રાજકોટ. ગુજરાત કિસાન કોંગ્રેસે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો અમલ ન કરવા રાજ્ય સરકારને જ નોટિસ આપી છે. જેમાં અગ્ર, કૃષિ, નાણાં, તેમજ મહેસુલ સચિવ ઉપરાંત મુખ્યમંત્રી, કૃષિમંત્રી, મહેસુલ મંત્રી, નાણાંમંત્રી, તમામ કલેકટર, સહિત તમામ સંસદ સભ્યોને પણ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. જેમાં 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન જે 17 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો ત્યાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો અમલ કરવાની માંગ કરાઈ છે.
કિસાન કોંગ્રેસનાં કહેવા મુજબ, ખંભાળિયા તાલુકામાં અતિવૃષ્ટિમાં 25 ઇંચથી વધારે વરસાદ નોંધાયો હોઈ તેને પણ આ યોજનામાં સમાવેશ કરવો જોઈએ. અને કલ્યાણપુર, અંજાર, ગાંધીધામ, ભુજ, કોટડાસાંગાણી, ગોંડલ, ધોરાજી, ધ્રોલ, સિહોર, રાણાવાવ, બાબરા, ગીર ગઢડા, વિજાપુર, નેત્રાંગ, વ્યારા, બારડોલી સહિત તાલુકાઓમાં પણ આયોજનાનો અમલ કરવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે પાકવીમાંના પર્યાય તરીકે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લોન્ચ કરાઈ હતી. સરકારે કહ્યું હતું કે, ખેડૂતોને SDRF અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બન્નેનો લાભ મળવાપાત્ર હશે તો મળશે. અને હવે ખેડૂતો પ્રીમિયર ભર્યા વગર કિસાન સહાય યોજના મારફત પાકવિમો મેળવશે" ની જાહેરાતો સરકારે કરી હતી. ત્યારે કિસાન કોંગ્રેસે રાજ્ય સરકાર સામે કેટલાક મહત્વનાં સવાલો ઉઠાવ્યા છે.
કિસાન કોંગ્રેસનાં સરકારને સીધો સવાલ
મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત પછી અમલ કરવામાં સરકાર કેમ પીછેહઠ કરી રહી છે ?
ગુજરાતના ખેડૂતો જાણવા માંગે છે હજુ સુધી કિસાન સહાય યોજનાનો અમલ કેમ નહિ ?
જો નિયમોનુસાર અમલ કરવાપાત્ર ન હોય તો સરકાર પ્રેસ કોંફરન્સ કરી કારણો જાહેર કેમ નથી કરતી ?
ગુજરાત કિસાન કોંગ્રેસના આગામી પગલાં
જો સરકાર અમલ નહિ કરે તો આ 17 તાલુકામાં કિસાન કોંગ્રેસ જન આંદોલન કરશે
જન આંદોલનથી પણ સરકાર નહિ સમજે તો કિસાન કોંગ્રેસ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરશે
ખેડૂતોને પાક નુક્શાનીનું વળતર નિયમોનુસાર મળવાપાત્ર છે તાત્કાલીક વળતર ચુકવવામાં આવે
કિસાન કોંગ્રેસ 18 નવેમ્બર ધ્રોલ, 20 નવેમ્બર નેત્રાંગ, 23 નવેમ્બર રાણાવાવ, 24 નવેમ્બર કલ્યાણપુરમાં આવેદનપત્ર આપશે
https://youtu.be/6e81PjO945w
ગુજરાત કિસાન કોંગ્રેસનાં ચેરમેન પાલ આંબલિયાનાં જણાવ્યા મુજબ, કિસાન કોંગ્રેસે જન આંદોલન અને ગુજરાત હાઈકોર્ટમાં જતા પહેલા સરકારને જ નોટિસ આપી છે. જેમાં તારીખ 13 નવેમ્બર 2020 ના રોજ ગુજરાત કિસાન કોંગ્રેસે રાજ્યના અગ્ર સચિવ, કૃષિ સચિવ, નાણાં સચિવ અને મહેસૂલ સચિવને એક નોટિસ આપી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો ઉપરોક્ત 17 તાલુકામાં અમલ કરવા વિનંતી કરી છે. જેમાં કહ્યું છે કે ઉપરોક્ત 17 તાલુકાઓ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત અમલને પાત્ર છે તેમ છતાં રાજ્ય સરકારે આ તાલુકાઓમાં આ યોજનાનો અમલ ન કરી ખેડૂતોને મોટું નુકસાન કરવામાં આવ્યું છે ત્યારે તેનો તાત્કાલિક અમલ કરવામાં આવે અન્યથા અમારે ન છૂટકે જન આંદોલન અને નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જવાની ફરજ પડશે
મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શું છે
આ યોજના મુજબ તેના ત્રણ ભાગ છે
1) દુષ્કાળ, 2) અતિવૃષ્ટિ, 3) માવઠું
1) દુષ્કાળ : સિઝનનો 10 ઇંચ કરતા ઓછો વરસાદ અથવા સતત 4 અઠવાડિયા વરસાદ ન પડે
2) અતિવૃષ્ટિ : દક્ષિણ ગુજરાત માં સતત 48 કલાકમાં 35 ઇંચ તેના સિવાય મધ્ય, ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં સતત 48 કલાકમાં 25 ઇંચ વરસાદ પડે તો અતિવૃષ્ટિ ગણાય
3) માવઠું : ગુજરાતના કોઈપણ તાલુકા મથકે રેઇનગેજમાં 15 ઓકટોબર થી 15 નવેમ્બર વચ્ચે સતત 48 કલાકમાં 2 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય તો તેને માવઠું ગણવામાં આવશે
યોજનાનો અમલ કેવીરીતે
ઉપરોકત નિયમોનુસાર કોઈપણ તાલુકામાં વરસાદ પડે તો કલેકટર દ્વારા 7 દિવસમાં તેની દરખાસ્ત કરવાની હોય છે ત્યારેબાદ 7 દિવસમાં રાજ્ય સરકારે લગત ડીડીઓ ને જાણ કરવાની ત્યારબાદના 15 દિવસમાં ડીડીઓએ સર્વે કરી તેનો અમલ કરવાનો હોય છે
જો યોજના અમલ થાય તો ખેડૂતોને પાક નુક્શાનીનું વળતર કેવી રીતે અને કેટલું મળે
આ યોજનામાં નક્કી કરેલા નિયમોનુસાર વરસાદ નોંધાયો હોય તો ડીડીઓ દ્વારા ખેડૂતને થયેલ પાક નુક્શાનીનું સર્વે કરવાનું હોય છે જો ખેડૂતને 33% થી 60% સુધી નુકશાન હોય તો પ્રતી હેકટર 20,000 રૂપિયા મળવાપાત્ર છે વધારેમાં વધારે 4 હેકટર સુધીનું (4×20,000 = 80,000) વળતર મળવાપાત્ર છે જો નુકશાન 60% થી વધારે થયું હોય તો પ્રતી હેકટર 25,000 રૂપિયા મળવાપાત્ર છે વધારેમાં વધારે 4 હેકટર સુધીનું(4×25,000=1,00,000) વળતર મળવાપાત્ર છે.
રાજકોટ. ગુજરાત કિસાન કોંગ્રેસે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો અમલ ન કરવા રાજ્ય સરકારને જ નોટિસ આપી છે. જેમાં અગ્ર, કૃષિ, નાણાં, તેમજ મહેસુલ સચિવ ઉપરાંત મુખ્યમંત્રી, કૃષિમંત્રી, મહેસુલ મંત્રી, નાણાંમંત્રી, તમામ કલેકટર, સહિત તમામ સંસદ સભ્યોને પણ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. જેમાં 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન જે 17 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો ત્યાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો અમલ કરવાની માંગ કરાઈ છે.
કિસાન કોંગ્રેસનાં કહેવા મુજબ, ખંભાળિયા તાલુકામાં અતિવૃષ્ટિમાં 25 ઇંચથી વધારે વરસાદ નોંધાયો હોઈ તેને પણ આ યોજનામાં સમાવેશ કરવો જોઈએ. અને કલ્યાણપુર, અંજાર, ગાંધીધામ, ભુજ, કોટડાસાંગાણી, ગોંડલ, ધોરાજી, ધ્રોલ, સિહોર, રાણાવાવ, બાબરા, ગીર ગઢડા, વિજાપુર, નેત્રાંગ, વ્યારા, બારડોલી સહિત તાલુકાઓમાં પણ આયોજનાનો અમલ કરવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે પાકવીમાંના પર્યાય તરીકે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લોન્ચ કરાઈ હતી. સરકારે કહ્યું હતું કે, ખેડૂતોને SDRF અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બન્નેનો લાભ મળવાપાત્ર હશે તો મળશે. અને હવે ખેડૂતો પ્રીમિયર ભર્યા વગર કિસાન સહાય યોજના મારફત પાકવિમો મેળવશે" ની જાહેરાતો સરકારે કરી હતી. ત્યારે કિસાન કોંગ્રેસે રાજ્ય સરકાર સામે કેટલાક મહત્વનાં સવાલો ઉઠાવ્યા છે.
કિસાન કોંગ્રેસનાં સરકારને સીધો સવાલ
મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત પછી અમલ કરવામાં સરકાર કેમ પીછેહઠ કરી રહી છે ?
ગુજરાતના ખેડૂતો જાણવા માંગે છે હજુ સુધી કિસાન સહાય યોજનાનો અમલ કેમ નહિ ?
જો નિયમોનુસાર અમલ કરવાપાત્ર ન હોય તો સરકાર પ્રેસ કોંફરન્સ કરી કારણો જાહેર કેમ નથી કરતી ?
ગુજરાત કિસાન કોંગ્રેસના આગામી પગલાં
જો સરકાર અમલ નહિ કરે તો આ 17 તાલુકામાં કિસાન કોંગ્રેસ જન આંદોલન કરશે
જન આંદોલનથી પણ સરકાર નહિ સમજે તો કિસાન કોંગ્રેસ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરશે
ખેડૂતોને પાક નુક્શાનીનું વળતર નિયમોનુસાર મળવાપાત્ર છે તાત્કાલીક વળતર ચુકવવામાં આવે
ગુજરાત કિસાન કોંગ્રેસનાં ચેરમેન પાલ આંબલિયાનાં જણાવ્યા મુજબ, કિસાન કોંગ્રેસે જન આંદોલન અને ગુજરાત હાઈકોર્ટમાં જતા પહેલા સરકારને જ નોટિસ આપી છે. જેમાં તારીખ 13 નવેમ્બર 2020 ના રોજ ગુજરાત કિસાન કોંગ્રેસે રાજ્યના અગ્ર સચિવ, કૃષિ સચિવ, નાણાં સચિવ અને મહેસૂલ સચિવને એક નોટિસ આપી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો ઉપરોક્ત 17 તાલુકામાં અમલ કરવા વિનંતી કરી છે. જેમાં કહ્યું છે કે ઉપરોક્ત 17 તાલુકાઓ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત અમલને પાત્ર છે તેમ છતાં રાજ્ય સરકારે આ તાલુકાઓમાં આ યોજનાનો અમલ ન કરી ખેડૂતોને મોટું નુકસાન કરવામાં આવ્યું છે ત્યારે તેનો તાત્કાલિક અમલ કરવામાં આવે અન્યથા અમારે ન છૂટકે જન આંદોલન અને નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જવાની ફરજ પડશે
મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શું છે
આ યોજના મુજબ તેના ત્રણ ભાગ છે
1) દુષ્કાળ, 2) અતિવૃષ્ટિ, 3) માવઠું
1) દુષ્કાળ : સિઝનનો 10 ઇંચ કરતા ઓછો વરસાદ અથવા સતત 4 અઠવાડિયા વરસાદ ન પડે
2) અતિવૃષ્ટિ : દક્ષિણ ગુજરાત માં સતત 48 કલાકમાં 35 ઇંચ તેના સિવાય મધ્ય, ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં સતત 48 કલાકમાં 25 ઇંચ વરસાદ પડે તો અતિવૃષ્ટિ ગણાય
3) માવઠું : ગુજરાતના કોઈપણ તાલુકા મથકે રેઇનગેજમાં 15 ઓકટોબર થી 15 નવેમ્બર વચ્ચે સતત 48 કલાકમાં 2 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય તો તેને માવઠું ગણવામાં આવશે
યોજનાનો અમલ કેવીરીતે
ઉપરોકત નિયમોનુસાર કોઈપણ તાલુકામાં વરસાદ પડે તો કલેકટર દ્વારા 7 દિવસમાં તેની દરખાસ્ત કરવાની હોય છે ત્યારેબાદ 7 દિવસમાં રાજ્ય સરકારે લગત ડીડીઓ ને જાણ કરવાની ત્યારબાદના 15 દિવસમાં ડીડીઓએ સર્વે કરી તેનો અમલ કરવાનો હોય છે
જો યોજના અમલ થાય તો ખેડૂતોને પાક નુક્શાનીનું વળતર કેવી રીતે અને કેટલું મળે
આ યોજનામાં નક્કી કરેલા નિયમોનુસાર વરસાદ નોંધાયો હોય તો ડીડીઓ દ્વારા ખેડૂતને થયેલ પાક નુક્શાનીનું સર્વે કરવાનું હોય છે જો ખેડૂતને 33% થી 60% સુધી નુકશાન હોય તો પ્રતી હેકટર 20,000 રૂપિયા મળવાપાત્ર છે વધારેમાં વધારે 4 હેકટર સુધીનું (4×20,000 = 80,000) વળતર મળવાપાત્ર છે જો નુકશાન 60% થી વધારે થયું હોય તો પ્રતી હેકટર 25,000 રૂપિયા મળવાપાત્ર છે વધારેમાં વધારે 4 હેકટર સુધીનું(4×25,000=1,00,000) વળતર મળવાપાત્ર છે.