6 મહિના પૂર્વે ધ્રોલનાં ત્રિકોણબાગ ખાતે એક કારમાં આવેલા ચાર શખ્સોએ ધડાધડ ફાયરિંગ કરી ક્ષત્રિય યુવાનની કરપીણ હત્યા નિપજાવી હતી
મૃતકને ઓમદેવસિંહ સાથે જમીનના પ્લોટ બાબતે રૂપિયા 50 લાખની લેતીદેતી અને અનિરુધ્ધસિંહને ટોલનાકેથી વાહનો પસાર થવા દેવા બાબતે મનદુખ ચાલતું હોઈ બંનેએ આ હત્યા નીપજાવી
જામનગર : અંદાજે 6 મહિના પૂર્વે ધ્રોલનાં ત્રિકોણબાગ ખાતે એક કારમાં આવેલા ચાર શખ્સોએ ધડાધડ ફાયરિંગ કરી ક્ષત્રિય યુવાનની કરપીણ હત્યા નિપજાવી હતી. જે તે સમયે મોરબી પોલીસે બે આરોપીઓને દબોચી લીધા હતા. ત્યારબાદ હત્યાની સોપારી લેનાર બે પરપ્રાંતિય શખ્સોને પણ પોલીસે દબોચી લીધા હતા. જો કે આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર લાંબા સમયથી પોલીસને ચકમો આપી નાસી રહ્યા હતા. પરંતુ આજે આરઆરસેલ પોલીસે આ બંનેને ચોટીલા પાસેથી પકડી પાડ્યા છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તારીખ 6-માર્ચ,20020નાં રોજ ત્રિકોણ બાગ પાસે પોતાની કાર તરફ જઇ રહેલા દિવ્યરાજસિંહ જાડેજા નામના યુવાનની કારમાં આવેલા ચાર શખ્સોએ ધડાધડ ફાયરિંગ કરી હત્યા નિપજાવી હતી. જો કે મોરબી પોલીસે તરત જ બે શખ્સોને પકડી પાડ્યા હતા. અને બાદમાં જામનગર એલસીબીએ અન્ય રાજ્યના બે શાર્પશૂટરોને પણ પકડી પાડ્યા હતા.
https://youtu.be/vtOUH4RtuuE
આરોપીઓની પૂછપરછમાં પડધરી ટોલનાકામાં વાહનો પસાર થવા બાબતે મૃતક અને આરોપી મુસ્તાક વચ્ચે લાંબા સમયથી મનદુખ ચાલતું હતું. આ બાબતે જ બે ભાડૂતી માણસો રોકી મુસ્તાક અને અનિરુદ્ધસિંહ સોઢાએ આ હત્યાનો કારસો ઘડ્યો હોવાનું સામે આવ્યું હતું. પરંતુ મુસ્તાક પઠાણ અને અનિરુદ્ધસિંહ ફરાર હતા.
દરમિયાન રેન્જ પોલીસને મળેલ ચોક્કસ હકીકતના આધારે આજે લાંબા સમયથી ફરાર આ પ્રકરણના આરોપીઓ ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજા અને નરેદ્રસિંહ ઉર્ફે કાનો કાળુભા જાડેજા નામના બંનેને ચોટીલાથી જસદણ વચ્ચે આંતરી લેવાયા છે. જે તે સમયે આરોપી અનિરુદ્ધસિંહે બંને ભાડૂતીમારાઓની વયવસ્થા કરી હતી. જ્યારે આરોપી મુસ્તાકે અન્ય આરોપી સાથે મળીને ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાહેર થયું હતું.
આ મામલે અનિરુદ્ધસિંહ સોઢા, મુસ્તાક પઠાણ અને ફાયરીંગ કરનાર અખિલેશ ઉર્ફે બબલુ શ્રીરામદાસ ઠાકુર સહિત અજીત ઠાકુર નામના શખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસે આજે પકડાયેલ બન્નેનાં કબ્જામાંથી ત્રણ પિસ્તોલ કબજે કરી છે. મૃતકને ઓમદેવસિંહ સાથે જમીનના પ્લોટ બાબતે રૂપિયા 50 લાખની લેતીદેતી અને અનિરુધ્ધસિંહને ટોલનાકેથી વાહનો પસાર થવા દેવા બાબતે મનદુખ ચાલતું હોઈ બંનેએ આ હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે.
6 મહિના પૂર્વે ધ્રોલનાં ત્રિકોણબાગ ખાતે એક કારમાં આવેલા ચાર શખ્સોએ ધડાધડ ફાયરિંગ કરી ક્ષત્રિય યુવાનની કરપીણ હત્યા નિપજાવી હતી
મૃતકને ઓમદેવસિંહ સાથે જમીનના પ્લોટ બાબતે રૂપિયા 50 લાખની લેતીદેતી અને અનિરુધ્ધસિંહને ટોલનાકેથી વાહનો પસાર થવા દેવા બાબતે મનદુખ ચાલતું હોઈ બંનેએ આ હત્યા નીપજાવી
જામનગર : અંદાજે 6 મહિના પૂર્વે ધ્રોલનાં ત્રિકોણબાગ ખાતે એક કારમાં આવેલા ચાર શખ્સોએ ધડાધડ ફાયરિંગ કરી ક્ષત્રિય યુવાનની કરપીણ હત્યા નિપજાવી હતી. જે તે સમયે મોરબી પોલીસે બે આરોપીઓને દબોચી લીધા હતા. ત્યારબાદ હત્યાની સોપારી લેનાર બે પરપ્રાંતિય શખ્સોને પણ પોલીસે દબોચી લીધા હતા. જો કે આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર લાંબા સમયથી પોલીસને ચકમો આપી નાસી રહ્યા હતા. પરંતુ આજે આરઆરસેલ પોલીસે આ બંનેને ચોટીલા પાસેથી પકડી પાડ્યા છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તારીખ 6-માર્ચ,20020નાં રોજ ત્રિકોણ બાગ પાસે પોતાની કાર તરફ જઇ રહેલા દિવ્યરાજસિંહ જાડેજા નામના યુવાનની કારમાં આવેલા ચાર શખ્સોએ ધડાધડ ફાયરિંગ કરી હત્યા નિપજાવી હતી. જો કે મોરબી પોલીસે તરત જ બે શખ્સોને પકડી પાડ્યા હતા. અને બાદમાં જામનગર એલસીબીએ અન્ય રાજ્યના બે શાર્પશૂટરોને પણ પકડી પાડ્યા હતા.
આરોપીઓની પૂછપરછમાં પડધરી ટોલનાકામાં વાહનો પસાર થવા બાબતે મૃતક અને આરોપી મુસ્તાક વચ્ચે લાંબા સમયથી મનદુખ ચાલતું હતું. આ બાબતે જ બે ભાડૂતી માણસો રોકી મુસ્તાક અને અનિરુદ્ધસિંહ સોઢાએ આ હત્યાનો કારસો ઘડ્યો હોવાનું સામે આવ્યું હતું. પરંતુ મુસ્તાક પઠાણ અને અનિરુદ્ધસિંહ ફરાર હતા.
દરમિયાન રેન્જ પોલીસને મળેલ ચોક્કસ હકીકતના આધારે આજે લાંબા સમયથી ફરાર આ પ્રકરણના આરોપીઓ ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજા અને નરેદ્રસિંહ ઉર્ફે કાનો કાળુભા જાડેજા નામના બંનેને ચોટીલાથી જસદણ વચ્ચે આંતરી લેવાયા છે. જે તે સમયે આરોપી અનિરુદ્ધસિંહે બંને ભાડૂતીમારાઓની વયવસ્થા કરી હતી. જ્યારે આરોપી મુસ્તાકે અન્ય આરોપી સાથે મળીને ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાહેર થયું હતું.
આ મામલે અનિરુદ્ધસિંહ સોઢા, મુસ્તાક પઠાણ અને ફાયરીંગ કરનાર અખિલેશ ઉર્ફે બબલુ શ્રીરામદાસ ઠાકુર સહિત અજીત ઠાકુર નામના શખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસે આજે પકડાયેલ બન્નેનાં કબ્જામાંથી ત્રણ પિસ્તોલ કબજે કરી છે. મૃતકને ઓમદેવસિંહ સાથે જમીનના પ્લોટ બાબતે રૂપિયા 50 લાખની લેતીદેતી અને અનિરુધ્ધસિંહને ટોલનાકેથી વાહનો પસાર થવા દેવા બાબતે મનદુખ ચાલતું હોઈ બંનેએ આ હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે.