કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા થિયેટક ઉદ્યોગને તાત્કાલિક રાહત પેકેજ આપવું જરૂરી
કેન્દ્ર સરકાર દ્વારા 50% પ્રેક્ષકો સાથે સિનેમાઘર ખોલવાની છૂટ આપવામાં આવી ત્યારે પણ પ્રેક્ષકોના અભાવના કારણે મોટાભાગના સિનેમા શો રદ કરવા પડ્યા હતા - ગુજરાત મલ્ટિપ્લેક્સ એસો.ના ઉપપ્રમુખ અજયભાઈ
રાજકોટનાં સિનેમા ઉદ્યોગને કોરોનાને કારણે અત્યાર સુધીમાં રૂપિયા 30 કરોડથી વધુનો ફટકો પડયો
WatchGujarat. આજથી સમગ્ર દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા સિનેમાઘર તેમજ મલ્ટિપ્લેક્સ સો ટકા લોકોની સંખ્યા સાથે ખોલવાની મંજૂરી મળી છે. જેને લઈ સિનેમાઘર તેમજ મલ્ટિપ્લેક્સ ધારકોમાં આનંદની લાગણી વ્યાપી છે. જો કે રાજકોટમાં મલ્ટિપ્લેક્સ ધારકોએ આજથી નહીં પરંતુ માર્ચ મહિનાથી પોતાના સિનેમાઘર તેમજ મલ્ટિપ્લેક્સ ખોલવાનો નિર્ણય લીધો છે. હાલમાં રાત્રી કરફ્યુ અમલમાં છે. તેમજ નવી ફિલ્મો આવતી નથી. જેને લઈને આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત મલ્ટિપ્લેક્સ એસો.ના ઉપપ્રમુખ અજયભાઈ કહે છે કે, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા 50% પ્રેક્ષકો સાથે સિનેમાઘર ખોલવાની છૂટ આપવામાં આવી ત્યારે પણ પ્રેક્ષકોના અભાવના કારણે મોટાભાગના સિનેમા શો રદ કરવા પડ્યા હતા. કોરોના મહામારીમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારો દ્વારા દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગો માટે જુદા જુદા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ સરકારે હજુ સુધી અમારા સિનેમા ઉદ્યોગને કોઈપણ જાતનું રાહત પેકેજ આપ્યું નથી.
ત્યારે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા અમારા ઉદ્યોગને તાત્કાલિક રાહત પેકેજ આપવું જરૂરી છે. આ ઉપરાંત હાલ રાજ્યના ચાર મહાનગરોમાં હાલ રાત્રી કર્ફ્યુ ચાલી રહ્યો છે. જેના કારણે પણ સિનેમાઘર સો ટકા પ્રેક્ષકોની છૂટ સાથે ખોલવાની અનુમતિ સરકાર દ્વારા આપવામાં આવી હોવા છતાં ચાલુ કરવા શક્ય નથી. આ તમામ કારણોને લઈ આવતા મહિને થિયેટર શરૂ કરવાનો નિર્ણય સર્વાનુમતે લેવાયો હોવાનું તેમણે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, હાલ શહેરમાં રિલાયન્સ મોલ ખાતે આવેલ એક જ મલ્ટીપ્લેક્ષ 50% ગ્રાહકોની મર્યાદિત સંખ્યામાં કાર્યરત છે. જ્યારે કે કોસ્મોપ્લેક્સ ગેલેક્સી સહિતના સિનેમાઘર તેમજ મલ્ટિપ્લેક્સ 50% પ્રેક્ષકો સાથે ખોલવાની છૂટ આપ્યા બાદ પણ હજુ સુધી બંધ હાલતમાં છે. સૌરાષ્ટ્રમાં આશરે 50 અને ગુજરાતમાં 195 જેટલા મલ્ટીપ્લેક્સ થિયેટરો છે. જે પૈકી માત્ર રાજકોટનાં સિનેમા ઉદ્યોગને કોરોનાને કારણે અત્યાર સુધીમાં રૂપિયા 30 કરોડથી વધુનો ફટકો પડયો છે.
કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા થિયેટક ઉદ્યોગને તાત્કાલિક રાહત પેકેજ આપવું જરૂરી
કેન્દ્ર સરકાર દ્વારા 50% પ્રેક્ષકો સાથે સિનેમાઘર ખોલવાની છૂટ આપવામાં આવી ત્યારે પણ પ્રેક્ષકોના અભાવના કારણે મોટાભાગના સિનેમા શો રદ કરવા પડ્યા હતા - ગુજરાત મલ્ટિપ્લેક્સ એસો.ના ઉપપ્રમુખ અજયભાઈ
WatchGujarat. આજથી સમગ્ર દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા સિનેમાઘર તેમજ મલ્ટિપ્લેક્સ સો ટકા લોકોની સંખ્યા સાથે ખોલવાની મંજૂરી મળી છે. જેને લઈ સિનેમાઘર તેમજ મલ્ટિપ્લેક્સ ધારકોમાં આનંદની લાગણી વ્યાપી છે. જો કે રાજકોટમાં મલ્ટિપ્લેક્સ ધારકોએ આજથી નહીં પરંતુ માર્ચ મહિનાથી પોતાના સિનેમાઘર તેમજ મલ્ટિપ્લેક્સ ખોલવાનો નિર્ણય લીધો છે. હાલમાં રાત્રી કરફ્યુ અમલમાં છે. તેમજ નવી ફિલ્મો આવતી નથી. જેને લઈને આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત મલ્ટિપ્લેક્સ એસો.ના ઉપપ્રમુખ અજયભાઈ કહે છે કે, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા 50% પ્રેક્ષકો સાથે સિનેમાઘર ખોલવાની છૂટ આપવામાં આવી ત્યારે પણ પ્રેક્ષકોના અભાવના કારણે મોટાભાગના સિનેમા શો રદ કરવા પડ્યા હતા. કોરોના મહામારીમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારો દ્વારા દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગો માટે જુદા જુદા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ સરકારે હજુ સુધી અમારા સિનેમા ઉદ્યોગને કોઈપણ જાતનું રાહત પેકેજ આપ્યું નથી.
ત્યારે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા અમારા ઉદ્યોગને તાત્કાલિક રાહત પેકેજ આપવું જરૂરી છે. આ ઉપરાંત હાલ રાજ્યના ચાર મહાનગરોમાં હાલ રાત્રી કર્ફ્યુ ચાલી રહ્યો છે. જેના કારણે પણ સિનેમાઘર સો ટકા પ્રેક્ષકોની છૂટ સાથે ખોલવાની અનુમતિ સરકાર દ્વારા આપવામાં આવી હોવા છતાં ચાલુ કરવા શક્ય નથી. આ તમામ કારણોને લઈ આવતા મહિને થિયેટર શરૂ કરવાનો નિર્ણય સર્વાનુમતે લેવાયો હોવાનું તેમણે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, હાલ શહેરમાં રિલાયન્સ મોલ ખાતે આવેલ એક જ મલ્ટીપ્લેક્ષ 50% ગ્રાહકોની મર્યાદિત સંખ્યામાં કાર્યરત છે. જ્યારે કે કોસ્મોપ્લેક્સ ગેલેક્સી સહિતના સિનેમાઘર તેમજ મલ્ટિપ્લેક્સ 50% પ્રેક્ષકો સાથે ખોલવાની છૂટ આપ્યા બાદ પણ હજુ સુધી બંધ હાલતમાં છે. સૌરાષ્ટ્રમાં આશરે 50 અને ગુજરાતમાં 195 જેટલા મલ્ટીપ્લેક્સ થિયેટરો છે. જે પૈકી માત્ર રાજકોટનાં સિનેમા ઉદ્યોગને કોરોનાને કારણે અત્યાર સુધીમાં રૂપિયા 30 કરોડથી વધુનો ફટકો પડયો છે.