રાજકોટમાં સંક્રમણ વધવા પાછળ સી.આર. પાટીલની રેલી જવાબદાર - ધારાસભ્ય લલિત કાગથરા
જયંતિ રવિની હાજરી છતાં હોસ્પિટલનાં તંત્રમાં કોઈ સુધારો થયો ન હોવાનો ધારાસભ્ય લલિત વસોયાનો આક્ષેપ
રાજકોટ. શહેર અને જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે આજે આ અંગે કોંગ્રેસનાં બે ધારાસભ્યો લલિત વસોયા તેમજ લલિત કગથરાએ આરોગ્ય-સચિવ સહિત કલેક્ટરનો બરાબરનો કલાસ લીધો હતો. અને તંત્રનાં સબ સલામતનાં દાવા પોકળ હોવાનું જણાવી વધી રહેલા મૃત્યુઆંક મામલે સવાલો ઉઠાવ્યા હતા. સાથે જ ખાનગી હોસ્પિટલમાં મૃત્યુઆંક નીચો છે તો સરકારી હોસ્પિટલમાં ઉંચો શા માટે? તેવો સવાલ ઉઠાવી જરૂરી અને સમયસર સારવાર ન મળતી હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ટેસ્ટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી.
મીડિયા સાથેની વાતચીતમાં ધોરાજીનાં કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, જયંતિ રવિએ છેલ્લા પાંચેક દિવસથી રાજકોટમાં ધામા નાખ્યા છે. છતાં પોઝીટીવ કેસ અને કોરોનાથી મોતનો આંકડો સતત વધી રહ્યો છે. કારણ કે અહીં માત્ર કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ દ્વારા ડોક્ટરની સૂચના મુજબ દવા આપી દેવાય છે. જયંતિ રવિની હાજરી છતાં હોસ્પિટલનાં તંત્રમાં કોઈ સુધારો થયો ન હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે. સાથે જ નાના ગામડાઓના દર્દીઓ માટે ચાર તાલુકા વચ્ચે એક કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની માંગ પણ તેમણે કરી છે.
બીજી તરફ ટંકારાનાં ધારાસભ્ય લલિત કાગથરાએ તો રાજકોટમાં સંક્રમણ વધવા પાછળ સી.આર. પાટીલની રેલીને જવાબદાર ગણાવી હતી. તેમજ આ રેલી બાદ ધારાસભ્ય, રાજ્યસભા સાંસદ અને મેયર તેમજ પૂર્વ મેયર સહિતના અનેક લોકો પણ સંક્રમિત થયા હોવાનો સણસણતો આરોપ લગાવ્યો હતો. આ સાથે ગરીબો માટે સિવિલ હોસ્પિટલની સુવિધાઓમાં વધારો કરવા અપીલ પણ કરી હતી.
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ શહેરમાં અંતિમ વિધિ માટે ચાલી રહેલા વેઇટિંગને લઈને એક મહત્વનો નિર્ણય કર્યો હતો. જે મુજબ કોર્પોરેશનનાં ઇતિહાસમાં પ્રથમવાર રામનાથપરા સહીત 4 સ્મશાનમાં કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવશે. જેમાં કોર્પોરેશનનાં અધિકારીની નિયુક્તિ કરવામાં આવશે. આ સાથે જ કોર્પોરેશનને સ્મશાનગૃહની વ્યવસ્થાઓ વધારવાનો આદેશ પણ જયંતિ રવિએ આપ્યો છે.
https://youtu.be/7XxoKHQ9icE
જયંતિ રવિની હાજરી છતાં હોસ્પિટલનાં તંત્રમાં કોઈ સુધારો થયો ન હોવાનો ધારાસભ્ય લલિત વસોયાનો આક્ષેપ
રાજકોટ. શહેર અને જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે આજે આ અંગે કોંગ્રેસનાં બે ધારાસભ્યો લલિત વસોયા તેમજ લલિત કગથરાએ આરોગ્ય-સચિવ સહિત કલેક્ટરનો બરાબરનો કલાસ લીધો હતો. અને તંત્રનાં સબ સલામતનાં દાવા પોકળ હોવાનું જણાવી વધી રહેલા મૃત્યુઆંક મામલે સવાલો ઉઠાવ્યા હતા. સાથે જ ખાનગી હોસ્પિટલમાં મૃત્યુઆંક નીચો છે તો સરકારી હોસ્પિટલમાં ઉંચો શા માટે? તેવો સવાલ ઉઠાવી જરૂરી અને સમયસર સારવાર ન મળતી હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ટેસ્ટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી.
મીડિયા સાથેની વાતચીતમાં ધોરાજીનાં કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, જયંતિ રવિએ છેલ્લા પાંચેક દિવસથી રાજકોટમાં ધામા નાખ્યા છે. છતાં પોઝીટીવ કેસ અને કોરોનાથી મોતનો આંકડો સતત વધી રહ્યો છે. કારણ કે અહીં માત્ર કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ દ્વારા ડોક્ટરની સૂચના મુજબ દવા આપી દેવાય છે. જયંતિ રવિની હાજરી છતાં હોસ્પિટલનાં તંત્રમાં કોઈ સુધારો થયો ન હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે. સાથે જ નાના ગામડાઓના દર્દીઓ માટે ચાર તાલુકા વચ્ચે એક કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની માંગ પણ તેમણે કરી છે.
બીજી તરફ ટંકારાનાં ધારાસભ્ય લલિત કાગથરાએ તો રાજકોટમાં સંક્રમણ વધવા પાછળ સી.આર. પાટીલની રેલીને જવાબદાર ગણાવી હતી. તેમજ આ રેલી બાદ ધારાસભ્ય, રાજ્યસભા સાંસદ અને મેયર તેમજ પૂર્વ મેયર સહિતના અનેક લોકો પણ સંક્રમિત થયા હોવાનો સણસણતો આરોપ લગાવ્યો હતો. આ સાથે ગરીબો માટે સિવિલ હોસ્પિટલની સુવિધાઓમાં વધારો કરવા અપીલ પણ કરી હતી.
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ શહેરમાં અંતિમ વિધિ માટે ચાલી રહેલા વેઇટિંગને લઈને એક મહત્વનો નિર્ણય કર્યો હતો. જે મુજબ કોર્પોરેશનનાં ઇતિહાસમાં પ્રથમવાર રામનાથપરા સહીત 4 સ્મશાનમાં કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવશે. જેમાં કોર્પોરેશનનાં અધિકારીની નિયુક્તિ કરવામાં આવશે. આ સાથે જ કોર્પોરેશનને સ્મશાનગૃહની વ્યવસ્થાઓ વધારવાનો આદેશ પણ જયંતિ રવિએ આપ્યો છે.