સૌરાષ્ટ્ર આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા તમામ નાના કલાકારોની મદદ કરવામાં આવશે
એસોસિએશનમાં સુપ્રસિદ્ધ તેમજ ખ્યાતનામ કલાકારો સાંઇરામ દવે, રાજભા ગઢવી, કીર્તિદાન ગઢવી, માયાભાઇ આહિર, બ્રિજરાજદાન ગઢવી, બિહારીદાન ગઢવી, દેવાયત ખાવડ, ઉપરાંત હેમંત ચૌહાણ પણ જોડાયા
જાહેર કાર્યક્રમો શરૂ થતાની સાથે જ એક ખાસ સપ્તપદી કાર્યક્રમનું આયોજન કરવાની જાહેરાત કરાઈ
રાજકોટ : સૌરાષ્ટ્રનાં દિગ્ગજ કલાકારો દ્વારા સૌપ્રથમ વખત એસોસિએશન શરૂ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર આર્ટિસ્ટ એસોસિએશન નામના આ ગ્રુપ દ્વારા તમામ નાના કલાકારોની મદદ કરવામાં આવશે. એટલું જ નહીં આવનારા સમયમાં તમામ કલાકારોને વીમા પોલિસી, હેલ્થ કાર્ડ, માં કાર્ડ તથા સરકારી સુવિધાઓ પણ આ એસોસિએશન દ્વારા પહોંચાડવામાં આવશે.
સૌરાષ્ટ્ર આર્ટીસ્ટ એસોસિએશનમાં સુપ્રસિદ્ધ તેમજ ખ્યાતનામ કલાકારો સાંઇરામ દવે, રાજભા ગઢવી, કીર્તિદાન ગઢવી, માયાભાઇ આહિર, બ્રિજરાજદાન ગઢવી, બિહારીદાન ગઢવી, દેવાયત ખાવડ, ઉપરાંત હેમંત ચૌહાણ પણ જોડાયા છે. આ એસોસિએશન દ્વારા આવનારા સમયમાં 'કલા'ની એકેડમી ખોલવાનું આયોજન પણ કરાયું છે.
આ તકે સાંઈરામ દવે અને કીર્તિદાન ગઢવી સહિતનાં પ્રસિદ્ધ કલાકારો દ્વારા નાના કલાકારોની મદદ કરવાનો સંકલ્પ કરાયો હતો. સાથે જ આ માટે જાહેર કાર્યક્રમો શરૂ થતાની સાથે જ એક ખાસ સપ્તપદી કાર્યક્રમનું આયોજન કરવાની જાહેરાત કરાઈ હતી. અને તેના દ્વારા થનારી તમામ આવકથી નાના તેમજ જરૂરિયાત વાળા કલાકારોને મદદ કરવાનો પણ સંકલ્પ લેવાયો છે.
- સૌરાષ્ટ્ર આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા તમામ નાના કલાકારોની મદદ કરવામાં આવશે
- એસોસિએશનમાં સુપ્રસિદ્ધ તેમજ ખ્યાતનામ કલાકારો સાંઇરામ દવે, રાજભા ગઢવી, કીર્તિદાન ગઢવી, માયાભાઇ આહિર, બ્રિજરાજદાન ગઢવી, બિહારીદાન ગઢવી, દેવાયત ખાવડ, ઉપરાંત હેમંત ચૌહાણ પણ જોડાયા
- જાહેર કાર્યક્રમો શરૂ થતાની સાથે જ એક ખાસ સપ્તપદી કાર્યક્રમનું આયોજન કરવાની જાહેરાત કરાઈ
રાજકોટ : સૌરાષ્ટ્રનાં દિગ્ગજ કલાકારો દ્વારા સૌપ્રથમ વખત એસોસિએશન શરૂ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર આર્ટિસ્ટ એસોસિએશન નામના આ ગ્રુપ દ્વારા તમામ નાના કલાકારોની મદદ કરવામાં આવશે. એટલું જ નહીં આવનારા સમયમાં તમામ કલાકારોને વીમા પોલિસી, હેલ્થ કાર્ડ, માં કાર્ડ તથા સરકારી સુવિધાઓ પણ આ એસોસિએશન દ્વારા પહોંચાડવામાં આવશે.
સૌરાષ્ટ્ર આર્ટીસ્ટ એસોસિએશનમાં સુપ્રસિદ્ધ તેમજ ખ્યાતનામ કલાકારો સાંઇરામ દવે, રાજભા ગઢવી, કીર્તિદાન ગઢવી, માયાભાઇ આહિર, બ્રિજરાજદાન ગઢવી, બિહારીદાન ગઢવી, દેવાયત ખાવડ, ઉપરાંત હેમંત ચૌહાણ પણ જોડાયા છે. આ એસોસિએશન દ્વારા આવનારા સમયમાં 'કલા'ની એકેડમી ખોલવાનું આયોજન પણ કરાયું છે.
આ તકે સાંઈરામ દવે અને કીર્તિદાન ગઢવી સહિતનાં પ્રસિદ્ધ કલાકારો દ્વારા નાના કલાકારોની મદદ કરવાનો સંકલ્પ કરાયો હતો. સાથે જ આ માટે જાહેર કાર્યક્રમો શરૂ થતાની સાથે જ એક ખાસ સપ્તપદી કાર્યક્રમનું આયોજન કરવાની જાહેરાત કરાઈ હતી. અને તેના દ્વારા થનારી તમામ આવકથી નાના તેમજ જરૂરિયાત વાળા કલાકારોને મદદ કરવાનો પણ સંકલ્પ લેવાયો છે.