રાજકોટ. આજરોજ પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં મનપાની આ ટર્મનું અંતિમ જનરલ બોર્ડ યોજાયું હતું. જેમાં પણ હંમેશની જેમ પ્રજાનાં પ્રશ્નોની ચર્ચા કરવાને બદલે બંને પક્ષનાં કોર્પોરેટરોએ હોબાળો કર્યો હતો. આ તકે કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે ગેરેન્ટીવાળા રોડ તૂટી જતા હોવાનું અને રોડ-રસ્તા અંગે પ્રશ્નો પૂછતા મનપાના ઉચ્ચ અધિકારીઓ પણ ગેંગેફેફે કરવા લાગ્યા હતા. આ સમયે શાસક પક્ષના મહિલા કોર્પોરેટરો દ્વારા પ્રશ્નનો જવાબ અટકાવી ભાજપનાં વિકાસનાં કાર્યોનું વર્ણન શરૂ કરતાં હોબાળો થયો હતો. અને કમિશ્નરનો જવાબ કોઈને સંભળાયો પણ નહોતો.
https://youtu.be/msIKHEU9u9Y
બોર્ડમાં ભાજપનાં કોર્પોરેટરોએ પોતાની સરકારે કરેલા વિકાસ કામોની ગાથા બોર્ડમાં ગાવાનું ચાલુ કરતા કોંગી કોર્પોરેટર દ્વારા પાંચ વર્ષ પહેલા બનેલા ડેમ, હોસ્પીટલો અને બ્રીજ સહિતનાં પ્રોજેક્ટો કોંગ્રેસની દેન હોવાનું જણાવી ભાજપની બોલતી બંધ કરવાનો પ્રયાસ કરાયો હતો. અને આજના અંતિમ બોર્ડમાં પણ બોર્ડની ગરીમાં ન જાળવી કોર્પોરેટરોએ જનરલ બોર્ડનો એક કલાકનો સમય વેડફી નાંખ્યો હતો.
જો કે આ તકે સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડે વિનંતી કરી પાંચ વર્ષમાં ભાજપ કે કોંગ્રેસે કરેલા કામો અને બાકી રહેલા કામોની ચર્ચા કરવાની અપીલ કરી હતી. અને કહ્યું હતું કે, પ્રજાએ આપણને ચૂંટીને કામ કરવા માટે બેસાડ્યા છે. ત્યારે લોકોના કામની જ ચર્ચા થવી જોઇએ. તેમજ બોર્ડમાં શાંતિ રાખી બોર્ડની ગરીમાને આંચ ન આવે તે આપણી નૈતિક જવાબદારી બને છે. પરંતુ તેમની વાતો પર શાસક કે વિપક્ષનાં કોર્પોરેટરોએ ખાસ ધ્યાન આપ્યું નહોતું.
ભાજપનાં કોર્પોરેટર કશ્યપભાઇ શુક્લએ અધ્ધવચ્ચે ઉભા થઇ વોર્ડ નં.3ના કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાને ટાર્ગેટ કરીને કહ્યું હતું કે, બળુકા તેમજ પ્રદેશમાં સ્થાન ધરાવતા હોય તેવા કોર્પોરેટરોના વોર્ડમાં પ્રથમ કામ થાય છે. અને બાકીના કોર્પોરેટરોને ન્યાય મળતો નથી. દરેક વોર્ડને સરખો ન્યાય મળવો જોઇએ અને પ્રજાના કામો થવા જોઇએ. તો બીજીતરફ ઉદય કાનગડે કોંગ્રેસને નિશાન બનાવી હાલ કોંગ્રેસ ઈટાલીની છે, ગાંધીની નથી તેવું કહેતા કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા ગિન્નાયા હતા.
ગાયત્રીબાએ મેયરને સંબોધી કહ્યું હતું કે, ઉદયભાઇના આવા બોલથી જનરલ બોર્ડમાં કોંગ્રેસના અધ્યક્ષનું અપમાન થયું છે. આથી શાસકપક્ષ પાસે માફી મંગાવી જોઈએ. જનરલ બોર્ડમાં પ્રાદેશિક કક્ષાની કોઇ વાત નથી. છતા ઉદયભાઇએ કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખને જ નિશાન બનાવી તેમનું અપમાન કર્યું જે સાંખી લેવામાં નહીં આવે. તો રોડ તૂટવા મુદ્દે જણાવતા કમિશ્નરે કહ્યું હતું કે, છેલ્લા 4 વર્ષથી ગેરેન્ટીવાળા રોડ બનાવાય છે. આ વરસાદમાં આ પૈકી કોઈ રોડ તૂટ્યો નથી. અને જો તૂટ્યો હશે તો કોન્ટ્રાક્ટરે સ્વખર્ચે રીપેર કરાવવાનો રહેશે.
રાજકોટ. આજરોજ પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં મનપાની આ ટર્મનું અંતિમ જનરલ બોર્ડ યોજાયું હતું. જેમાં પણ હંમેશની જેમ પ્રજાનાં પ્રશ્નોની ચર્ચા કરવાને બદલે બંને પક્ષનાં કોર્પોરેટરોએ હોબાળો કર્યો હતો. આ તકે કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે ગેરેન્ટીવાળા રોડ તૂટી જતા હોવાનું અને રોડ-રસ્તા અંગે પ્રશ્નો પૂછતા મનપાના ઉચ્ચ અધિકારીઓ પણ ગેંગેફેફે કરવા લાગ્યા હતા. આ સમયે શાસક પક્ષના મહિલા કોર્પોરેટરો દ્વારા પ્રશ્નનો જવાબ અટકાવી ભાજપનાં વિકાસનાં કાર્યોનું વર્ણન શરૂ કરતાં હોબાળો થયો હતો. અને કમિશ્નરનો જવાબ કોઈને સંભળાયો પણ નહોતો.
બોર્ડમાં ભાજપનાં કોર્પોરેટરોએ પોતાની સરકારે કરેલા વિકાસ કામોની ગાથા બોર્ડમાં ગાવાનું ચાલુ કરતા કોંગી કોર્પોરેટર દ્વારા પાંચ વર્ષ પહેલા બનેલા ડેમ, હોસ્પીટલો અને બ્રીજ સહિતનાં પ્રોજેક્ટો કોંગ્રેસની દેન હોવાનું જણાવી ભાજપની બોલતી બંધ કરવાનો પ્રયાસ કરાયો હતો. અને આજના અંતિમ બોર્ડમાં પણ બોર્ડની ગરીમાં ન જાળવી કોર્પોરેટરોએ જનરલ બોર્ડનો એક કલાકનો સમય વેડફી નાંખ્યો હતો.
જો કે આ તકે સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડે વિનંતી કરી પાંચ વર્ષમાં ભાજપ કે કોંગ્રેસે કરેલા કામો અને બાકી રહેલા કામોની ચર્ચા કરવાની અપીલ કરી હતી. અને કહ્યું હતું કે, પ્રજાએ આપણને ચૂંટીને કામ કરવા માટે બેસાડ્યા છે. ત્યારે લોકોના કામની જ ચર્ચા થવી જોઇએ. તેમજ બોર્ડમાં શાંતિ રાખી બોર્ડની ગરીમાને આંચ ન આવે તે આપણી નૈતિક જવાબદારી બને છે. પરંતુ તેમની વાતો પર શાસક કે વિપક્ષનાં કોર્પોરેટરોએ ખાસ ધ્યાન આપ્યું નહોતું.
ભાજપનાં કોર્પોરેટર કશ્યપભાઇ શુક્લએ અધ્ધવચ્ચે ઉભા થઇ વોર્ડ નં.3ના કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાને ટાર્ગેટ કરીને કહ્યું હતું કે, બળુકા તેમજ પ્રદેશમાં સ્થાન ધરાવતા હોય તેવા કોર્પોરેટરોના વોર્ડમાં પ્રથમ કામ થાય છે. અને બાકીના કોર્પોરેટરોને ન્યાય મળતો નથી. દરેક વોર્ડને સરખો ન્યાય મળવો જોઇએ અને પ્રજાના કામો થવા જોઇએ. તો બીજીતરફ ઉદય કાનગડે કોંગ્રેસને નિશાન બનાવી હાલ કોંગ્રેસ ઈટાલીની છે, ગાંધીની નથી તેવું કહેતા કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા ગિન્નાયા હતા.
ગાયત્રીબાએ મેયરને સંબોધી કહ્યું હતું કે, ઉદયભાઇના આવા બોલથી જનરલ બોર્ડમાં કોંગ્રેસના અધ્યક્ષનું અપમાન થયું છે. આથી શાસકપક્ષ પાસે માફી મંગાવી જોઈએ. જનરલ બોર્ડમાં પ્રાદેશિક કક્ષાની કોઇ વાત નથી. છતા ઉદયભાઇએ કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખને જ નિશાન બનાવી તેમનું અપમાન કર્યું જે સાંખી લેવામાં નહીં આવે. તો રોડ તૂટવા મુદ્દે જણાવતા કમિશ્નરે કહ્યું હતું કે, છેલ્લા 4 વર્ષથી ગેરેન્ટીવાળા રોડ બનાવાય છે. આ વરસાદમાં આ પૈકી કોઈ રોડ તૂટ્યો નથી. અને જો તૂટ્યો હશે તો કોન્ટ્રાક્ટરે સ્વખર્ચે રીપેર કરાવવાનો રહેશે.