WatchGujarat. કોઈ અનિશ્ચિત કારણોથી મૃત્યુ થયું હોય ત્યારે તેની "ઓટોપ્સી" કરવામાં આવે છે. ખાસ જ્યારે મૃત્યુનું કારણ ખબર ન હોય ત્યારે ઓટોપ્સી એટલે કે શબ પરીક્ષણ કરવામાં આવે છે. શબ પરીક્ષણના ઘણા પેટા પ્રકારો છે, જે પૈકી એક "મનોવૈજ્ઞાનિક ઓટોપ્સી" મહત્વનો પ્રકાર છે. સુશાંતસિંહનું મૃત્યુ 'ડિપ્રેશન હેઠળ આત્મહત્યા' જાહેર થયા બાદ 'મનોવૈજ્ઞાનિક ઓટોપ્સી' કરવામાં આવી હતી. મનોવૈજ્ઞાનિક શબ પરીક્ષણની માહિતી આપતા મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ અને ડો.ધારા આર. દોશી જણાવે છે કે આ પ્રક્રિયા કોઈ વ્યક્તિના મૃત્યુનું કારણ શોધવા માટે કરવામાં આવે છે, ખાસ આત્મહત્યા અને અકસ્માતના કિસ્સામાં જ્યાં પોલીસ આ બાબતની તપાસ કરી રહી હોય ત્યાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
મનોવૈજ્ઞાનિક ઓટોપ્સી એટલે શું?
મનોવૈજ્ઞાનિક ઓટોપ્સી એ મૃત્યુ કેસમાં હાથ ધરવામાં આવતી ડાયગ્નોસ્ટિક પ્રક્રિયા છે. જ્યાં મૃત્યુ કઈ રીતે થયું એ અસ્પષ્ટ હોય અથવા મુખ્ય કારણ અનિશ્ચિત હોય ત્યારે તેનો ઉપગોગ કરવામાં આવે છે.
અન્ય શબ્દોમાં કહીએ તો, મૃત વ્યક્તિ પર મનોવૈજ્ઞાનિક શબપરીક્ષણ કરવામાં આવે છે જે મૃત્યુ પહેલાં તેમની માનસિક સ્થિતિ શોધવા માટે તેમની મનોવૈજ્ઞાનિક એટલે કે માનસિકતાનો અભ્યાસ કરે છે. મનોવૈજ્ઞાનિક શબપરીક્ષણના ઘણા કારણો છે પરંતુ મુખ્ય કારણ એ છે કે વ્યક્તિના મૃત્યુનું કારણ કે મૃત્યુ કુદરતી છે, હત્યા છે કે આત્મહત્યા છે અને તે વ્યક્તિ કોઈ માનસિક દબાણ હેઠળ હતી કે નહીં જેના કારણે તેનું મૃત્યુ થાય છે એ શોધવા તેનો ઉપયોગ થાય છે. જો કે, આ દરેક કિસ્સામાં કરવામાં આવતું નથી. માત્ર એવા કિસ્સાઓમાં જ્યાં મૃત્યુનું કારણ અથવા સ્વરૂપ સ્પષ્ટ નથી, આ પ્રક્રિયા કરવામાં આવે છે.
મનોવૈજ્ઞાનિક ઓટોપ્સી કરવા માટે જરૂરી મહિતીઓ
#વ્યક્તિની જીવનશૈલી, સંબંધો, તણાવ, કોઈપણ પ્રકારના દ્રવ્યનો દુરુપયોગ (ડ્રગ, આલ્કોહોલ) અથવા હાલની મનોવૈજ્ઞાનિક સ્થિતિ જેવી વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક માહિતી.
#જીવનચરિત્ર માહિતી જેમ કે જન્મ તારીખ, રહેઠાણ, વ્યવસાય અને સંબંધની સ્થિતિ
#વ્યક્તિનો ગુનાહિત રેકોર્ડ અથવા કૌટુંબિક ઇતિહાસ
#કુટુંબના સભ્યો સાથે અંગત વાતચીત દ્વારા અમુક માહિતી એકત્રિત કરવામાં આવે છે.
# વ્યક્તિની મનોવૈજ્ઞાનિક સ્થિતિ કે તે કોઈ માનસિક રોગની દવાઓ લેતા કે નહીં?
તમામ માહિતી એકત્ર કર્યા પછી, ફોરેન્સિક ટીમ મનોવૈજ્ઞાનિક શબપરીક્ષણ શરૂ કરે છે.
શું દરેક કિસ્સામાં મનોવૈજ્ઞાનિક ઓટોપ્સી કરવામાં આવે છે?
દરેક કિસ્સામાં મનોવૈજ્ઞાનિક ઓટોપ્સી કરવાની જરૂર નથી હોતી. મૃત્યુના કિસ્સામાં જ્યાં મૃત્યુનું કારણ અને સ્વરૂપ સ્પષ્ટ છે, ત્યાં મનોવૈજ્ઞાનિક ઓટોપ્સી કરવાનો કોઈ અર્થ નથી. આ ટેક્નિકનો ઉપયોગ કેટલાક કિસ્સાઓમાં કરવામાં આવે છે, જ્યાં મૃત્યુ પાછળનું સત્ય હજુ સુધી ઓળખાયું નથી ત્યાં તપાસ કરનાર ટીમ માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ સાધન છે કારણ કે તે તેમને આ બાબતે સ્પષ્ટતા મેળવવામાં મદદ કરે છે. મનોવૈજ્ઞાનિક ઓટોપ્સી મોટે ભાગે એવા કિસ્સાઓમાં હાથ ધરવામાં આવે છે જ્યાં મૃત વ્યક્તિની માનસિક સ્થિતિ એક મહત્વપૂર્ણ પરિબળ હોય છે.
આપણે જાણીએ છીએ કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને "ડિપ્રેશન હેઠળ આત્મહત્યા" તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને તે બાયપોલર ડિસઓર્ડરથી પીડિત હતો, પરંતુ તેની વાસ્તવિક મનોવૈજ્ઞાનિક સ્થિતિ કોઈને ખબર નથી કારણ કે તે એકલા રહેતા હતા અને થોડા મહિનાઓથી ઘણા લોકોના સંપર્કમાં નહોતા. હજુ પણ ઘણા લોકોને પ્રશ્ન થતો હોય કે તેમની આત્મહત્યા હતી કે હત્યા? આવા કિસ્સામાં મનોવૈજ્ઞાનિક ઓટોપ્સીનો ઉપયોગ થઈ શકે.
ટેક્નિક
મનોવૈજ્ઞાનિક શબપરીક્ષણની અંદર, સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી અને સૌથી અસરકારક તકનીક MAPI છે, જેમાં M એટલે Mental (માનસિક) A એટલે Affective (ભાવનાત્મક) P એટલે Psycho social (મનો સામાજિક) અને I એટલે Inter relationship (આંતર વૈયક્તિક) આ પદ્ધતિ ઉપયોગી છે.
માનસિક: તે મૃત વ્યક્તિની બુદ્ધિ, સ્મૃતિ, ધ્યાન, નિર્ણય અને સમજશક્તિ વિશે માહિતી આપે છે. તેની જ્ઞાનાત્મક અને બુદ્ધિ વિશે માહિતી મેળવવામાં આવે છે
ભાવનાત્મક: વ્યક્તિને કોઈ પૂર્વગ્રહ કે કોઈ આવેગિક સમસ્યાઓ હતી કે કેમ? તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે. વ્યક્તિની લાગણી અને ભાવનાઓ વિશે જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
મનોસામાજિક: જેમાં વ્યક્તિની નાનપણથી શરૂ કરીને મૃત્યુ સુધીની માહિતી ભેગી કરવામાં આવે છે. તેનું નાનપણ કેવું વીત્યું હતું ને કેવી પરિસ્થિતિ હતી તે વિશે જાણવામાં આવે છે
આંતર વૈયક્તિક સંબધો: જેમાં વ્યક્તિના અન્ય વ્યક્તિની સાથેના સંબંધો વિશે જાણકારી મેળવવા માં આવે છે. આમ વ્યક્તિની સાથે જોડાયેલ બધી માહિતી ભેગી કરી તેનું મનોવૈજ્ઞાનિક શબ પરીક્ષણ એટલે કે મનોવૈજ્ઞાનિક ઓટોપ્સી કરવામાં આવે છે. જે મૃત્યુનું સાચું કારણ શોધવામાં મદદરૂપ નીવડે છે.
WatchGujarat. કોઈ અનિશ્ચિત કારણોથી મૃત્યુ થયું હોય ત્યારે તેની "ઓટોપ્સી" કરવામાં આવે છે. ખાસ જ્યારે મૃત્યુનું કારણ ખબર ન હોય ત્યારે ઓટોપ્સી એટલે કે શબ પરીક્ષણ કરવામાં આવે છે. શબ પરીક્ષણના ઘણા પેટા પ્રકારો છે, જે પૈકી એક "મનોવૈજ્ઞાનિક ઓટોપ્સી" મહત્વનો પ્રકાર છે. સુશાંતસિંહનું મૃત્યુ 'ડિપ્રેશન હેઠળ આત્મહત્યા' જાહેર થયા બાદ 'મનોવૈજ્ઞાનિક ઓટોપ્સી' કરવામાં આવી હતી. મનોવૈજ્ઞાનિક શબ પરીક્ષણની માહિતી આપતા મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ અને ડો.ધારા આર. દોશી જણાવે છે કે આ પ્રક્રિયા કોઈ વ્યક્તિના મૃત્યુનું કારણ શોધવા માટે કરવામાં આવે છે, ખાસ આત્મહત્યા અને અકસ્માતના કિસ્સામાં જ્યાં પોલીસ આ બાબતની તપાસ કરી રહી હોય ત્યાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
મનોવૈજ્ઞાનિક ઓટોપ્સી એટલે શું?
મનોવૈજ્ઞાનિક ઓટોપ્સી એ મૃત્યુ કેસમાં હાથ ધરવામાં આવતી ડાયગ્નોસ્ટિક પ્રક્રિયા છે. જ્યાં મૃત્યુ કઈ રીતે થયું એ અસ્પષ્ટ હોય અથવા મુખ્ય કારણ અનિશ્ચિત હોય ત્યારે તેનો ઉપગોગ કરવામાં આવે છે.
અન્ય શબ્દોમાં કહીએ તો, મૃત વ્યક્તિ પર મનોવૈજ્ઞાનિક શબપરીક્ષણ કરવામાં આવે છે જે મૃત્યુ પહેલાં તેમની માનસિક સ્થિતિ શોધવા માટે તેમની મનોવૈજ્ઞાનિક એટલે કે માનસિકતાનો અભ્યાસ કરે છે. મનોવૈજ્ઞાનિક શબપરીક્ષણના ઘણા કારણો છે પરંતુ મુખ્ય કારણ એ છે કે વ્યક્તિના મૃત્યુનું કારણ કે મૃત્યુ કુદરતી છે, હત્યા છે કે આત્મહત્યા છે અને તે વ્યક્તિ કોઈ માનસિક દબાણ હેઠળ હતી કે નહીં જેના કારણે તેનું મૃત્યુ થાય છે એ શોધવા તેનો ઉપયોગ થાય છે. જો કે, આ દરેક કિસ્સામાં કરવામાં આવતું નથી. માત્ર એવા કિસ્સાઓમાં જ્યાં મૃત્યુનું કારણ અથવા સ્વરૂપ સ્પષ્ટ નથી, આ પ્રક્રિયા કરવામાં આવે છે.
મનોવૈજ્ઞાનિક ઓટોપ્સી કરવા માટે જરૂરી મહિતીઓ
- #વ્યક્તિની જીવનશૈલી, સંબંધો, તણાવ, કોઈપણ પ્રકારના દ્રવ્યનો દુરુપયોગ (ડ્રગ, આલ્કોહોલ) અથવા હાલની મનોવૈજ્ઞાનિક સ્થિતિ જેવી વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક માહિતી.
- #જીવનચરિત્ર માહિતી જેમ કે જન્મ તારીખ, રહેઠાણ, વ્યવસાય અને સંબંધની સ્થિતિ
- #વ્યક્તિનો ગુનાહિત રેકોર્ડ અથવા કૌટુંબિક ઇતિહાસ
- #કુટુંબના સભ્યો સાથે અંગત વાતચીત દ્વારા અમુક માહિતી એકત્રિત કરવામાં આવે છે.
- # વ્યક્તિની મનોવૈજ્ઞાનિક સ્થિતિ કે તે કોઈ માનસિક રોગની દવાઓ લેતા કે નહીં?
- તમામ માહિતી એકત્ર કર્યા પછી, ફોરેન્સિક ટીમ મનોવૈજ્ઞાનિક શબપરીક્ષણ શરૂ કરે છે.
શું દરેક કિસ્સામાં મનોવૈજ્ઞાનિક ઓટોપ્સી કરવામાં આવે છે?
દરેક કિસ્સામાં મનોવૈજ્ઞાનિક ઓટોપ્સી કરવાની જરૂર નથી હોતી. મૃત્યુના કિસ્સામાં જ્યાં મૃત્યુનું કારણ અને સ્વરૂપ સ્પષ્ટ છે, ત્યાં મનોવૈજ્ઞાનિક ઓટોપ્સી કરવાનો કોઈ અર્થ નથી. આ ટેક્નિકનો ઉપયોગ કેટલાક કિસ્સાઓમાં કરવામાં આવે છે, જ્યાં મૃત્યુ પાછળનું સત્ય હજુ સુધી ઓળખાયું નથી ત્યાં તપાસ કરનાર ટીમ માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ સાધન છે કારણ કે તે તેમને આ બાબતે સ્પષ્ટતા મેળવવામાં મદદ કરે છે. મનોવૈજ્ઞાનિક ઓટોપ્સી મોટે ભાગે એવા કિસ્સાઓમાં હાથ ધરવામાં આવે છે જ્યાં મૃત વ્યક્તિની માનસિક સ્થિતિ એક મહત્વપૂર્ણ પરિબળ હોય છે.
આપણે જાણીએ છીએ કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને "ડિપ્રેશન હેઠળ આત્મહત્યા" તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને તે બાયપોલર ડિસઓર્ડરથી પીડિત હતો, પરંતુ તેની વાસ્તવિક મનોવૈજ્ઞાનિક સ્થિતિ કોઈને ખબર નથી કારણ કે તે એકલા રહેતા હતા અને થોડા મહિનાઓથી ઘણા લોકોના સંપર્કમાં નહોતા. હજુ પણ ઘણા લોકોને પ્રશ્ન થતો હોય કે તેમની આત્મહત્યા હતી કે હત્યા? આવા કિસ્સામાં મનોવૈજ્ઞાનિક ઓટોપ્સીનો ઉપયોગ થઈ શકે.
ટેક્નિક
મનોવૈજ્ઞાનિક શબપરીક્ષણની અંદર, સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી અને સૌથી અસરકારક તકનીક MAPI છે, જેમાં M એટલે Mental (માનસિક) A એટલે Affective (ભાવનાત્મક) P એટલે Psycho social (મનો સામાજિક) અને I એટલે Inter relationship (આંતર વૈયક્તિક) આ પદ્ધતિ ઉપયોગી છે.
માનસિક: તે મૃત વ્યક્તિની બુદ્ધિ, સ્મૃતિ, ધ્યાન, નિર્ણય અને સમજશક્તિ વિશે માહિતી આપે છે. તેની જ્ઞાનાત્મક અને બુદ્ધિ વિશે માહિતી મેળવવામાં આવે છે
ભાવનાત્મક: વ્યક્તિને કોઈ પૂર્વગ્રહ કે કોઈ આવેગિક સમસ્યાઓ હતી કે કેમ? તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે. વ્યક્તિની લાગણી અને ભાવનાઓ વિશે જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
મનોસામાજિક: જેમાં વ્યક્તિની નાનપણથી શરૂ કરીને મૃત્યુ સુધીની માહિતી ભેગી કરવામાં આવે છે. તેનું નાનપણ કેવું વીત્યું હતું ને કેવી પરિસ્થિતિ હતી તે વિશે જાણવામાં આવે છે
આંતર વૈયક્તિક સંબધો: જેમાં વ્યક્તિના અન્ય વ્યક્તિની સાથેના સંબંધો વિશે જાણકારી મેળવવા માં આવે છે. આમ વ્યક્તિની સાથે જોડાયેલ બધી માહિતી ભેગી કરી તેનું મનોવૈજ્ઞાનિક શબ પરીક્ષણ એટલે કે મનોવૈજ્ઞાનિક ઓટોપ્સી કરવામાં આવે છે. જે મૃત્યુનું સાચું કારણ શોધવામાં મદદરૂપ નીવડે છે.