કોરોનાથી જીવ નથી ગુમાવતા એટલા લોકો માનસિકતા બગાડવાને કારણે બીમારીઓનાં શિકાર બની મોતને ભેંટી રહ્યા છે
મનોવિજ્ઞાન થેરાપી દ્વારા મને નવું જીવન મળ્યું છે – સાજા થનાર દર્દી
મનોવૈજ્ઞાનિક સારવાર બાદથી પહેલાની સરખામણીએ 50 ટકા કરતા વધુ સારી થઇ
WatchGuajrat. કોરોનાની મહામારીએ શરીરની સાથે લોકોના મન પર ગંભીર અસરો કરી છે. કોરોનાનાં નામ માત્રથી લોકો મનથી ભાંગી પડતા હોય છે. ત્યારે આવા કપરા સમયમાં મનોવિજ્ઞાનનાં કારણે અનેક લોકોને નવજીવન મળ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મનોવિજ્ઞાન ભવનનાં પ્રોફેસરોએ લોકોનો આ ડર દૂર કરવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે. આ મનોવિજ્ઞાન ભવનનાં અધ્યાપક ડો.હસમુખ ચાવડાની સહાયતાથી તમામ આશા છોડી દેનાર વ્યક્તિ સાજી થઇ હતી. જેને લઈને આ વ્યક્તિ અને તેના પરિવારે પોતાનો અનુભવ વર્ણવ્યો હતો. જે સાંભળીને તમે પણ કહેશો કે મનોવૈજ્ઞાનિક સહકારથી બધું જ શક્ય છે.
https://youtu.be/eXzDD-zjb5I
કોરોનાની સાથે માનસિક બીમારીનો ભોગ બનેલા એક દર્દીની દીકરી તન્વીએ જણાવ્યું હતું કે, હાલમાં લોકો કોરોનાથી જીવ નથી ગુમાવતા એટલા લોકો માનસિકતા બગાડવાને કારણે હાર્ટએટેક સહિતની બીમારીઓનાં શિકાર બની મોતને ભેંટી રહ્યા છે. મારા પિતા કોરોના ગ્રસ્ત થયા બાદ આવી જ માનસિકતાનો ભોગ બન્યા હતા. તેમનામાં કોરોનાનાં લક્ષણો માત્ર 10 ટકા હતા. પરંતુ ન્યુઝ ચેનલો જોઈ અને અખબારો વાંચીને તેમના મગજ પર જાણે કોરોના સવાર થઈ ગયો હતો. તેમજ આત્મહત્યા સુધીના વિચારો આવવા લાગતા જમવાનું પણ બંધ કરી દીધું હતું.
બાદમાં ડોક્ટરની સલાહથી અમે મનોવિજ્ઞાન ભવનનાં ડોક્ટર ડિમ્પલનો ઓનલાઈન સંપર્ક કર્યો હતો. તેમનાં દ્વારા ડો. ચાવડાનો સંપર્ક થયો અને કોરોના કાળ છતાં અમારી પરિસ્થિતિ જોઈને તેઓ ઘરે આવવા તૈયાર થઈ ગયા અને મારા પિતાની સારવાર શરૂ કરી. અને આ સારવાર શરૂ થયાનાં થોડા જ દિવસોમાં ચમત્કાર થયો, પિતાને જમવાનું અને દવાઓ લેવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે આજે તેમની તબિયત પહેલાની સરખામણીએ 50 ટકા કરતા વધુ સારી છે.
ભોગ બનનારનાં જણાવ્યા મુજબ, મનોવિજ્ઞાન થેરાપી દ્વારા મને નવું જીવન મળ્યું છે. અગાઉ મને આપઘાત સહિતના અનેક નેગેટિવ વિચારો આવતા હતા. તેમજ મારુ મોત નિશ્ચિત હોવાનું જણાય રહ્યું હતું. જેને લઈ હું ખાઈ-પી શકતો નહોતો. પરંતુ ચાવડા સાહેબે શરૂ કરેલી થેરાપી બાદ મારામાં જીવન જીવવાની આશા જાગૃત થઇ છે. અને હવે હું બે ટાઈમ જમવા લાગ્યો છું. અને ઘણો ખુશ છું. આ માટે હું ચાવડા સાહેબનો આભારી છું. અને લોકોને પણ કોરોનાનો કોઈ ભય ન રાખવાની સલાહ આપું છું.
કોરોનાથી જીવ નથી ગુમાવતા એટલા લોકો માનસિકતા બગાડવાને કારણે બીમારીઓનાં શિકાર બની મોતને ભેંટી રહ્યા છે
મનોવિજ્ઞાન થેરાપી દ્વારા મને નવું જીવન મળ્યું છે – સાજા થનાર દર્દી
મનોવૈજ્ઞાનિક સારવાર બાદથી પહેલાની સરખામણીએ 50 ટકા કરતા વધુ સારી થઇ
WatchGuajrat. કોરોનાની મહામારીએ શરીરની સાથે લોકોના મન પર ગંભીર અસરો કરી છે. કોરોનાનાં નામ માત્રથી લોકો મનથી ભાંગી પડતા હોય છે. ત્યારે આવા કપરા સમયમાં મનોવિજ્ઞાનનાં કારણે અનેક લોકોને નવજીવન મળ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મનોવિજ્ઞાન ભવનનાં પ્રોફેસરોએ લોકોનો આ ડર દૂર કરવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે. આ મનોવિજ્ઞાન ભવનનાં અધ્યાપક ડો.હસમુખ ચાવડાની સહાયતાથી તમામ આશા છોડી દેનાર વ્યક્તિ સાજી થઇ હતી. જેને લઈને આ વ્યક્તિ અને તેના પરિવારે પોતાનો અનુભવ વર્ણવ્યો હતો. જે સાંભળીને તમે પણ કહેશો કે મનોવૈજ્ઞાનિક સહકારથી બધું જ શક્ય છે.
કોરોનાની સાથે માનસિક બીમારીનો ભોગ બનેલા એક દર્દીની દીકરી તન્વીએ જણાવ્યું હતું કે, હાલમાં લોકો કોરોનાથી જીવ નથી ગુમાવતા એટલા લોકો માનસિકતા બગાડવાને કારણે હાર્ટએટેક સહિતની બીમારીઓનાં શિકાર બની મોતને ભેંટી રહ્યા છે. મારા પિતા કોરોના ગ્રસ્ત થયા બાદ આવી જ માનસિકતાનો ભોગ બન્યા હતા. તેમનામાં કોરોનાનાં લક્ષણો માત્ર 10 ટકા હતા. પરંતુ ન્યુઝ ચેનલો જોઈ અને અખબારો વાંચીને તેમના મગજ પર જાણે કોરોના સવાર થઈ ગયો હતો. તેમજ આત્મહત્યા સુધીના વિચારો આવવા લાગતા જમવાનું પણ બંધ કરી દીધું હતું.
બાદમાં ડોક્ટરની સલાહથી અમે મનોવિજ્ઞાન ભવનનાં ડોક્ટર ડિમ્પલનો ઓનલાઈન સંપર્ક કર્યો હતો. તેમનાં દ્વારા ડો. ચાવડાનો સંપર્ક થયો અને કોરોના કાળ છતાં અમારી પરિસ્થિતિ જોઈને તેઓ ઘરે આવવા તૈયાર થઈ ગયા અને મારા પિતાની સારવાર શરૂ કરી. અને આ સારવાર શરૂ થયાનાં થોડા જ દિવસોમાં ચમત્કાર થયો, પિતાને જમવાનું અને દવાઓ લેવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે આજે તેમની તબિયત પહેલાની સરખામણીએ 50 ટકા કરતા વધુ સારી છે.
ભોગ બનનારનાં જણાવ્યા મુજબ, મનોવિજ્ઞાન થેરાપી દ્વારા મને નવું જીવન મળ્યું છે. અગાઉ મને આપઘાત સહિતના અનેક નેગેટિવ વિચારો આવતા હતા. તેમજ મારુ મોત નિશ્ચિત હોવાનું જણાય રહ્યું હતું. જેને લઈ હું ખાઈ-પી શકતો નહોતો. પરંતુ ચાવડા સાહેબે શરૂ કરેલી થેરાપી બાદ મારામાં જીવન જીવવાની આશા જાગૃત થઇ છે. અને હવે હું બે ટાઈમ જમવા લાગ્યો છું. અને ઘણો ખુશ છું. આ માટે હું ચાવડા સાહેબનો આભારી છું. અને લોકોને પણ કોરોનાનો કોઈ ભય ન રાખવાની સલાહ આપું છું.