રાજકોટ : આજે રાજકોટની લોધિકા સંઘનાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપનાં આંતરિક જૂથવાદ વચ્ચે કોંગ્રેસે મેદાન માર્યું છે. અને સંઘના ચેરમેન પદ પર મૂળ કોંગ્રેસી નરેન્દ્રસિંહ જાડેજાની નિમણૂંક કરાઈ છે. તો વાઈસ ચેરમેન પદ પર સંજય અમરેલીયાની નિમણૂંક કરવામાં આવી છે. જેને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અને સ્થાનિક કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાયા છે. જો કે આ તકે જીતની ઉજવણીમાં કોરોનાનાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જેવા નિયમોનો સરેઆમ ઉલાળીયો થવા છતાં પોલીસ મુક પ્રેક્ષક બની હતી.
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં નરેન્દ્રસિંહ જાડેજા ચેરમેન જાહેર થયા બાદ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડયા હતા. અને ખુદ નરેન્દ્રસિંહ, રૈયાણી સહિત અનેક સમર્થકો પણ માસ્ક વિના નજરે પડ્યા હતા. આ સમયે સામાન્ય લોકો સામે દંડો પછાડીને દંડ વસુલતી પોલીસ પણ મુક પ્રેક્ષક બની હતી. જેને લઈને ફરીથી એકવાર નિયમો માત્ર ને માત્ર સામાન્ય લોકો માટે જ છે. તેમજ નેતાઓને કોરોનાનો કોઈ ભય જ નથી જેવી ચર્ચાઓ લોકોમાં થવા લાગી હતી.
જાણો કોણ છે રા.લો. સંઘના નવા ચેરમેન નરેન્દ્રસિંહ
નવા ચેરમેન બનેલ નરેન્દ્રસિંહ જાડેજા પત્રકાર હોવાની સાથે અગાઉ રાજકોટ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા રહી ચૂક્યા છે. તેમજ લાંબા સમય સુધી જીવન કોમર્શિયલ બેંકના ચેરમેન રહી ચૂક્યા છે. કોંગ્રેસમાંથી નિષ્ક્રિય થયા બાદ તેમણે લાંબા સમય સુધી રાજકારણમાંથી વિરામ લીધો હતો. જો કે છેલ્લા ત્રણેક વર્ષથી સક્રિય બન્યા છે. અને તાજેતરમાં જ ભાજપનાં અગ્રણીઓ સાથે મંચ શેર કરી ચુક્યા છે. અને છેલ્લા બે મહિનાથી સહકારી ક્ષેત્રે સક્રિય થયા છે. ચેરમેન બનતાની સાથે જ પોતે એક ખેડૂત પુત્ર હોવાનું જણાવી તેમણે ખેડૂતોનાં હિત માટે કામ કરવાનું જાહેર કર્યું છે. સાથે જ તમામ જૂથવાદને નાબૂદ કરવાની ખાતરી પણ તેમણે આપી છે.
ભાજપનાં MLA અને સહકારી આગેવાન સામસામે હતા
ઉલ્લેખનીય છે કે, રાજકોટ લોધિકા સંઘમાં ભાજપનાં જ બે જૂથ આમનેસામને હતા. ભાજપનાં સહકારી આગેવાન નીતિન ઢાકેચા અને ધારાસભ્ય અરવિંદ રૈયાણી વચ્ચે ચેરમેન પદ માટે ભારે ખેંચતાણ ચાલી રહી હતી. અને આજની ચૂંટણીમાં ધારાસભ્ય રૈયાણી તેમજ ઢાંકેચા વચ્ચે બળાબળના પારખા થવાના હતા. સાથે જ બંને પક્ષે જીતનાં મોટા-મોટા દાવાઓ કરાયા હતા.
જો કે આ બધા વચ્ચે ગતરાત્રે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા સહિત પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં સંઘનાં ડિરેક્ટરોની એક બેઠક યોજાઇ હતી. જેમાં 21 વર્ષથી ચેરમેન પદ પર રહેલા ઢાંકેચાનાં સ્થાને સર્વાનુમતે જ નરેન્દ્રસિંહ જાડેજાની વરણી કરી લેવામાં આવી હતી. જેની ઔપચારિક જાહેરાત આજે કરાઈ છે.
રાજકોટ : આજે રાજકોટની લોધિકા સંઘનાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપનાં આંતરિક જૂથવાદ વચ્ચે કોંગ્રેસે મેદાન માર્યું છે. અને સંઘના ચેરમેન પદ પર મૂળ કોંગ્રેસી નરેન્દ્રસિંહ જાડેજાની નિમણૂંક કરાઈ છે. તો વાઈસ ચેરમેન પદ પર સંજય અમરેલીયાની નિમણૂંક કરવામાં આવી છે. જેને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અને સ્થાનિક કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાયા છે. જો કે આ તકે જીતની ઉજવણીમાં કોરોનાનાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જેવા નિયમોનો સરેઆમ ઉલાળીયો થવા છતાં પોલીસ મુક પ્રેક્ષક બની હતી.
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં નરેન્દ્રસિંહ જાડેજા ચેરમેન જાહેર થયા બાદ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડયા હતા. અને ખુદ નરેન્દ્રસિંહ, રૈયાણી સહિત અનેક સમર્થકો પણ માસ્ક વિના નજરે પડ્યા હતા. આ સમયે સામાન્ય લોકો સામે દંડો પછાડીને દંડ વસુલતી પોલીસ પણ મુક પ્રેક્ષક બની હતી. જેને લઈને ફરીથી એકવાર નિયમો માત્ર ને માત્ર સામાન્ય લોકો માટે જ છે. તેમજ નેતાઓને કોરોનાનો કોઈ ભય જ નથી જેવી ચર્ચાઓ લોકોમાં થવા લાગી હતી.
જાણો કોણ છે રા.લો. સંઘના નવા ચેરમેન નરેન્દ્રસિંહ
નવા ચેરમેન બનેલ નરેન્દ્રસિંહ જાડેજા પત્રકાર હોવાની સાથે અગાઉ રાજકોટ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા રહી ચૂક્યા છે. તેમજ લાંબા સમય સુધી જીવન કોમર્શિયલ બેંકના ચેરમેન રહી ચૂક્યા છે. કોંગ્રેસમાંથી નિષ્ક્રિય થયા બાદ તેમણે લાંબા સમય સુધી રાજકારણમાંથી વિરામ લીધો હતો. જો કે છેલ્લા ત્રણેક વર્ષથી સક્રિય બન્યા છે. અને તાજેતરમાં જ ભાજપનાં અગ્રણીઓ સાથે મંચ શેર કરી ચુક્યા છે. અને છેલ્લા બે મહિનાથી સહકારી ક્ષેત્રે સક્રિય થયા છે. ચેરમેન બનતાની સાથે જ પોતે એક ખેડૂત પુત્ર હોવાનું જણાવી તેમણે ખેડૂતોનાં હિત માટે કામ કરવાનું જાહેર કર્યું છે. સાથે જ તમામ જૂથવાદને નાબૂદ કરવાની ખાતરી પણ તેમણે આપી છે.
ભાજપનાં MLA અને સહકારી આગેવાન સામસામે હતા
ઉલ્લેખનીય છે કે, રાજકોટ લોધિકા સંઘમાં ભાજપનાં જ બે જૂથ આમનેસામને હતા. ભાજપનાં સહકારી આગેવાન નીતિન ઢાકેચા અને ધારાસભ્ય અરવિંદ રૈયાણી વચ્ચે ચેરમેન પદ માટે ભારે ખેંચતાણ ચાલી રહી હતી. અને આજની ચૂંટણીમાં ધારાસભ્ય રૈયાણી તેમજ ઢાંકેચા વચ્ચે બળાબળના પારખા થવાના હતા. સાથે જ બંને પક્ષે જીતનાં મોટા-મોટા દાવાઓ કરાયા હતા.
જો કે આ બધા વચ્ચે ગતરાત્રે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા સહિત પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં સંઘનાં ડિરેક્ટરોની એક બેઠક યોજાઇ હતી. જેમાં 21 વર્ષથી ચેરમેન પદ પર રહેલા ઢાંકેચાનાં સ્થાને સર્વાનુમતે જ નરેન્દ્રસિંહ જાડેજાની વરણી કરી લેવામાં આવી હતી. જેની ઔપચારિક જાહેરાત આજે કરાઈ છે.