લેઉવા પટેલ સમાજની એકતાનાં પ્રતીક સમાન ખોડલધામ ખાતે પાટીદાર આગેવાનોની એક બેઠક મળી
બેઠક માત્ર સમાજનાં વિકાસની ચર્ચા કરવા યોજાઈ - નરેશ પટેલ
WatchGujarat. કોર્પોરેશનની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે રવિવારે લેઉવા પટેલ સમાજની એકતાનાં પ્રતીક સમાન ખોડલધામ ખાતે પાટીદાર આગેવાનોની એક બેઠક મળી હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસનાં અનેક દિગ્ગજ નેતાઓ એકસાથે હાજર રહ્યા હતા. ખોડલધામ પ્રમુખ નરેશ પટેલના જણાવ્યા મુજબ, આ બેઠક માત્ર સમાજનાં વિકાસની ચર્ચા કરવા યોજાઈ હતી. આ બેઠકને રાજકારણ સાથે કોઈ લેવાદેવા ન હોવાનું પણ તેમણે કહ્યું હતું. #Rajkot
નરેશ પટેલનાં જણાવ્યા મુજબ, બેઠકમાં સમાજનાં અંદાજે 100 જેટલા આગેવાનો હાજર રહ્યા હતા. અને મુખ્યત્વે દરેક સમાજને સાથે રાખી આપણું કદ કેમ વધારવું તેની ચર્ચા થઈ હતી. સાથે દર 3 મહિને આવી બેઠક યોજવાનો નિર્ણય લેવાયો છે. ભાજપ કે કોંગ્રેસ એવું નહીં પરંતુ સૌ એક છીએ તેવી ભાવના કેળવવી અને સામાજીક રીતે સૌએ એકસાથે રહેવું તેમજ એજ્યુકેશન ફિલ્ડમાં બધાને સાચવવા અંગેની ચર્ચાઓ કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, ભાજપના નેતા ગોરધન ઝડફિયા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા સહિત ભાજપ-કોંગ્રેસના આગેવાનો અને સમાજના આગેવાનો હાજર રહ્યાં હતા.
More #Khodal dham #Organized #meeting #Rajkot #WatchGujarat
લેઉવા પટેલ સમાજની એકતાનાં પ્રતીક સમાન ખોડલધામ ખાતે પાટીદાર આગેવાનોની એક બેઠક મળી
બેઠક માત્ર સમાજનાં વિકાસની ચર્ચા કરવા યોજાઈ - નરેશ પટેલ
WatchGujarat. કોર્પોરેશનની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે રવિવારે લેઉવા પટેલ સમાજની એકતાનાં પ્રતીક સમાન ખોડલધામ ખાતે પાટીદાર આગેવાનોની એક બેઠક મળી હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસનાં અનેક દિગ્ગજ નેતાઓ એકસાથે હાજર રહ્યા હતા. ખોડલધામ પ્રમુખ નરેશ પટેલના જણાવ્યા મુજબ, આ બેઠક માત્ર સમાજનાં વિકાસની ચર્ચા કરવા યોજાઈ હતી. આ બેઠકને રાજકારણ સાથે કોઈ લેવાદેવા ન હોવાનું પણ તેમણે કહ્યું હતું. #Rajkot
નરેશ પટેલનાં જણાવ્યા મુજબ, બેઠકમાં સમાજનાં અંદાજે 100 જેટલા આગેવાનો હાજર રહ્યા હતા. અને મુખ્યત્વે દરેક સમાજને સાથે રાખી આપણું કદ કેમ વધારવું તેની ચર્ચા થઈ હતી. સાથે દર 3 મહિને આવી બેઠક યોજવાનો નિર્ણય લેવાયો છે. ભાજપ કે કોંગ્રેસ એવું નહીં પરંતુ સૌ એક છીએ તેવી ભાવના કેળવવી અને સામાજીક રીતે સૌએ એકસાથે રહેવું તેમજ એજ્યુકેશન ફિલ્ડમાં બધાને સાચવવા અંગેની ચર્ચાઓ કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, ભાજપના નેતા ગોરધન ઝડફિયા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા સહિત ભાજપ-કોંગ્રેસના આગેવાનો અને સમાજના આગેવાનો હાજર રહ્યાં હતા.
More #Khodal dham #Organized #meeting #Rajkot #WatchGujarat