સુપ્રસિદ્ધ બાલાજી મંદિર ખાતે પણ મુખ્યમંત્રીનાં સ્વાસ્થ્ય માટે ખાસ સંગીતમય મારુતિ યજ્ઞ યોજાયો
મુખ્યમંત્રીને આ મારુતિ યજ્ઞથી બળ અને આશીર્વાદ મળશે - ભાજપ પ્રવકતા રાજુ ધ્રુવ
વડોદરા ખાતેની જાહેરસભામાં પડી ગયા બાદ તબિબિ પરીક્ષણમાં કોરોના પોઝીટીવ હોવાનું નિદાન થયું હતું
WatchGujarat. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ કોરોના સંક્રમિત હોવાથી તેમની સારવાર ચાલી રહી છે. જેને પગલે તેઓ જલ્દી સ્વસ્થ થાય તે માટે ઠેર-ઠેર પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. શહેરના સુપ્રસિદ્ધ બાલાજી મંદિર ખાતે પણ મુખ્યમંત્રીનાં સ્વાસ્થ્ય માટે ખાસ સંગીતમય મારુતિ યજ્ઞ યોજાયો હતો. આ યજ્ઞમાં સુપ્રસિદ્ધ કથાકાર જીજ્ઞેશ દાદા ખાસ હાજર રહ્યા હતા. અને આ યજ્ઞનાં માધ્યમથી સીએમ રૂપાણીનાં જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી. સ્થાનિક ભાજપનાં નેતાઓ પણ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા.
આ અંગે ભાજપ પ્રવકતા રાજુ ધ્રુવે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી હાલ કોરોના સામે લડી રહ્યા છે. ત્યારે તેમને આ મારુતિ યજ્ઞથી બળ અને આશીર્વાદ મળશે. તેમના સંક્રમિત થવાને કારણે પ્રજાના હ્ર્દયમાં દુઃખની લાગણી જન્મી છે. અને લોકો પણ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે તેઓ જલ્દી કોરોના મુક્ત થાય એ જ અમારી ઈચ્છા છે. અને એ માટે જ મારુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું. મુખ્યમંત્રી તંદુરસ્ત અને દીર્ઘ આયુષ્ય ભોગવે, તેમના નેતૃત્વમાં ગુજરાત વિકાસનાં નવા શિખરો સર કરે તેવી જ પ્રજા સહિત ભાજપનાં નેતાઓની શુભકામના હોવાનું પણ તેમણે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને CM વિજયભાઈ રૂપાણી વડોદરા ખાતે પ્રચાર અર્થે ગયા હતા. જ્યાં સભા સંબોધન સમયે તબિયત લથડતા તેમને અમદાવાદ ખાતે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીં બીજા દિવસે મુખ્યમંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અને હાલ તેઓ સારવાર હેઠળ છે. જેને લઈને ભુપેન્દ્ર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર હસ્તકના બાલાજી હનુમાન મંદિરમાં ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણીના યજમાન પદે અને લોક કથાકાર જીજ્ઞેશ દાદાની ઉપસ્થિતીમાં CM ના દીઘાર્યુ માટે આ સંગીતમય મારુતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો.
સુપ્રસિદ્ધ બાલાજી મંદિર ખાતે પણ મુખ્યમંત્રીનાં સ્વાસ્થ્ય માટે ખાસ સંગીતમય મારુતિ યજ્ઞ યોજાયો
મુખ્યમંત્રીને આ મારુતિ યજ્ઞથી બળ અને આશીર્વાદ મળશે - ભાજપ પ્રવકતા રાજુ ધ્રુવ
વડોદરા ખાતેની જાહેરસભામાં પડી ગયા બાદ તબિબિ પરીક્ષણમાં કોરોના પોઝીટીવ હોવાનું નિદાન થયું હતું
WatchGujarat. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ કોરોના સંક્રમિત હોવાથી તેમની સારવાર ચાલી રહી છે. જેને પગલે તેઓ જલ્દી સ્વસ્થ થાય તે માટે ઠેર-ઠેર પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. શહેરના સુપ્રસિદ્ધ બાલાજી મંદિર ખાતે પણ મુખ્યમંત્રીનાં સ્વાસ્થ્ય માટે ખાસ સંગીતમય મારુતિ યજ્ઞ યોજાયો હતો. આ યજ્ઞમાં સુપ્રસિદ્ધ કથાકાર જીજ્ઞેશ દાદા ખાસ હાજર રહ્યા હતા. અને આ યજ્ઞનાં માધ્યમથી સીએમ રૂપાણીનાં જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી. સ્થાનિક ભાજપનાં નેતાઓ પણ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા.
આ અંગે ભાજપ પ્રવકતા રાજુ ધ્રુવે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી હાલ કોરોના સામે લડી રહ્યા છે. ત્યારે તેમને આ મારુતિ યજ્ઞથી બળ અને આશીર્વાદ મળશે. તેમના સંક્રમિત થવાને કારણે પ્રજાના હ્ર્દયમાં દુઃખની લાગણી જન્મી છે. અને લોકો પણ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે તેઓ જલ્દી કોરોના મુક્ત થાય એ જ અમારી ઈચ્છા છે. અને એ માટે જ મારુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું. મુખ્યમંત્રી તંદુરસ્ત અને દીર્ઘ આયુષ્ય ભોગવે, તેમના નેતૃત્વમાં ગુજરાત વિકાસનાં નવા શિખરો સર કરે તેવી જ પ્રજા સહિત ભાજપનાં નેતાઓની શુભકામના હોવાનું પણ તેમણે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને CM વિજયભાઈ રૂપાણી વડોદરા ખાતે પ્રચાર અર્થે ગયા હતા. જ્યાં સભા સંબોધન સમયે તબિયત લથડતા તેમને અમદાવાદ ખાતે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીં બીજા દિવસે મુખ્યમંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અને હાલ તેઓ સારવાર હેઠળ છે. જેને લઈને ભુપેન્દ્ર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર હસ્તકના બાલાજી હનુમાન મંદિરમાં ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણીના યજમાન પદે અને લોક કથાકાર જીજ્ઞેશ દાદાની ઉપસ્થિતીમાં CM ના દીઘાર્યુ માટે આ સંગીતમય મારુતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો.