ભારતીય કિસાન સંઘ દ્વારા ડેરીની ભરતીમાં ખુદ ચેરમેન દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવી કલેક્ટરને આવેદન પાઠવાયું હતું.
ડેરીનાં ચેરમેન ગોવિંદ રાણપરિયાએ પત્રકાર પરિષદ બોલાવી પોતાના પર લાગેલા તમામ આરોપો ફગાવી દિલીપ સખીયાનાં કારણે 3 લોકોએ આત્મહત્યા કરી હોવાનો સણસણતો આક્ષેપ કર્યો
સરકાર દાઉદની શોધખોળ બંધ કરી રાણપરિયા અને તેના સંપર્કોની તપાસ કરે એટલે દાઉદ સુધી પહોંચવામાં સરળતા રહેશે
રાજકોટ : ગઈકાલે ભારતીય કિસાન સંઘ દ્વારા ડેરીની ભરતીમાં ખુદ ચેરમેન દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવી કલેક્ટરને આવેદન પાઠવાયું હતું. અને જરૂરી કાર્યવાહીની માંગ કરી હતી. આજે ડેરીનાં ચેરમેન ગોવિંદ રાણપરિયાએ પત્રકાર પરિષદ બોલાવી પોતાના પર લાગેલા તમામ આરોપો ફગાવી દિલીપ સખીયાનાં કારણે 3 લોકોએ આત્મહત્યા કરી હોવાનો સણસણતો આક્ષેપ કર્યો હતો. જેને પગલે દિલીપ સખીયાએ આ આરોપો પાયાવિહોણા હોવાનું કહી ચેરમેન ખેડૂતોના હિતને બદલે વ્યક્તિગત વાત કરીને મુદ્દો ભટકાવવાનો પ્રયાસ કરતા હોવાનું જણાવ્યું હતું.
દિલીપ સખીયા દાઉદ ગેંગ સાથે સંકળાયેલો છે : ગોવિંદ રાણપરિયા
રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદ રણપરિયાએ પત્રકાર પરિષદ કરીને ડેરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનાં આક્ષેપ પાયાવિહોણા હોવાનું કહી તેનો ખુલાસો કર્યો હતો. અને જણાવ્યું હતું કે, હાલ ડેરીમાં રૂપિયા 667 ભાવ ચૂકવવામાં આવી રહ્યાં છે. ભાવફેરની રકમ ચૂકવતા ન હોવા અને ભેળસેળની વાતો સાવ ખોટી છે. છેલ્લા 2 વર્ષમાં પોણા 2 કરોડનું દૂધ ઢોળી દેવામાં આવ્યું છે. મારા સમયમાં 7-8 ભરતીઓ જ કરવામાં આવી હોય ગામનાં 28 લોકોની ભરતીનો તો સવાલ જ નથી.
આ સાથે જ તેમણે સમગ્ર મામલે, કેબિનેટમંત્રી જયેશ રાદડિયા દ્વારા મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. અને કિસાન સંઘ દ્વારા રૂપિયા માટે ખોટા આક્ષેપ કરવામાં આવી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું. બાદમાં દિલીપ સખીયા સામે પણ તેમણે ગંભીર આરોપો લગાવ્યા હતા. અને કહ્યું હતું કે, સખીયાએ સટ્ટામાં લોકોને રૂપિયા 10 કરોડનો ચુનો લગાવ્યો છે. એટલું જ નહીં ગામના 3 લોકોએ દિલીપ સખીયાના કારણે આત્મહત્યા કરી હોવાનું જણાવતા તેમણે નેપાળમાં પકડાયેલ 15 કિલો સોનુ સખીયાનાં પિતરાઈ ભાઈનું હોવાનું અને હાલ તે કહ્યું હતું. અને દિલીપ સખીયા દાઉદ ગેંગ સાથે સંકળાયેલ હોવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો છે.
સરકાર દાઉદને શોધવાને બદલે ગોવિંદ રાણપરિયાની તપાસ કરે : દિલીપ સખીયા
ગોવિંદ રાણપરિયાની પત્રકાર પરિષદ બાદ કિસાન સંઘનાં પ્રમુખ દિલીપ સખીયાએ પણ મીડિયા દ્વારા પોતાના પર લાગેલા આરોપોનું ખંડન કર્યું હતું. સાથે જ ગોવિંદ રાણપરિયા ખેડૂતોનાં બદલે વ્યક્તિગત આક્ષેપ કરીને મુદ્દો ભટકાવવાનો પ્રયાસ કરતા હોવાનું કહ્યું છે. એટલું જ નહીં તેમણે કહ્યું હતું કે, એમ તો હું પણ કહું કે સરકાર દાઉદની શોધખોળ બંધ કરી રાણપરિયા અને તેના સંપર્કોની તપાસ કરે એટલે દાઉદ સુધી પહોંચવામાં સરળતા રહેશે.
ભારતીય કિસાન સંઘ દ્વારા ડેરીની ભરતીમાં ખુદ ચેરમેન દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવી કલેક્ટરને આવેદન પાઠવાયું હતું.
ડેરીનાં ચેરમેન ગોવિંદ રાણપરિયાએ પત્રકાર પરિષદ બોલાવી પોતાના પર લાગેલા તમામ આરોપો ફગાવી દિલીપ સખીયાનાં કારણે 3 લોકોએ આત્મહત્યા કરી હોવાનો સણસણતો આક્ષેપ કર્યો
સરકાર દાઉદની શોધખોળ બંધ કરી રાણપરિયા અને તેના સંપર્કોની તપાસ કરે એટલે દાઉદ સુધી પહોંચવામાં સરળતા રહેશે
રાજકોટ : ગઈકાલે ભારતીય કિસાન સંઘ દ્વારા ડેરીની ભરતીમાં ખુદ ચેરમેન દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવી કલેક્ટરને આવેદન પાઠવાયું હતું. અને જરૂરી કાર્યવાહીની માંગ કરી હતી. આજે ડેરીનાં ચેરમેન ગોવિંદ રાણપરિયાએ પત્રકાર પરિષદ બોલાવી પોતાના પર લાગેલા તમામ આરોપો ફગાવી દિલીપ સખીયાનાં કારણે 3 લોકોએ આત્મહત્યા કરી હોવાનો સણસણતો આક્ષેપ કર્યો હતો. જેને પગલે દિલીપ સખીયાએ આ આરોપો પાયાવિહોણા હોવાનું કહી ચેરમેન ખેડૂતોના હિતને બદલે વ્યક્તિગત વાત કરીને મુદ્દો ભટકાવવાનો પ્રયાસ કરતા હોવાનું જણાવ્યું હતું.
દિલીપ સખીયા દાઉદ ગેંગ સાથે સંકળાયેલો છે : ગોવિંદ રાણપરિયા
રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદ રણપરિયાએ પત્રકાર પરિષદ કરીને ડેરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનાં આક્ષેપ પાયાવિહોણા હોવાનું કહી તેનો ખુલાસો કર્યો હતો. અને જણાવ્યું હતું કે, હાલ ડેરીમાં રૂપિયા 667 ભાવ ચૂકવવામાં આવી રહ્યાં છે. ભાવફેરની રકમ ચૂકવતા ન હોવા અને ભેળસેળની વાતો સાવ ખોટી છે. છેલ્લા 2 વર્ષમાં પોણા 2 કરોડનું દૂધ ઢોળી દેવામાં આવ્યું છે. મારા સમયમાં 7-8 ભરતીઓ જ કરવામાં આવી હોય ગામનાં 28 લોકોની ભરતીનો તો સવાલ જ નથી.
આ સાથે જ તેમણે સમગ્ર મામલે, કેબિનેટમંત્રી જયેશ રાદડિયા દ્વારા મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. અને કિસાન સંઘ દ્વારા રૂપિયા માટે ખોટા આક્ષેપ કરવામાં આવી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું. બાદમાં દિલીપ સખીયા સામે પણ તેમણે ગંભીર આરોપો લગાવ્યા હતા. અને કહ્યું હતું કે, સખીયાએ સટ્ટામાં લોકોને રૂપિયા 10 કરોડનો ચુનો લગાવ્યો છે. એટલું જ નહીં ગામના 3 લોકોએ દિલીપ સખીયાના કારણે આત્મહત્યા કરી હોવાનું જણાવતા તેમણે નેપાળમાં પકડાયેલ 15 કિલો સોનુ સખીયાનાં પિતરાઈ ભાઈનું હોવાનું અને હાલ તે કહ્યું હતું. અને દિલીપ સખીયા દાઉદ ગેંગ સાથે સંકળાયેલ હોવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો છે.
ગોવિંદ રાણપરિયાની પત્રકાર પરિષદ બાદ કિસાન સંઘનાં પ્રમુખ દિલીપ સખીયાએ પણ મીડિયા દ્વારા પોતાના પર લાગેલા આરોપોનું ખંડન કર્યું હતું. સાથે જ ગોવિંદ રાણપરિયા ખેડૂતોનાં બદલે વ્યક્તિગત આક્ષેપ કરીને મુદ્દો ભટકાવવાનો પ્રયાસ કરતા હોવાનું કહ્યું છે. એટલું જ નહીં તેમણે કહ્યું હતું કે, એમ તો હું પણ કહું કે સરકાર દાઉદની શોધખોળ બંધ કરી રાણપરિયા અને તેના સંપર્કોની તપાસ કરે એટલે દાઉદ સુધી પહોંચવામાં સરળતા રહેશે.