ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ બાતમીનાં આધારે છટકું ગોઠવીને આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો
રાજકોટમાં નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરતા એક બહેને રેમડીસીવીર ઈન્જેક્શનની કાળા બજારી થતી હોવાની માહિતી આપી
જલારામ હોસ્પિટલના રાહત મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા અંકિત રાઠોડ પાસેથી રૂ. 15000માં લીધા હોવાની કબૂલાત આપી
તમામ આરોપીઓ પાસે ઈન્જેક્શન વેચવા માટે કોઈ કાયદેસરનું લાયસન્સ પણ હતું નહીં
રાજકોટ : કોરોનાના સંક્રમણમાં આવેલા દર્દી માટે રેમદેસીવીર ઈન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. હાલ આ ઈન્જેકશનની માંગ વધી હોવાનો લાભ લઈ કેટલાક લોકોએ ઈન્જેકશનનાં કાળા બજાર શરૂ કર્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ બાતમીનાં આધારે છટકું ગોઠવીને આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અને આ મામલે એક મહિલા સહિત 5 આરોપીઓને ઝડપી લીધા છે. કોવિડ ટેસ્ટ બાદ તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે. જેમાં મોટા માથાઓનાં નામ ખુલવાની પૂરતી સંભાવનાઓ જણાઈ રહી છે.
આ સમગ્ર કૌભાંડ અંગે પોલીસનાં જણાવ્યા અનુસાર, રાજકોટમાં નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરતા એક બહેને રેમડીસીવીર ઈન્જેક્શનની કાળા બજારી થતી હોવાની માહિતી આપી હતી. જેમાં શાંતિ કોવિડ હોસ્પિટલનાં નર્સિંગ સ્ટાફ દેવયાનીબેન ચાવડા આ ઈન્જેકશનની વ્યવસ્થા કરી બદલામાં મૂળ કિંમતથી ડબલ જેટલી રકમ વસુલતા હોવાની જાણકારી મળી હતી. તારીખ 26 સપ્ટેમ્બરે રાત્રે તેઓ આવા બે ઈન્જેક્શન ગોંડલ રોડ શાંતિકુંજ હોસ્પિટલ નજીક આપવા આવવાનાં હોઈ પોલીસે અલગ-અલગ ટીમ બનાવી વોચ ગોઠવી હતી.
કોઈ બિલ કે આધાર પુરાવા વગર ઇન્જેક્શન વેચવામાં આવતુ પકડાયુ
દરમિયાન દેવયાનીબેન તેના ફિયાન્સ વિશાલ ગોહેલ સાથે ઈન્જેક્શન આપવા આવતા પોલીસે આ બંનેની અટકાયત કરી પૂછપરછ કરી હતી. જેમાં બંને પાસેથી કોઈ બિલ કે આધાર પુરાવા મળ્યા નહોતા. સાથે જ તેમણે આ ઈન્જેકશન જલારામ હોસ્પિટલના રાહત મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા અંકિત રાઠોડ પાસેથી રૂ. 15000માં લીધા હોવાની કબૂલાત આપી હતી. જેના આધારે પોલીસે અંકિત રાઠોડની પૂછપરછ કરતા તેણે જલારામ હોસ્પિટલનાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા જગદીશભાઈ શેઠ પાસેથી રૂ. 14000માં ઈન્જેક્શન ખરીદી કર્યાનું સ્વીકાર્યું હતું.
હિંમતભાઈની પૂછપરછ બાદ વધુ ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા
પોલીસે જગદીશભાઈ શેઠની પૂછપરછ કરતાં તેમણે અગાઉ જલારામ હોસ્પિટલમાં નોકરી કરતા હિંમત ચાવડા પાસેથી રૂ. 12000માં બે ઇન્જેક્શન ખરીદી કર્યા હોવાનું પોલીસને જણાવ્યું હતું. જેથી પોલીસે હિંમત ચાવડાની પણ પૂછપરછ કરતાં તેમણે આ બંને ઈન્જેકશન જગદીશભાઈને આપ્યા હોવાની કબુલાત કરી છે. જો કે આ હિંમતભાઈ પાસે ઈન્જેક્શન કયાંથી આવ્યા ? તે અંગે હજુ પોલીસ તપાસ ચાલી રહી છે. અને હિંમતભાઈની પૂછપરછ બાદ વધુ ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા છે.
તમામ આરોપીઓ એકબીજા પાસેથી ઈન્જેક્શન ખરીદી અને દર્દીના સગાને આપતા
ઉલ્લેખનીય છે કે, તમામ આરોપીઓ પાસે ઈન્જેક્શન વેચવા માટે કોઈ કાયદેસરનું લાયસન્સ પણ હતું નહીં. આ તમામ આરોપીઓ એકબીજા પાસેથી ઈન્જેક્શન ખરીદી અને દર્દીના સગાને આપતા હતા. અને પોતાના સ્વજનનો જીવ બચાવવા લોકો આ રકમ પણ ચૂકવવા તૈયાર થઈ જતા હતા. પોલીસે આ તમામ તપાસમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગનાં અધિકારીઓને સાથે રાખ્યાનું પણ જણાવ્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ બાતમીનાં આધારે છટકું ગોઠવીને આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો
રાજકોટમાં નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરતા એક બહેને રેમડીસીવીર ઈન્જેક્શનની કાળા બજારી થતી હોવાની માહિતી આપી
જલારામ હોસ્પિટલના રાહત મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા અંકિત રાઠોડ પાસેથી રૂ. 15000માં લીધા હોવાની કબૂલાત આપી
તમામ આરોપીઓ પાસે ઈન્જેક્શન વેચવા માટે કોઈ કાયદેસરનું લાયસન્સ પણ હતું નહીં
રાજકોટ : કોરોનાના સંક્રમણમાં આવેલા દર્દી માટે રેમદેસીવીર ઈન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. હાલ આ ઈન્જેકશનની માંગ વધી હોવાનો લાભ લઈ કેટલાક લોકોએ ઈન્જેકશનનાં કાળા બજાર શરૂ કર્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ બાતમીનાં આધારે છટકું ગોઠવીને આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અને આ મામલે એક મહિલા સહિત 5 આરોપીઓને ઝડપી લીધા છે. કોવિડ ટેસ્ટ બાદ તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે. જેમાં મોટા માથાઓનાં નામ ખુલવાની પૂરતી સંભાવનાઓ જણાઈ રહી છે.
આ સમગ્ર કૌભાંડ અંગે પોલીસનાં જણાવ્યા અનુસાર, રાજકોટમાં નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરતા એક બહેને રેમડીસીવીર ઈન્જેક્શનની કાળા બજારી થતી હોવાની માહિતી આપી હતી. જેમાં શાંતિ કોવિડ હોસ્પિટલનાં નર્સિંગ સ્ટાફ દેવયાનીબેન ચાવડા આ ઈન્જેકશનની વ્યવસ્થા કરી બદલામાં મૂળ કિંમતથી ડબલ જેટલી રકમ વસુલતા હોવાની જાણકારી મળી હતી. તારીખ 26 સપ્ટેમ્બરે રાત્રે તેઓ આવા બે ઈન્જેક્શન ગોંડલ રોડ શાંતિકુંજ હોસ્પિટલ નજીક આપવા આવવાનાં હોઈ પોલીસે અલગ-અલગ ટીમ બનાવી વોચ ગોઠવી હતી.
કોઈ બિલ કે આધાર પુરાવા વગર ઇન્જેક્શન વેચવામાં આવતુ પકડાયુ
દરમિયાન દેવયાનીબેન તેના ફિયાન્સ વિશાલ ગોહેલ સાથે ઈન્જેક્શન આપવા આવતા પોલીસે આ બંનેની અટકાયત કરી પૂછપરછ કરી હતી. જેમાં બંને પાસેથી કોઈ બિલ કે આધાર પુરાવા મળ્યા નહોતા. સાથે જ તેમણે આ ઈન્જેકશન જલારામ હોસ્પિટલના રાહત મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા અંકિત રાઠોડ પાસેથી રૂ. 15000માં લીધા હોવાની કબૂલાત આપી હતી. જેના આધારે પોલીસે અંકિત રાઠોડની પૂછપરછ કરતા તેણે જલારામ હોસ્પિટલનાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા જગદીશભાઈ શેઠ પાસેથી રૂ. 14000માં ઈન્જેક્શન ખરીદી કર્યાનું સ્વીકાર્યું હતું.
હિંમતભાઈની પૂછપરછ બાદ વધુ ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા
પોલીસે જગદીશભાઈ શેઠની પૂછપરછ કરતાં તેમણે અગાઉ જલારામ હોસ્પિટલમાં નોકરી કરતા હિંમત ચાવડા પાસેથી રૂ. 12000માં બે ઇન્જેક્શન ખરીદી કર્યા હોવાનું પોલીસને જણાવ્યું હતું. જેથી પોલીસે હિંમત ચાવડાની પણ પૂછપરછ કરતાં તેમણે આ બંને ઈન્જેકશન જગદીશભાઈને આપ્યા હોવાની કબુલાત કરી છે. જો કે આ હિંમતભાઈ પાસે ઈન્જેક્શન કયાંથી આવ્યા ? તે અંગે હજુ પોલીસ તપાસ ચાલી રહી છે. અને હિંમતભાઈની પૂછપરછ બાદ વધુ ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા છે.
તમામ આરોપીઓ એકબીજા પાસેથી ઈન્જેક્શન ખરીદી અને દર્દીના સગાને આપતા
ઉલ્લેખનીય છે કે, તમામ આરોપીઓ પાસે ઈન્જેક્શન વેચવા માટે કોઈ કાયદેસરનું લાયસન્સ પણ હતું નહીં. આ તમામ આરોપીઓ એકબીજા પાસેથી ઈન્જેક્શન ખરીદી અને દર્દીના સગાને આપતા હતા. અને પોતાના સ્વજનનો જીવ બચાવવા લોકો આ રકમ પણ ચૂકવવા તૈયાર થઈ જતા હતા. પોલીસે આ તમામ તપાસમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગનાં અધિકારીઓને સાથે રાખ્યાનું પણ જણાવ્યું હતું.