રાજકોટ. સૌરાષ્ટ્ર - કચ્છમાં ભૂકંપના આચંકાનો દોર યથાવત છે. અને મોડી રાત્રીથી સવાર સુધીમાં જ 12 આંચકાઓ નોંધાતા ફફડાટ ફેલાયો છે. જેમાં પોરબંદર 8, કચ્છનાં દુધઈમાં 2 અને જામનગરનાં લાલપુરમાં વધુ 2 આંચકા નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. જો કે તીવ્રતા ઘણી ઓછી હોવાથી કોઈપણ જગ્યાએ ખાસ નુકસાન થયું નથી. પરંતુ ભૂકંપના આંચકાઓ આવતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે.
સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવ્યા મુજબ, ગતરાત્રે 11:30 કલાકે પોરબંદરથી 34 કિમી દૂર 2.3 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અને બાદમાં આંચકાઓનો દોર શરૂ થયો હતો. જેમાં
રાત્રીના 12:39 કલાકે 2.1ની તીવ્રતા સાથેનો ભૂકંપ
રાત્રે 12:44 વાગ્યે પોરબંદરથી 22 કિલોમીટર દૂર 2.4ની તીવ્રતાનો ભૂકંપ
રાત્રે 1:06 વાગ્યે પોરબંદરથી 29 કિમી દુર 2.4ની તીવ્રતાનો ભૂકંપ
રાત્રે 2:07 કલાકે પોરબંદરથી 35 કિલોમીટર દૂર 2.0ની તીવ્રતાનો ભૂકંપ
રાત્રે 2:13 કલાકે પોરબંદરથી 23 કિમી દૂર 1.7ની તીવ્રતાનો ભૂકંપ
રાત્રે 2:54 કલાકે પોરબંદરથી 30 કિલોમીટર દૂર 2.9ની તીવ્રતાનો ભૂકંપ
સવારે 6 કલાકે પોરબંદરથી 35 કિલોમીટર દૂર 2.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
આ ઉપરાંત જામનગર જિલ્લાના લાલપુરમાં રાત્રીનાં 2:12 કલાકે 1.9ની તીવ્રતાનો અને 2:59 કલાકે 2.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જ્યારે કચ્છના દુધઈમાં આજે સવારે 6:30 કલાકે 2.1ની તીવ્રતાનો તથા સવારે 6:41 વાગ્યે 2.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.
રાજકોટ. સૌરાષ્ટ્ર - કચ્છમાં ભૂકંપના આચંકાનો દોર યથાવત છે. અને મોડી રાત્રીથી સવાર સુધીમાં જ 12 આંચકાઓ નોંધાતા ફફડાટ ફેલાયો છે. જેમાં પોરબંદર 8, કચ્છનાં દુધઈમાં 2 અને જામનગરનાં લાલપુરમાં વધુ 2 આંચકા નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. જો કે તીવ્રતા ઘણી ઓછી હોવાથી કોઈપણ જગ્યાએ ખાસ નુકસાન થયું નથી. પરંતુ ભૂકંપના આંચકાઓ આવતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે.
સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવ્યા મુજબ, ગતરાત્રે 11:30 કલાકે પોરબંદરથી 34 કિમી દૂર 2.3 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અને બાદમાં આંચકાઓનો દોર શરૂ થયો હતો. જેમાં
રાત્રીના 12:39 કલાકે 2.1ની તીવ્રતા સાથેનો ભૂકંપ
રાત્રે 12:44 વાગ્યે પોરબંદરથી 22 કિલોમીટર દૂર 2.4ની તીવ્રતાનો ભૂકંપ
રાત્રે 2:07 કલાકે પોરબંદરથી 35 કિલોમીટર દૂર 2.0ની તીવ્રતાનો ભૂકંપ
રાત્રે 2:13 કલાકે પોરબંદરથી 23 કિમી દૂર 1.7ની તીવ્રતાનો ભૂકંપ
રાત્રે 2:54 કલાકે પોરબંદરથી 30 કિલોમીટર દૂર 2.9ની તીવ્રતાનો ભૂકંપ
સવારે 6 કલાકે પોરબંદરથી 35 કિલોમીટર દૂર 2.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
આ ઉપરાંત જામનગર જિલ્લાના લાલપુરમાં રાત્રીનાં 2:12 કલાકે 1.9ની તીવ્રતાનો અને 2:59 કલાકે 2.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જ્યારે કચ્છના દુધઈમાં આજે સવારે 6:30 કલાકે 2.1ની તીવ્રતાનો તથા સવારે 6:41 વાગ્યે 2.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.