સૌરાષ્ટ્રના વિસ્તારમાં સંભવિત વાવાઝોડા સંદર્ભે કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવા વહિવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ
તમામ તાલુકામાં લાયઝન અધિકારીઓને ફરજ સોંપાઇ
જિલ્લાની સરકારી-ખાનગી હોસ્પીટલોને ઓકસીજન સપ્લાયનો પુરવઠો સતત મળી રહે તેમજ કોઇ જ મુશ્કેલી ન પડે તે માટેની ખાસ વ્યવસ્થા
ગ્રામ્ય વિસ્તારના કુલ 34 જેટલા ગામોના કુલ 2000 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી
WatchGujarat. સૌરાષ્ટ્રમાં આવતીકાલ સુધીમાં વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. જેને લઈને કલેક્ટર તંત્ર પણ સાબદુ થયું છે. અને વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. આજરોજ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને તૈયારીઓ વિશેની જાણકારી પણ સોશિયલ મીડિયાનાં માધ્યમથી આપી હતી. સાથે જ વહીવટી તંત્ર કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તૈયાર હોવાનું જણાવી લોકોને ઘરમાં રહેવાની અપીલ પણ તેમણે કરી હતી.
કલેક્ટરનાં જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્રના વિસ્તારમાં સંભવિત વાવાઝોડા સંદર્ભે કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવા વહિવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. વાવાઝોડાનો સામનો કરવા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તમામ તાલુકામાં લાયઝન અધિકારીઓને ફરજ સોંપાઇ છે. કોરોનાની મહામારીનો સમય હોવાથી જિલ્લાની સરકારી-ખાનગી હોસ્પીટલોને ઓકસીજન સપ્લાયનો પુરવઠો સતત મળી રહે તેમજ કોઇ જ મુશ્કેલી ન પડે તે માટેની ખાસ વ્યવસ્થા કરાઇ છે. પ્લાન્ટમાંથી ઓકસીજનના પુરવઠાનું પરિવહન કરતા ટેન્કરોને પણ અડચણો ન આવે તે માટે ખાસ ગ્રીન કોરીડોરની વ્યવસ્થા કરાઇ છે. આ ગ્રીન કોરિડોર માટે જિલ્લાના હાઇ-વે સહિતનાં માર્ગ ક્લિયર રાખવા પોલીસ અને વનવિભાગને સૂચનાઓ અપાઈ છે.
આ ઉપરાંત તમામ 78 શહેરી અને 13 ગ્રામ્ય કોવીડ હોસ્પીટલમાં વીજપુરવઠો જળવાઇ રહે તે માટે ખાસ જનરેટરો પણ ઉપલબ્ધ કરાવાયા છે. તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો-સામુહિક આરોગ્ય કેન્દ્રો પર દવાઓનો પુરતો સ્ટોક ઉપલબ્ધ કરાવાયો છે. ગ્રામ્ય વિસ્તારના કુલ 34 જેટલા ગામોના કુલ 2000 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સગર્ભા મહિલાઓને પણ સલામત સ્થળે શીફટ કરવામાં આવી રહી છે. સાથે જ લોકોને જરૂર વિના બહાર ન નીકળીને ઘરમાં સલામત રહેવા અપીલ પણ કરવામાં આવી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શહેરના જુદા-જુદા વિસ્તારો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં ઉભા કરાયેલા હોર્ડીગ્ઝને કારણે કોઇ અકસ્માત ન સર્જાય તે માટે હાઇ-વે, માર્ગ અને મકાન (રાજય તથા પંચાયત) તથા નગરપાલીકાઓને સુચના અપાઇ છે. તેઓએ ખાસ કરીને વાડી વિસ્તારમાં વસતા લોકોને ગામમાં સલામત સ્થળે આશ્રય લેવા અપીલ કરી છે. ભારે વરસાદની શકયતાને લઇને નદી ના પટ કે નીચાણ વાળા પુલો પરથી અવરજવર ન કરવા તાકીદ કરી છે. અને રાજકોટ આસપાસના જિલ્લાને પણ જરૂર પડયે સહાયતા કરવા જિલ્લા વહીવટીતંત્ર તૈયાર છે.
સૌરાષ્ટ્રના વિસ્તારમાં સંભવિત વાવાઝોડા સંદર્ભે કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવા વહિવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ
તમામ તાલુકામાં લાયઝન અધિકારીઓને ફરજ સોંપાઇ
જિલ્લાની સરકારી-ખાનગી હોસ્પીટલોને ઓકસીજન સપ્લાયનો પુરવઠો સતત મળી રહે તેમજ કોઇ જ મુશ્કેલી ન પડે તે માટેની ખાસ વ્યવસ્થા
ગ્રામ્ય વિસ્તારના કુલ 34 જેટલા ગામોના કુલ 2000 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી
WatchGujarat. સૌરાષ્ટ્રમાં આવતીકાલ સુધીમાં વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. જેને લઈને કલેક્ટર તંત્ર પણ સાબદુ થયું છે. અને વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. આજરોજ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને તૈયારીઓ વિશેની જાણકારી પણ સોશિયલ મીડિયાનાં માધ્યમથી આપી હતી. સાથે જ વહીવટી તંત્ર કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તૈયાર હોવાનું જણાવી લોકોને ઘરમાં રહેવાની અપીલ પણ તેમણે કરી હતી.
કલેક્ટરનાં જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્રના વિસ્તારમાં સંભવિત વાવાઝોડા સંદર્ભે કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવા વહિવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. વાવાઝોડાનો સામનો કરવા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તમામ તાલુકામાં લાયઝન અધિકારીઓને ફરજ સોંપાઇ છે. કોરોનાની મહામારીનો સમય હોવાથી જિલ્લાની સરકારી-ખાનગી હોસ્પીટલોને ઓકસીજન સપ્લાયનો પુરવઠો સતત મળી રહે તેમજ કોઇ જ મુશ્કેલી ન પડે તે માટેની ખાસ વ્યવસ્થા કરાઇ છે. પ્લાન્ટમાંથી ઓકસીજનના પુરવઠાનું પરિવહન કરતા ટેન્કરોને પણ અડચણો ન આવે તે માટે ખાસ ગ્રીન કોરીડોરની વ્યવસ્થા કરાઇ છે. આ ગ્રીન કોરિડોર માટે જિલ્લાના હાઇ-વે સહિતનાં માર્ગ ક્લિયર રાખવા પોલીસ અને વનવિભાગને સૂચનાઓ અપાઈ છે.
આ ઉપરાંત તમામ 78 શહેરી અને 13 ગ્રામ્ય કોવીડ હોસ્પીટલમાં વીજપુરવઠો જળવાઇ રહે તે માટે ખાસ જનરેટરો પણ ઉપલબ્ધ કરાવાયા છે. તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો-સામુહિક આરોગ્ય કેન્દ્રો પર દવાઓનો પુરતો સ્ટોક ઉપલબ્ધ કરાવાયો છે. ગ્રામ્ય વિસ્તારના કુલ 34 જેટલા ગામોના કુલ 2000 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સગર્ભા મહિલાઓને પણ સલામત સ્થળે શીફટ કરવામાં આવી રહી છે. સાથે જ લોકોને જરૂર વિના બહાર ન નીકળીને ઘરમાં સલામત રહેવા અપીલ પણ કરવામાં આવી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શહેરના જુદા-જુદા વિસ્તારો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં ઉભા કરાયેલા હોર્ડીગ્ઝને કારણે કોઇ અકસ્માત ન સર્જાય તે માટે હાઇ-વે, માર્ગ અને મકાન (રાજય તથા પંચાયત) તથા નગરપાલીકાઓને સુચના અપાઇ છે. તેઓએ ખાસ કરીને વાડી વિસ્તારમાં વસતા લોકોને ગામમાં સલામત સ્થળે આશ્રય લેવા અપીલ કરી છે. ભારે વરસાદની શકયતાને લઇને નદી ના પટ કે નીચાણ વાળા પુલો પરથી અવરજવર ન કરવા તાકીદ કરી છે. અને રાજકોટ આસપાસના જિલ્લાને પણ જરૂર પડયે સહાયતા કરવા જિલ્લા વહીવટીતંત્ર તૈયાર છે.