આપ યુવા મોરચા દ્વારા 50% ફી માફીની માંગ સાથે ઉપવાસ આંદોલનની જાહેરાત કરવામાં આવી
ઉપવાસ આંદોલન શરૂ કરવા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ પહોંચતા પહેલા જ પોલીસ દ્વારા 'આપ'નાં આગેવાનો તેમજ કાર્યકરોની અટકાયત કરાઇ
શિક્ષણ 100 ટકા બંધ છે ત્યારે ફી માં માત્ર 25 ટકાની રાહત શા માટે ? નાં સવાલ ઉઠ્યા
રાજકોટ : રાજ્ય સરકારે ગઈકાલે ખાનગી શાળાની ફીમાં 25% રાહતની જાહેરાત કરી છે. જોકે આ મુદ્દે વાલીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જેને લઈ શહેરનાં આપ યુવા મોરચા દ્વારા 50% ફી માફીની માંગ સાથે ઉપવાસ આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આજરોજ ઉપવાસ આંદોલન શરૂ કરવા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ પહોંચતા પહેલા જ પોલીસ દ્વારા 'આપ'નાં આગેવાનો તેમજ કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી છે.
આ તકે આમ આદમી પાર્ટીએ પોલીસ સરકારના ઈશારે કામ કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. અને સવાલ ઉઠાવ્યો હતો કે, કેટલાક શાળા સંચાલકો દ્વારા અગાઉ પણ 25% ફી માફીની પહેલ થઈ હતી. તો શું રાજ્ય સરકાર 25% ફી પોતના ફંડમાંથી ન આપી શકે ? અને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મસમોટી રાહત પેકેજની જાહેરાતો થઈ તો શું એમાથી વિધ્યાર્થીઓની 25% ફી ની રાહત સરકાર ન આપી શકે ?
આવા સવાલો ઉઠાવીને ત્યારે આમ આદમી પાર્ટી યુવા મોરચા દ્વારા માંગ કરવામાં આવી છે કે, સ્કૂલ સંચાલકો અને રાજ્ય સરકાર મળીને વાલીઓને ફીમાં 50% ની રાહત આપે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે વાલી મંડળ દ્વારા પણ આ મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પાઠવાયું હતું. અને શિક્ષણ 100 ટકા બંધ છે ત્યારે ફી માં માત્ર 25 ટકાની રાહત શા માટે ? નાં સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે આજે આ મુદ્દે ઉપવાસ આંદોલન કરવા જતાં આપ અગ્રણીઓની અટકાયત કરી હેડક્વાર્ટર ખાતે લઈ જવાયા છે.
આપ યુવા મોરચા દ્વારા 50% ફી માફીની માંગ સાથે ઉપવાસ આંદોલનની જાહેરાત કરવામાં આવી
ઉપવાસ આંદોલન શરૂ કરવા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ પહોંચતા પહેલા જ પોલીસ દ્વારા 'આપ'નાં આગેવાનો તેમજ કાર્યકરોની અટકાયત કરાઇ
શિક્ષણ 100 ટકા બંધ છે ત્યારે ફી માં માત્ર 25 ટકાની રાહત શા માટે ? નાં સવાલ ઉઠ્યા
રાજકોટ : રાજ્ય સરકારે ગઈકાલે ખાનગી શાળાની ફીમાં 25% રાહતની જાહેરાત કરી છે. જોકે આ મુદ્દે વાલીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જેને લઈ શહેરનાં આપ યુવા મોરચા દ્વારા 50% ફી માફીની માંગ સાથે ઉપવાસ આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આજરોજ ઉપવાસ આંદોલન શરૂ કરવા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ પહોંચતા પહેલા જ પોલીસ દ્વારા 'આપ'નાં આગેવાનો તેમજ કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી છે.
આ તકે આમ આદમી પાર્ટીએ પોલીસ સરકારના ઈશારે કામ કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. અને સવાલ ઉઠાવ્યો હતો કે, કેટલાક શાળા સંચાલકો દ્વારા અગાઉ પણ 25% ફી માફીની પહેલ થઈ હતી. તો શું રાજ્ય સરકાર 25% ફી પોતના ફંડમાંથી ન આપી શકે ? અને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મસમોટી રાહત પેકેજની જાહેરાતો થઈ તો શું એમાથી વિધ્યાર્થીઓની 25% ફી ની રાહત સરકાર ન આપી શકે ?
આવા સવાલો ઉઠાવીને ત્યારે આમ આદમી પાર્ટી યુવા મોરચા દ્વારા માંગ કરવામાં આવી છે કે, સ્કૂલ સંચાલકો અને રાજ્ય સરકાર મળીને વાલીઓને ફીમાં 50% ની રાહત આપે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે વાલી મંડળ દ્વારા પણ આ મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પાઠવાયું હતું. અને શિક્ષણ 100 ટકા બંધ છે ત્યારે ફી માં માત્ર 25 ટકાની રાહત શા માટે ? નાં સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે આજે આ મુદ્દે ઉપવાસ આંદોલન કરવા જતાં આપ અગ્રણીઓની અટકાયત કરી હેડક્વાર્ટર ખાતે લઈ જવાયા છે.