વ્યાજખોરોની ચુંગુલમાં ફંસાયેલા લોકો પણ સામે આવીને ફરિયાદ નોંધાવી રહ્યા છે
કોંગ્રેસ અગ્રણી અને વોર્ડ નંબર-18નાં કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાનાં પતિ મયુરસિંહ જાડેજાએ રૂપિયા 5 લાખ વ્યાજે આપી વેપારીનાં સંબંધીનાં ફ્લેટ પર કબ્જો કર્યાનું સામે આવતા પોલીસ એક્શનમાં આવી
મયુરસિંહ સતુભા જાડેજા સામે વિવિધ પોલીસ મથકમાં અગાઉ 15 જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે.
રાજકોટ. શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વ્યાજખોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. જેને પગલે એક બાદ એક વ્યાજખોરોની ચુંગુલમાં ફંસાયેલા લોકો પણ સામે આવીને ફરિયાદ નોંધાવી રહ્યા છે. ત્યારે આવી જ વધુ એક ફરિયાદ સામે આવી હતી. જેમાં કોંગ્રેસ અગ્રણી અને વોર્ડ નંબર-18નાં કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાનાં પતિ મયુરસિંહ જાડેજાએ રૂપિયા 5 લાખ વ્યાજે આપી વેપારીનાં સંબંધીનાં ફ્લેટ પર કબ્જો કર્યાનું જણાવાયું છે. આ ફરિયાદને આધારે ક્રાઈમ બ્રાન્ચે ગણતરીની જ કલાકોમાં આરોપી મયુરસિંહને ઝડપી પાડ્યો છે. અને આ ફ્લેટમાં બહારની યુવતિઓ પાસે દેહવ્યાપાર પણ કરાવાતો હોવાનું ખુલતા અલગથી ગુનો નોંધાયો છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, ઢેબર રોડ પર રહેતા જતીનભાઈ પ્રમોદભાઈ શેઠે ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ મયુરસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ જતીનભાઈએ મયુરસિંહ પાસેથી રૂ. 5 લાખ 5% વ્યાજે લીધા હતા. જે સમયસર ચૂકવી ન શકતા મયુરસિંહ દ્વારા ધાકધમકી આપવાનું શરૂ કરાયું હતું. એટલું જ નહીં બાદમાં જાનથી મારવાની ધમકી આપીને તેમનાં મોટા બાપુનો ફ્લેટ કે જેની તેઓ માત્ર દેખરેખ રાખે છે તેની ચાવી લઈ ફ્લેટ પર કબજો કરી લીધો હતો. તેમજ જ્યાં સુધી તમામ રકમ પરત નહીં મળે ત્યાં સુધી ફ્લેટ ભૂલી જવાની ધમકી પણ આપી હતી.
વધુમાં જતીનભાઈએ જણાવ્યું હતું કે, હાલ ફ્લેટમાં ચાર હિન્દી ભાષી યુવતિઓ રહે છે. ત્યારે તેમને ફ્લેટ ક્યારે અને કોણે ભાડે આપ્યો છે ? તે અંગે પણ તપાસ કરવી જરૂરી છે. આ બાબતે એ-ડિવિઝન પોલીસ દ્વારા તપાસ કરતા આ ફ્લેટમાં દેહવ્યાપાર થતો હોવાનું પણ સામે આવ્યું છે. જેને પગલે ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, મયુરસિંહ સતુભા જાડેજા કોંગ્રેસ અગ્રણી હોવાની સાથે જ વોર્ડ નંબર 18નાં કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાનાં પતિ પણ છે. અને તેના વિરૂદ્ધ શહેરનાં વિવિધ પોલીસ મથકમાં અગાઉ 15 જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે. ત્યારે મયુરસિંહ જાડેજા પાસે વ્યાજે રૂપિયા લઈને તેમની ચંગુલમાં ફંસાયેલા અન્ય લોકોને કોઈપણ જાતના ડર કે શહેશરમ વિના સામે આવીને ફરિયાદ નોંધાવવા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અપીલ કરવામાં આવી છે.
વ્યાજખોરોની ચુંગુલમાં ફંસાયેલા લોકો પણ સામે આવીને ફરિયાદ નોંધાવી રહ્યા છે
કોંગ્રેસ અગ્રણી અને વોર્ડ નંબર-18નાં કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાનાં પતિ મયુરસિંહ જાડેજાએ રૂપિયા 5 લાખ વ્યાજે આપી વેપારીનાં સંબંધીનાં ફ્લેટ પર કબ્જો કર્યાનું સામે આવતા પોલીસ એક્શનમાં આવી
મયુરસિંહ સતુભા જાડેજા સામે વિવિધ પોલીસ મથકમાં અગાઉ 15 જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે.
રાજકોટ. શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વ્યાજખોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. જેને પગલે એક બાદ એક વ્યાજખોરોની ચુંગુલમાં ફંસાયેલા લોકો પણ સામે આવીને ફરિયાદ નોંધાવી રહ્યા છે. ત્યારે આવી જ વધુ એક ફરિયાદ સામે આવી હતી. જેમાં કોંગ્રેસ અગ્રણી અને વોર્ડ નંબર-18નાં કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાનાં પતિ મયુરસિંહ જાડેજાએ રૂપિયા 5 લાખ વ્યાજે આપી વેપારીનાં સંબંધીનાં ફ્લેટ પર કબ્જો કર્યાનું જણાવાયું છે. આ ફરિયાદને આધારે ક્રાઈમ બ્રાન્ચે ગણતરીની જ કલાકોમાં આરોપી મયુરસિંહને ઝડપી પાડ્યો છે. અને આ ફ્લેટમાં બહારની યુવતિઓ પાસે દેહવ્યાપાર પણ કરાવાતો હોવાનું ખુલતા અલગથી ગુનો નોંધાયો છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, ઢેબર રોડ પર રહેતા જતીનભાઈ પ્રમોદભાઈ શેઠે ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ મયુરસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ જતીનભાઈએ મયુરસિંહ પાસેથી રૂ. 5 લાખ 5% વ્યાજે લીધા હતા. જે સમયસર ચૂકવી ન શકતા મયુરસિંહ દ્વારા ધાકધમકી આપવાનું શરૂ કરાયું હતું. એટલું જ નહીં બાદમાં જાનથી મારવાની ધમકી આપીને તેમનાં મોટા બાપુનો ફ્લેટ કે જેની તેઓ માત્ર દેખરેખ રાખે છે તેની ચાવી લઈ ફ્લેટ પર કબજો કરી લીધો હતો. તેમજ જ્યાં સુધી તમામ રકમ પરત નહીં મળે ત્યાં સુધી ફ્લેટ ભૂલી જવાની ધમકી પણ આપી હતી.
વધુમાં જતીનભાઈએ જણાવ્યું હતું કે, હાલ ફ્લેટમાં ચાર હિન્દી ભાષી યુવતિઓ રહે છે. ત્યારે તેમને ફ્લેટ ક્યારે અને કોણે ભાડે આપ્યો છે ? તે અંગે પણ તપાસ કરવી જરૂરી છે. આ બાબતે એ-ડિવિઝન પોલીસ દ્વારા તપાસ કરતા આ ફ્લેટમાં દેહવ્યાપાર થતો હોવાનું પણ સામે આવ્યું છે. જેને પગલે ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, મયુરસિંહ સતુભા જાડેજા કોંગ્રેસ અગ્રણી હોવાની સાથે જ વોર્ડ નંબર 18નાં કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાનાં પતિ પણ છે. અને તેના વિરૂદ્ધ શહેરનાં વિવિધ પોલીસ મથકમાં અગાઉ 15 જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે. ત્યારે મયુરસિંહ જાડેજા પાસે વ્યાજે રૂપિયા લઈને તેમની ચંગુલમાં ફંસાયેલા અન્ય લોકોને કોઈપણ જાતના ડર કે શહેશરમ વિના સામે આવીને ફરિયાદ નોંધાવવા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અપીલ કરવામાં આવી છે.