યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપની ઓફીસો અને રહેણાંક મકાન ખાતે લઈ જઈ પંચનામું અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું
રિકન્સ્ટ્રક્શન વેળાએ ગોંડલ ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા, ડીવાયએસપી મહર્ષિ રાવલ, પી.આઈ એસ એમ જાડેજા, પીએસઆઇ બી એલ ઝાલા સહિતનો પોલીસ કાફલો હાજર રહ્યો
WatchGujarat. ગોંડલમાં ગુજસીટોકના ગુન્હામાં પોલીસે 12 આરોપીઓની અટકાયત કરી છે. આ પૈકી સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવીને રીમાન્ડમાં સોંપાયેલ નિખીલ દોંગા સહીત ત્રણ આરોપીને જીલ્લા પોલીસ વડા બલરામ મીણાની હાજરીમાં જ પોલીસ કાફલા સાથે ગુન્હાનાં કામે યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપની ઓફીસો અને રહેણાંક મકાન ખાતે લઈ જઈ પંચનામું અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ તકે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારના પ્રથમ ગુજસીકોટનો ગુનો નોંધાયો છે. અને જેતપુરનાં એએસપી સાગર બાગમાર આ અંગેની તપાસ ચલાવી રહ્યા છે. ત્યારે શુક્રવારે નિખિલ દોંગા તેના સાગરીત નવઘણ શિયાળ અને શક્તિસિંહ ચુડાસમાને ગોંડલ લઈ જવાયા હતા. જ્યાં ત્રણ ખૂણીયાથી યોગરાજ પાનવાળા રોડ પરની યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપની ઓફિસ ઉપરાંત ગાયત્રી નગરમાં આવેલું તેનું રહેણાંક મકાન બતાવવામાં આવ્યું હતું.
આ સમગ્ર રિકન્સ્ટ્રક્શન વેળાએ ગોંડલ ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા, ડીવાયએસપી મહર્ષિ રાવલ, પી.આઈ એસ એમ જાડેજા, પીએસઆઇ બી એલ ઝાલા સહિતનો પોલીસ કાફલો હાજર રહ્યો હતો. અને પોલીસે નિખિલ તેની ઓફિસ અને ઘર પર કઈ રીતે હવાલા લેતો હતો તે અંગેની પૂછપરછ પણ કરી હતી. છેલ્લા કેટલાક દિવસથી નિખિલ દોંગાની રિમાન્ડ ચાલી રહી હોય ખુદ એસપીની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન હાથ ધરાતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
More #ગોંડલ #ગુજસીકોટ #Watchgujarat
યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપની ઓફીસો અને રહેણાંક મકાન ખાતે લઈ જઈ પંચનામું અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું
WatchGujarat. ગોંડલમાં ગુજસીટોકના ગુન્હામાં પોલીસે 12 આરોપીઓની અટકાયત કરી છે. આ પૈકી સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવીને રીમાન્ડમાં સોંપાયેલ નિખીલ દોંગા સહીત ત્રણ આરોપીને જીલ્લા પોલીસ વડા બલરામ મીણાની હાજરીમાં જ પોલીસ કાફલા સાથે ગુન્હાનાં કામે યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપની ઓફીસો અને રહેણાંક મકાન ખાતે લઈ જઈ પંચનામું અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ તકે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારના પ્રથમ ગુજસીકોટનો ગુનો નોંધાયો છે. અને જેતપુરનાં એએસપી સાગર બાગમાર આ અંગેની તપાસ ચલાવી રહ્યા છે. ત્યારે શુક્રવારે નિખિલ દોંગા તેના સાગરીત નવઘણ શિયાળ અને શક્તિસિંહ ચુડાસમાને ગોંડલ લઈ જવાયા હતા. જ્યાં ત્રણ ખૂણીયાથી યોગરાજ પાનવાળા રોડ પરની યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપની ઓફિસ ઉપરાંત ગાયત્રી નગરમાં આવેલું તેનું રહેણાંક મકાન બતાવવામાં આવ્યું હતું.
આ સમગ્ર રિકન્સ્ટ્રક્શન વેળાએ ગોંડલ ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા, ડીવાયએસપી મહર્ષિ રાવલ, પી.આઈ એસ એમ જાડેજા, પીએસઆઇ બી એલ ઝાલા સહિતનો પોલીસ કાફલો હાજર રહ્યો હતો. અને પોલીસે નિખિલ તેની ઓફિસ અને ઘર પર કઈ રીતે હવાલા લેતો હતો તે અંગેની પૂછપરછ પણ કરી હતી. છેલ્લા કેટલાક દિવસથી નિખિલ દોંગાની રિમાન્ડ ચાલી રહી હોય ખુદ એસપીની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન હાથ ધરાતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.