શહેરના આરોગ્ય કેન્દ્રો સહિત કુલ 38 સ્થળોએ વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું
કોરોના સામેની લડાઈમાં આપણા ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોએ જે ઝડપથી કામ કર્યું છે એ અસાધારણ છે - સંત અપૂર્વ મુનિ સ્વામી
ખાનગી હોસ્પિટલમાં રસીનાં એક ડોઝ માટે 250 રૂપિયા લેવામાં આવશે
WatchGujarat. શહેરમાં આજથી કોરોના વેકસીનેશનનાં ત્રીજા તબક્કાની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં 60 વર્ષ ઉપરના તેમજ 45થી59 વર્ષના છતાં કોઈક ગંભીર બીમારી હોય તેવા તમામ લોકોને વેકસીન આપવામાં આવી રહી છે. આ માટે આરોગ્ય વિભાગે 14 ખાનગી હોસ્પિટલો સહિત કુલ 38 જગ્યાએ વેકસીન આપવાનું શરૂ કર્યું છે. ત્યારે આજે BAPS સ્વામિનારાયણ મંદિરના સંતો તેમજ સ્વ. પૂર્વ સાંસદ અભય ભારદ્વાજનાં પત્ની અને પૂર્વ મેયર ઉપરાંત પૂર્વ ડેપ્યુટી મેયર સહિતનાઓ દ્વારા કોરોનાની વેકસીન લેવામાં આવી છે.
આ તકે BAPS સ્વામિનારાયણનાં સંત અપૂર્વ મુનિ સ્વામીએ કહ્યું હતું કે, હાલ સમગ્ર વિશ્વના લોકો પણ ભારતની વેકસીનની પ્રશંસા કરી રહ્યા છે. અને કોરોના સામેની લડાઈમાં આપણા ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોએ જે ઝડપથી કામ કર્યું છે એ અસાધારણ છે. ત્યારે તમામ લોકોએ વેકસીનેશન કરાવીને કોરોના સામેની લડાઈમાં પોતાનું યોગદાન આપવું જરૂરી છે. મુખ્યમંત્રી રૂપાણીએ મને ખાસ ફોન કરીને મંદિરનાં સંતો વેકસીનનો લાભ લે તેવી અપીલ કરી હતી. જે અંતર્ગત આજે અમે ત્રણેક સંતોએ વેકસીન લીધી છે. આવનારા સમયમાં બાકીના તમામ સંતો અને મંદિરના કર્મચારીઓ પણ વેકસીનેશન કરાવશે. મારી દરેકને ખાસ અપીલ છે કે, કોઈપણ ડર વિના કોરોનાની વેકસીન લઈ અને કોરોનાને હરાવવામાં મદદરૂપ બને.
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ હાલ શહેરમાં બી.ટી. સવાણી હોસ્પિટલ, ક્રાઈસ્ટ હોસ્પિટલ, ઓલમ્પસ હોસ્પિટલ, જલારામ હોસ્પિટલ, સદ્દભાવના હોસ્પિટલ, સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, વોકહાર્ટ હોસ્પિટલ, લોટશ હોસ્પિટલ અને વેદાંત હોસ્પિટલ સહિત 14 ખાનગી હોસ્પિટલ જયારે સિવિલ, પદ્મકુંવરબા ઉપરાંત શહેરના આરોગ્ય કેન્દ્રો સહિત કુલ 38 સ્થળોએ વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું છે.
આ વેકસીનેશન સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે અને ખાનગી હોસ્પિટલમાં આ રસીનાં એક ડોઝ માટે 250 રૂપિયા લેવામાં આવશે. જેમાં 150 રસીના અને 100 રૂપિયા સર્વિસ ચાર્જ સામેલ છે. સાથે ગંભીર બીમારી ધરાવતા આ લોકો માટે ડોક્ટરનું પ્રમાણપત્ર આવશ્યક રહેશે. આ પ્રમાણપત્રને આધારે ફરજ પરના ડોક્ટર્સ નિર્ણય લઈને ગંભીર બીમારી ધરાવતા દર્દીઓને એક બાદ એક વેકસીન માટે બોલાવશે. વેકસીનેશન માટે દરેક સ્થળોએ માસ્ક અને સેનેટાઈઝ સહિતની તમામ વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે.
શહેરના આરોગ્ય કેન્દ્રો સહિત કુલ 38 સ્થળોએ વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું
કોરોના સામેની લડાઈમાં આપણા ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોએ જે ઝડપથી કામ કર્યું છે એ અસાધારણ છે - સંત અપૂર્વ મુનિ સ્વામી
ખાનગી હોસ્પિટલમાં રસીનાં એક ડોઝ માટે 250 રૂપિયા લેવામાં આવશે
WatchGujarat. શહેરમાં આજથી કોરોના વેકસીનેશનનાં ત્રીજા તબક્કાની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં 60 વર્ષ ઉપરના તેમજ 45થી59 વર્ષના છતાં કોઈક ગંભીર બીમારી હોય તેવા તમામ લોકોને વેકસીન આપવામાં આવી રહી છે. આ માટે આરોગ્ય વિભાગે 14 ખાનગી હોસ્પિટલો સહિત કુલ 38 જગ્યાએ વેકસીન આપવાનું શરૂ કર્યું છે. ત્યારે આજે BAPS સ્વામિનારાયણ મંદિરના સંતો તેમજ સ્વ. પૂર્વ સાંસદ અભય ભારદ્વાજનાં પત્ની અને પૂર્વ મેયર ઉપરાંત પૂર્વ ડેપ્યુટી મેયર સહિતનાઓ દ્વારા કોરોનાની વેકસીન લેવામાં આવી છે.
આ તકે BAPS સ્વામિનારાયણનાં સંત અપૂર્વ મુનિ સ્વામીએ કહ્યું હતું કે, હાલ સમગ્ર વિશ્વના લોકો પણ ભારતની વેકસીનની પ્રશંસા કરી રહ્યા છે. અને કોરોના સામેની લડાઈમાં આપણા ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોએ જે ઝડપથી કામ કર્યું છે એ અસાધારણ છે. ત્યારે તમામ લોકોએ વેકસીનેશન કરાવીને કોરોના સામેની લડાઈમાં પોતાનું યોગદાન આપવું જરૂરી છે. મુખ્યમંત્રી રૂપાણીએ મને ખાસ ફોન કરીને મંદિરનાં સંતો વેકસીનનો લાભ લે તેવી અપીલ કરી હતી. જે અંતર્ગત આજે અમે ત્રણેક સંતોએ વેકસીન લીધી છે. આવનારા સમયમાં બાકીના તમામ સંતો અને મંદિરના કર્મચારીઓ પણ વેકસીનેશન કરાવશે. મારી દરેકને ખાસ અપીલ છે કે, કોઈપણ ડર વિના કોરોનાની વેકસીન લઈ અને કોરોનાને હરાવવામાં મદદરૂપ બને.
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ હાલ શહેરમાં બી.ટી. સવાણી હોસ્પિટલ, ક્રાઈસ્ટ હોસ્પિટલ, ઓલમ્પસ હોસ્પિટલ, જલારામ હોસ્પિટલ, સદ્દભાવના હોસ્પિટલ, સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, વોકહાર્ટ હોસ્પિટલ, લોટશ હોસ્પિટલ અને વેદાંત હોસ્પિટલ સહિત 14 ખાનગી હોસ્પિટલ જયારે સિવિલ, પદ્મકુંવરબા ઉપરાંત શહેરના આરોગ્ય કેન્દ્રો સહિત કુલ 38 સ્થળોએ વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું છે.
આ વેકસીનેશન સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે અને ખાનગી હોસ્પિટલમાં આ રસીનાં એક ડોઝ માટે 250 રૂપિયા લેવામાં આવશે. જેમાં 150 રસીના અને 100 રૂપિયા સર્વિસ ચાર્જ સામેલ છે. સાથે ગંભીર બીમારી ધરાવતા આ લોકો માટે ડોક્ટરનું પ્રમાણપત્ર આવશ્યક રહેશે. આ પ્રમાણપત્રને આધારે ફરજ પરના ડોક્ટર્સ નિર્ણય લઈને ગંભીર બીમારી ધરાવતા દર્દીઓને એક બાદ એક વેકસીન માટે બોલાવશે. વેકસીનેશન માટે દરેક સ્થળોએ માસ્ક અને સેનેટાઈઝ સહિતની તમામ વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે.