ભાવનગર. તાજેતરમાં વરતેજનાં નવાગામ ખાતે એક સામુહિક આપઘાતની ઘટના સામે આવી હતી. જેમાં પિતા લાલાભાઈ નાગજીભાઈએ પોતાના જ બે માસુમ સંતાનોને ગળેફાંસો દઈ પોતે પણ લટકી ગયા હતા. જે- તે સમયે પત્ની રિસામણે જવાને કારણે તેણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું. પરંતુ મૃતકે આપઘાત પહેલા બનાવેલા વિડીયો સામે આવ્યા છે. જેમાં તેણે માથાભારે પુરુષ સાથે પત્નીનાં આડા સંબંધોને કારણે આ પગલું ભર્યાનું જણાવતા પોલીસે એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
જાણવા મળતી વિગતો અનુસાર, આપઘાત કરનાર યુવાને મોત પહેલા આ પગલું ભરવાના કારણ અંગે જાતે અલગ અલગ વિડીયો બનાવ્યા હતા. યુવકનાં મોત બાદ તેના પરિવારજનોએ મોબાઈલ ચેક કરતા આ વિડિયો સામે આવ્યા છે. જેમાં તેની પત્નીના કોઈ માથાભારે પુરુષ સાથે આડા સંબંધો કારણરૂપ હોવાનું મૃતક પોતે જણાવી રહ્યો છે. હાલ પરિવાર દ્વારા આ વિડીયો પોલીસને સોંપવામાં આવ્યા છે. જેને આધારે પોલીસે જરૂરી કાર્યવાહી શરૂ કરી છે.
https://youtu.be/xOeX3f_rjmQ
જાણો શું હતો સમગ્ર મામલો
વરતેજનાં નવાગામમાં ગત તા. 15નાં રોજ લાલાભાઇ નાગજીભાઈ નામનાં 30 વર્ષીય યુવકે 3 વર્ષના પુત્ર માનવ અને 5 વર્ષની પુત્રી પ્રતિજ્ઞા સાથે ગળેફાંસો ખાઈ સામુહિક આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. અને બનાવ અંગે પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બંને માસુમ સંતાનો સાથે તેના પિતાની લાશ લટકતી જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. અને ત્રણેયની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી હતી.
ભાવનગર. તાજેતરમાં વરતેજનાં નવાગામ ખાતે એક સામુહિક આપઘાતની ઘટના સામે આવી હતી. જેમાં પિતા લાલાભાઈ નાગજીભાઈએ પોતાના જ બે માસુમ સંતાનોને ગળેફાંસો દઈ પોતે પણ લટકી ગયા હતા. જે- તે સમયે પત્ની રિસામણે જવાને કારણે તેણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું. પરંતુ મૃતકે આપઘાત પહેલા બનાવેલા વિડીયો સામે આવ્યા છે. જેમાં તેણે માથાભારે પુરુષ સાથે પત્નીનાં આડા સંબંધોને કારણે આ પગલું ભર્યાનું જણાવતા પોલીસે એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
જાણવા મળતી વિગતો અનુસાર, આપઘાત કરનાર યુવાને મોત પહેલા આ પગલું ભરવાના કારણ અંગે જાતે અલગ અલગ વિડીયો બનાવ્યા હતા. યુવકનાં મોત બાદ તેના પરિવારજનોએ મોબાઈલ ચેક કરતા આ વિડિયો સામે આવ્યા છે. જેમાં તેની પત્નીના કોઈ માથાભારે પુરુષ સાથે આડા સંબંધો કારણરૂપ હોવાનું મૃતક પોતે જણાવી રહ્યો છે. હાલ પરિવાર દ્વારા આ વિડીયો પોલીસને સોંપવામાં આવ્યા છે. જેને આધારે પોલીસે જરૂરી કાર્યવાહી શરૂ કરી છે.
જાણો શું હતો સમગ્ર મામલો
વરતેજનાં નવાગામમાં ગત તા. 15નાં રોજ લાલાભાઇ નાગજીભાઈ નામનાં 30 વર્ષીય યુવકે 3 વર્ષના પુત્ર માનવ અને 5 વર્ષની પુત્રી પ્રતિજ્ઞા સાથે ગળેફાંસો ખાઈ સામુહિક આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. અને બનાવ અંગે પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બંને માસુમ સંતાનો સાથે તેના પિતાની લાશ લટકતી જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. અને ત્રણેયની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી હતી.