પિતા સાથે ઘાસચારો કાપી રહેલા 6 વર્ષીય પુત્ર પર સિંહણે હુમલો કર્યો હતો. અને પિતાની નજર સામે જ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો.
ગીર-સોમનાથ અને જૂનાગઢ પંથકમાં અવારનવાર સિંહોનાં હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે.
જૂનાગઢ. વિસાવદરનાં બીલખા નજીક આવેલ વિરપુર (શેખવા) ગામની સીમમાં પિતા સાથે ઘાસચારો કાપી રહેલા 6 વર્ષીય પુત્ર પર સિંહણે હુમલો કર્યો હતો. અને પિતાની નજર સામે જ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો. જો કે ઘટનાની જાણ થયા બાદ તરત વન વિભાગનાં અધિકારીઓ દોડી ગયા હતા. અને બાળકનો ભોગ લેનાર સિંહણને પાંજરે પુરી હતી. તો બીજીતરફ ગીર ગઢડામાં બે લોકો પર સિંહે હુમલો કર્યાની ઘટના સામે આવી છે.
જાણવા મળતી વિગતો અનુસાર વિરપુર ગામના રમેશભાઈ ભનુભાઈ શેખવા નામના ખેડૂતના ખેતરમાં મધ્યપ્રદેશના શ્રમિકો છેલ્લા ઘણા વર્ષોથી ખેતી કામ કરી રહ્યા છે. પરપ્રાંતીય ધરમૈયાભાઈ મહેડા ખેતરમાં માલ ઢોર માટે નિરણ વાઢતા હતા અને તેનો છ વર્ષનો પુત્ર તેમની મદદમાં સાથે હતો. દરમિયાન અચાનક જ બાજુના ખેતરમાંથી બંદૂકની ગોળીની જેમ આવેલ સિંહણ ધરમૈયાભાઈનાં 6 વર્ષીય પુત્ર અમિતને પકડી ભાગવા લાગી હતી.
જો કે તરત જ અમિતનાં પિતા સહિત આસપાસનાં ખેતરોમાં રહેલા ખેડૂતોએ પણ હાકલા પડકારા કરતાં સિંહણ અમિતને 400 મીટર દૂર મૂકીને જંગલ તરફ નાસી ગઈ હતી. પરંતુ આ દરમિયાન સિંહણે અમિતને ગળા-પેટ અને માથામાં બચકા નખ પણ મારી દીધા હતા. જેથી ગંભીર ઈજાને પગલે માસૂમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
બાદમાં સરપંચ દ્વારા વનવિભાગને પણ જાણ કરવામાં આવતા વનવિભાગનો કાફલો દોડી ગયો હતો. તપાસ દરમિયાન ત્યાં સિંહણના પગના પંજાના નિશાન અને સિંહણની રુવાટીઓ જોવા મળી હતી. જેથી સિંહણને પકડવા માટે ચાર પાંજરા અને એક રીંગ પાંજરૂ સહિત પાંચ પાંજરા મુકાયા હતા. જેને લઈને મોડીરાત્રે એક સિંહણ પાંજરે પુરાઈ છે. વન વિભાગનો દાવો છે કે, આ એ જ સિંહણ છે જેણે બાળક પર હુમલો કર્યો હતો.
ગીર ગઢડામાં પશુ ચરાવતા બે લોકો પર સિંહનો હુમલો
ગીર-સોમનાથ અને જૂનાગઢ પંથકમાં અવારનવાર સિંહોનાં હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ગીર ગઢડા તાલુકાનાં મહોબતપરા ગામે પશુ ચરાવતા બે લોકો પર સિંહે હુમલો કર્યો હતો. જો કે સ્થાનિકો મોટી સંખ્યામાં લાકડીઓ સાથે આવી જતા સિંહ નાસી છૂટયો હતો. આ ઘટનામાં ઘાયલ બંનેને 108 મારફત સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અને વન વિભાગે વધુ તપાસ શરૂ કરી છે.
પિતા સાથે ઘાસચારો કાપી રહેલા 6 વર્ષીય પુત્ર પર સિંહણે હુમલો કર્યો હતો. અને પિતાની નજર સામે જ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો.
ગીર-સોમનાથ અને જૂનાગઢ પંથકમાં અવારનવાર સિંહોનાં હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે.
જૂનાગઢ. વિસાવદરનાં બીલખા નજીક આવેલ વિરપુર (શેખવા) ગામની સીમમાં પિતા સાથે ઘાસચારો કાપી રહેલા 6 વર્ષીય પુત્ર પર સિંહણે હુમલો કર્યો હતો. અને પિતાની નજર સામે જ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો. જો કે ઘટનાની જાણ થયા બાદ તરત વન વિભાગનાં અધિકારીઓ દોડી ગયા હતા. અને બાળકનો ભોગ લેનાર સિંહણને પાંજરે પુરી હતી. તો બીજીતરફ ગીર ગઢડામાં બે લોકો પર સિંહે હુમલો કર્યાની ઘટના સામે આવી છે.
જાણવા મળતી વિગતો અનુસાર વિરપુર ગામના રમેશભાઈ ભનુભાઈ શેખવા નામના ખેડૂતના ખેતરમાં મધ્યપ્રદેશના શ્રમિકો છેલ્લા ઘણા વર્ષોથી ખેતી કામ કરી રહ્યા છે. પરપ્રાંતીય ધરમૈયાભાઈ મહેડા ખેતરમાં માલ ઢોર માટે નિરણ વાઢતા હતા અને તેનો છ વર્ષનો પુત્ર તેમની મદદમાં સાથે હતો. દરમિયાન અચાનક જ બાજુના ખેતરમાંથી બંદૂકની ગોળીની જેમ આવેલ સિંહણ ધરમૈયાભાઈનાં 6 વર્ષીય પુત્ર અમિતને પકડી ભાગવા લાગી હતી.
જો કે તરત જ અમિતનાં પિતા સહિત આસપાસનાં ખેતરોમાં રહેલા ખેડૂતોએ પણ હાકલા પડકારા કરતાં સિંહણ અમિતને 400 મીટર દૂર મૂકીને જંગલ તરફ નાસી ગઈ હતી. પરંતુ આ દરમિયાન સિંહણે અમિતને ગળા-પેટ અને માથામાં બચકા નખ પણ મારી દીધા હતા. જેથી ગંભીર ઈજાને પગલે માસૂમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
બાદમાં સરપંચ દ્વારા વનવિભાગને પણ જાણ કરવામાં આવતા વનવિભાગનો કાફલો દોડી ગયો હતો. તપાસ દરમિયાન ત્યાં સિંહણના પગના પંજાના નિશાન અને સિંહણની રુવાટીઓ જોવા મળી હતી. જેથી સિંહણને પકડવા માટે ચાર પાંજરા અને એક રીંગ પાંજરૂ સહિત પાંચ પાંજરા મુકાયા હતા. જેને લઈને મોડીરાત્રે એક સિંહણ પાંજરે પુરાઈ છે. વન વિભાગનો દાવો છે કે, આ એ જ સિંહણ છે જેણે બાળક પર હુમલો કર્યો હતો.
ગીર ગઢડામાં પશુ ચરાવતા બે લોકો પર સિંહનો હુમલો
ગીર-સોમનાથ અને જૂનાગઢ પંથકમાં અવારનવાર સિંહોનાં હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ગીર ગઢડા તાલુકાનાં મહોબતપરા ગામે પશુ ચરાવતા બે લોકો પર સિંહે હુમલો કર્યો હતો. જો કે સ્થાનિકો મોટી સંખ્યામાં લાકડીઓ સાથે આવી જતા સિંહ નાસી છૂટયો હતો. આ ઘટનામાં ઘાયલ બંનેને 108 મારફત સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અને વન વિભાગે વધુ તપાસ શરૂ કરી છે.