કચ્છ. માંડવીનાં જખણીયા ગામે કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. જેમાં ખુદ પરિવારનાં મોભીએ જ પોતાની ત્રણ દિકરીઓ તેમજ પત્નિને મોતને ઘાટ ઉતારી દીધા છે. જો કે ત્યારબાદ આરોપી નાસી જતા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. જો કે એક પરિવારના ચાર સભ્યોની હત્યાનાં આ બનાવને કારણે કચ્છ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ માંડવીનાં જખણીયા ગામે રહેતા જખુ પચાણ સંઘાર નામના 34 વર્ષિય યુવાને તેની દસ વર્ષિય પુત્રી તૃપ્તી, પાંચ વર્ષિય પુત્રી કિંજલ અને બે વર્ષિય પુત્રી ધર્મિષ્ઠાને તીક્ષ્ણ હથિયારોનાં ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી હતી. અને તેની પત્નિને ઝેર આપી મોત નિપજાવ્યું હતું. તમામની હત્યાઓને અંજામ આપ્યા બાદ તે જંગલ વિસ્તારમાં નાસી છુટયો છે. બનાવને પગલે પશ્ચિમ એસપી સૌરભસિંઘ, ડીવાયએસપી જે. એન. પંચાલ, માંડવી પીઆઈ બી. એમ. ચૌધરી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. એફએસએલની ટીમ પણ પહોંચી ચુકી છે. અને બનાવ અંગે તપાસ કરવામાં આવી રહી છે.
બનાવ અંગે અખિલ કચ્છ સંઘાર સમાજના પ્રમુખ શીવજીભાઈ સંઘારે જણાવ્યું હતું કે, જખુ સાવ ગરીબ પરિવારનો હતો. અને જખણીયા પાટીયા પાસે પાઈપ ફેકટરીમાં મજુરી કરી પોતાના પરિવારનું પેટીયું રળતો હતો. તેની બે દિકરીઓને ગંભીર બિમારી હોવાને લઈ અમદાવાદથી તેની દવા ચાલુ હતી. દરમિયાન કોરોના કાળ વચ્ચે ધંધા - રોજગાર ઠપ્પ થઈ જવાને કારણે મજુરી પણ માંડ મળતી હતી. જેને પગલે દિકરીઓની સારવાર કરાવવી પણ કઠીન બની ગઈ હતી. જો કે કુટુંબના લોકો તેને અવારનવાર આર્થિક મદદ કરતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પોતે માનસિક તણાવમાં આવી ગયો હતો. જેને લઈને આ પગલું ભર્યું હોવાની પૂરતી સંભાવના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં જખુ પચાણ સંઘારનો રોજગારીના વિકલ્પ ઠપ થયા હતા. જેને કારણે તેને ભારે આર્થિક ખેંચ પડી રહી હતી. કોઇ વિલક્પ ન દેખાતા આખરે તેણે પોતાની પત્નિ અને પુત્રીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. તાજેતરમાં વડોદરા જિલ્લામાં પણ એક વકીલ લોકડાઉનમાં ધંધા ઠપ થવાને કારણે પોતાની દીકરીની સારવાર ન થઇ શકે તેવી સ્થિતીનું સર્જન થયું હતું. એટલે વકીલે જુની ચલણી નોટોનો કાર્યભાર કરતો હોવાનું સામે આવ્યું હતું અને પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. લોકડાઉન બાદ અનેક લોકોના જીવનમાં આર્થિક જરૂરીયાતોને પહોંચી વળવા માટે કોઇ વિકલ્પ ન મળતા આડે માર્ગે ફંટાવવું પડ્યું હતું.
કચ્છ. માંડવીનાં જખણીયા ગામે કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. જેમાં ખુદ પરિવારનાં મોભીએ જ પોતાની ત્રણ દિકરીઓ તેમજ પત્નિને મોતને ઘાટ ઉતારી દીધા છે. જો કે ત્યારબાદ આરોપી નાસી જતા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. જો કે એક પરિવારના ચાર સભ્યોની હત્યાનાં આ બનાવને કારણે કચ્છ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ માંડવીનાં જખણીયા ગામે રહેતા જખુ પચાણ સંઘાર નામના 34 વર્ષિય યુવાને તેની દસ વર્ષિય પુત્રી તૃપ્તી, પાંચ વર્ષિય પુત્રી કિંજલ અને બે વર્ષિય પુત્રી ધર્મિષ્ઠાને તીક્ષ્ણ હથિયારોનાં ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી હતી. અને તેની પત્નિને ઝેર આપી મોત નિપજાવ્યું હતું. તમામની હત્યાઓને અંજામ આપ્યા બાદ તે જંગલ વિસ્તારમાં નાસી છુટયો છે. બનાવને પગલે પશ્ચિમ એસપી સૌરભસિંઘ, ડીવાયએસપી જે. એન. પંચાલ, માંડવી પીઆઈ બી. એમ. ચૌધરી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. એફએસએલની ટીમ પણ પહોંચી ચુકી છે. અને બનાવ અંગે તપાસ કરવામાં આવી રહી છે.
બનાવ અંગે અખિલ કચ્છ સંઘાર સમાજના પ્રમુખ શીવજીભાઈ સંઘારે જણાવ્યું હતું કે, જખુ સાવ ગરીબ પરિવારનો હતો. અને જખણીયા પાટીયા પાસે પાઈપ ફેકટરીમાં મજુરી કરી પોતાના પરિવારનું પેટીયું રળતો હતો. તેની બે દિકરીઓને ગંભીર બિમારી હોવાને લઈ અમદાવાદથી તેની દવા ચાલુ હતી. દરમિયાન કોરોના કાળ વચ્ચે ધંધા - રોજગાર ઠપ્પ થઈ જવાને કારણે મજુરી પણ માંડ મળતી હતી. જેને પગલે દિકરીઓની સારવાર કરાવવી પણ કઠીન બની ગઈ હતી. જો કે કુટુંબના લોકો તેને અવારનવાર આર્થિક મદદ કરતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પોતે માનસિક તણાવમાં આવી ગયો હતો. જેને લઈને આ પગલું ભર્યું હોવાની પૂરતી સંભાવના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં જખુ પચાણ સંઘારનો રોજગારીના વિકલ્પ ઠપ થયા હતા. જેને કારણે તેને ભારે આર્થિક ખેંચ પડી રહી હતી. કોઇ વિલક્પ ન દેખાતા આખરે તેણે પોતાની પત્નિ અને પુત્રીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. તાજેતરમાં વડોદરા જિલ્લામાં પણ એક વકીલ લોકડાઉનમાં ધંધા ઠપ થવાને કારણે પોતાની દીકરીની સારવાર ન થઇ શકે તેવી સ્થિતીનું સર્જન થયું હતું. એટલે વકીલે જુની ચલણી નોટોનો કાર્યભાર કરતો હોવાનું સામે આવ્યું હતું અને પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. લોકડાઉન બાદ અનેક લોકોના જીવનમાં આર્થિક જરૂરીયાતોને પહોંચી વળવા માટે કોઇ વિકલ્પ ન મળતા આડે માર્ગે ફંટાવવું પડ્યું હતું.