ખાનગી હોસ્પિટલો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાની અનેક ફરિયાદો નિયમીત રીતે જાહેર થઇ રહી છે.
દર્દીના મોત બાદ પણ રૂ. 40 હજારની કિંમતના ઇન્જેક્શન સગા પાસે મંગાવ્યા
સવારે 9 વાગ્યે મારી પાસે રૂપિયા 40 હજારની કિંમતનું ઇન્જેક્શન મંગાવ્યા, પરંતુ આ અંગે મારા અન્ય સંબંધીને વાત કરતા તેમને પોણા નવ વાગ્યે દર્દીનાં મોતનાં સમાચાર હોસ્પિટલ તંત્ર દ્વારા અપાયા હતા
[caption id="attachment_3299" align="aligncenter" width="640"] મૃત્યુ પામેલા દર્દી અને તેના સગા પાસે મંગાવવામાં આવેલી ઇન્જેક્શન[/caption]
રાજકોટ. શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. દરમિયાન ખાનગી હોસ્પિટલો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાની નેક ફરિયાદો સામે આવી ચૂકી છે. ત્યારે આવી જ વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં ઓરેન્જ કોવિડ હોસ્પિટલ દ્વારા દર્દીનાં એક સગાને મોતની જાણ કર્યા બાદ બીજા સગા પાસે ઇન્જેક્શન મંગવાતા અનેક સવાલો ઉઠ્યા છે. અને મૃતકનાં સગા-સંબંધીઓનાં ટોળા ઉમટી પડતા હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર, આજરોજ શહેરની ઓરેન્જ કોવિડ હોસ્પિટલ ખાતે એક કોરોના દર્દીનું મોત નિપજ્યું હતું. જેને લઈને પરિવારજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અને હોસ્પિટલ તંત્ર પર બેદરકારીનો આરોપ લગાવી હોબાળો મચાવ્યો હતો. જેમાં મૃતકનાં સગાએ જણાવ્યું હતું કે, પરિવારજનોએ સવારે 4 વાગ્યે વાત કરી ત્યારે દર્દી બિલકુલ સ્વસ્થ હતા.
https://youtu.be/hWgi04eqKeg
વધુમાં તેમણે કહ્યું હતું કે, સવારે 9 વાગ્યે મારી પાસે રૂપિયા 40 હજારની કિંમતનું ઇન્જેક્શન મંગાવવામાં આવ્યું હતું. પરંતુ આ અંગે મારા અન્ય સંબંધીને વાત કરતા તેમને પોણા નવ વાગ્યે દર્દીનાં મોતનાં સમાચાર હોસ્પિટલ તંત્ર દ્વારા અપાયા હોવાનું જાણવા મળ્યું હતું. માત્ર 3 કલાક પહેલા બિલકુલ સ્વસ્થ લાગતા વ્યક્તિનું મોત થયા ઉપરાંત ઇન્જેક્શન મંગવાયા મુદ્દે તલસ્પર્શી તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ પરિવારજનોએ કરી છે.
ખાનગી હોસ્પિટલો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાની અનેક ફરિયાદો નિયમીત રીતે જાહેર થઇ રહી છે.
દર્દીના મોત બાદ પણ રૂ. 40 હજારની કિંમતના ઇન્જેક્શન સગા પાસે મંગાવ્યા
સવારે 9 વાગ્યે મારી પાસે રૂપિયા 40 હજારની કિંમતનું ઇન્જેક્શન મંગાવ્યા, પરંતુ આ અંગે મારા અન્ય સંબંધીને વાત કરતા તેમને પોણા નવ વાગ્યે દર્દીનાં મોતનાં સમાચાર હોસ્પિટલ તંત્ર દ્વારા અપાયા હતા
[caption id="attachment_3299" align="aligncenter" width="640"] મૃત્યુ પામેલા દર્દી અને તેના સગા પાસે મંગાવવામાં આવેલી ઇન્જેક્શન[/caption]
રાજકોટ. શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. દરમિયાન ખાનગી હોસ્પિટલો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાની નેક ફરિયાદો સામે આવી ચૂકી છે. ત્યારે આવી જ વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં ઓરેન્જ કોવિડ હોસ્પિટલ દ્વારા દર્દીનાં એક સગાને મોતની જાણ કર્યા બાદ બીજા સગા પાસે ઇન્જેક્શન મંગવાતા અનેક સવાલો ઉઠ્યા છે. અને મૃતકનાં સગા-સંબંધીઓનાં ટોળા ઉમટી પડતા હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર, આજરોજ શહેરની ઓરેન્જ કોવિડ હોસ્પિટલ ખાતે એક કોરોના દર્દીનું મોત નિપજ્યું હતું. જેને લઈને પરિવારજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અને હોસ્પિટલ તંત્ર પર બેદરકારીનો આરોપ લગાવી હોબાળો મચાવ્યો હતો. જેમાં મૃતકનાં સગાએ જણાવ્યું હતું કે, પરિવારજનોએ સવારે 4 વાગ્યે વાત કરી ત્યારે દર્દી બિલકુલ સ્વસ્થ હતા.
વધુમાં તેમણે કહ્યું હતું કે, સવારે 9 વાગ્યે મારી પાસે રૂપિયા 40 હજારની કિંમતનું ઇન્જેક્શન મંગાવવામાં આવ્યું હતું. પરંતુ આ અંગે મારા અન્ય સંબંધીને વાત કરતા તેમને પોણા નવ વાગ્યે દર્દીનાં મોતનાં સમાચાર હોસ્પિટલ તંત્ર દ્વારા અપાયા હોવાનું જાણવા મળ્યું હતું. માત્ર 3 કલાક પહેલા બિલકુલ સ્વસ્થ લાગતા વ્યક્તિનું મોત થયા ઉપરાંત ઇન્જેક્શન મંગવાયા મુદ્દે તલસ્પર્શી તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ પરિવારજનોએ કરી છે.