રાજકોટ. શહેર ભાજપનાં પૂર્વ પ્રમુખ અને પૂર્વ ડેપ્યુટી મેયર ભીખાભાઈ વસોયાનું આજે કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે. કોરોનાની સારવાર દરમિયાન તેમની તબિયત ખરાબ થતાં તેમને ચેન્નઈ લઈ જવા સુધીની ચર્ચાઓ ચાલતી હતી. પરંતુ આ પહેલા જ તેમણે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા છે. જેને લઈને શહેર ભાજપમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ભીખાભાઈ વસોયાને કોરોના પોઝિટિવ આવ્યા બાદ 25 દિવસની સારવાર લીધા પછી તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ તેમનું ઓક્સીજન લેવલ ઘટી જતાં તેઓ સારવાર હેઠળ જ હતા. અને કોરોનાનાં કારણે તેમના ફેફસાંમાં સંક્રમણ વધી ગયું હોવાથી ગીરીરાજ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
છેલ્લા કેટલાક દિવસોથી મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ભીખાભાઈનાં પરિવાર સાથે સતત સંપર્કમાં હતા. જોકે આજે સવારથી તેમની હાલત ખૂબ ગંભીર હતી. અને જરૂર પડ્યે તેમને ચેન્નઈ ખસેડવાની તમામ તૈયારી પણ કરી લેવામાં આવી હતી. જો કે એ પહેલાં જ બપોરે 4:10 મિનિટ આસપાસ ભીખાભાઈએ અંતિમ શ્વાસ લેતા તેમના પરિવારજનો પણ સ્તબ્ધ થઈ ગયા છે.
રાજકોટ. શહેર ભાજપનાં પૂર્વ પ્રમુખ અને પૂર્વ ડેપ્યુટી મેયર ભીખાભાઈ વસોયાનું આજે કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે. કોરોનાની સારવાર દરમિયાન તેમની તબિયત ખરાબ થતાં તેમને ચેન્નઈ લઈ જવા સુધીની ચર્ચાઓ ચાલતી હતી. પરંતુ આ પહેલા જ તેમણે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા છે. જેને લઈને શહેર ભાજપમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ભીખાભાઈ વસોયાને કોરોના પોઝિટિવ આવ્યા બાદ 25 દિવસની સારવાર લીધા પછી તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ તેમનું ઓક્સીજન લેવલ ઘટી જતાં તેઓ સારવાર હેઠળ જ હતા. અને કોરોનાનાં કારણે તેમના ફેફસાંમાં સંક્રમણ વધી ગયું હોવાથી ગીરીરાજ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
છેલ્લા કેટલાક દિવસોથી મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ભીખાભાઈનાં પરિવાર સાથે સતત સંપર્કમાં હતા. જોકે આજે સવારથી તેમની હાલત ખૂબ ગંભીર હતી. અને જરૂર પડ્યે તેમને ચેન્નઈ ખસેડવાની તમામ તૈયારી પણ કરી લેવામાં આવી હતી. જો કે એ પહેલાં જ બપોરે 4:10 મિનિટ આસપાસ ભીખાભાઈએ અંતિમ શ્વાસ લેતા તેમના પરિવારજનો પણ સ્તબ્ધ થઈ ગયા છે.