખાનગી હોસ્પિટલોમાં મોંઘીદાટ સારવારનો સહારો લેવો પડયો હતો. જેને પગલે વધુ એક હોસ્પિટલનું નિર્માણ કરવા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.