રાજકોટના માર્કેટ યાર્ડમાં પાણી ભરાવવાને કારણે 1 લાખ જેટલી મગફળીની ગુણો પલળી ગઈ
મોડી રાત્રે વરસાદ આવતા મગફળી અને કપાસનો જથ્થો પલળી જવાને કારણે વેપારી ભાવ ઘટાડશે
WatchGujarat. Rajkot સહિત રાજ્યના અનેક શહેરોમાં ગઈકાલે મોડી રાતથી જ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જેને લઈને રાજકોટના માર્કેટ યાર્ડમાં પાણી ભરાયું હતું. જેથી 1 લાખ જેટલી મગફળીની ગુણો પલળી ગઈ હતી. બીજી તરફ કપાસનો જથ્થો પણ પલળી ગયો છે. જેને લઈને ખેડૂતોને લાખોનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. બીજી તરફ ખેતરમાં ઉભા પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ખેડૂતોએ સ્થિતી અંગે નિરાશ થતા કહ્યું કે કપાસ પલળી જતા હવે કપાસમાં 50 રૂપિયાની ઘટ આવશે. જેથી સરકારે તેને સરભર કરવા માટે કંઈક કરવું જોઈએ.
કપાસ પલળી જતાં મણ દીઠ રૂ 50-100 ની ઘટ આવશે- ખેડૂત
ખંઢેરી ગામના ખેડૂતે જણાવ્યું કે, મોડી રાત્રે વરસાદ આવતા મગફળી અને કપાસનો જથ્થો પલળી ગયો હતો. જેથી વેપારી ભાવ ઘટાડશે. વરસાદના પગલે મણે 50થી 100 રૂપિયાની ઘટ આવશે. પહેલા 1100 રૂપિયા આવતા હતા અને હવે 1100થી ઓછો ભાવ મળશે. #Rajkot
શિયાળુ પાકમાં માવઠાનો માર પડ્યો
સૌરાષ્ટ્રના કેટલાય ભાગોના વાતાવરણમાં ગત રોજ બપોર બાદ પલટો આવ્યો હતો. અને સાંજના સમયે કમોસમી વરસાદ વરસતાં ખેડૂતો પર પડ્યા પર પાટા જેવો ઘાટ આ વર્ષે થયો છે. અગાઉ ચોમાસુ પાકમાં અતિવૃષ્ટિનો માર સહન કરી ચૂકેલા ધરતીપુત્રોને હવે શિયાળુ પાકમાં માવઠાનો માર પડ્યો છે.
More #Saurastra #Rain #farmers #Bedi Market #Loss #Rajkot News
રાજકોટના માર્કેટ યાર્ડમાં પાણી ભરાવવાને કારણે 1 લાખ જેટલી મગફળીની ગુણો પલળી ગઈ
મોડી રાત્રે વરસાદ આવતા મગફળી અને કપાસનો જથ્થો પલળી જવાને કારણે વેપારી ભાવ ઘટાડશે
WatchGujarat. Rajkot સહિત રાજ્યના અનેક શહેરોમાં ગઈકાલે મોડી રાતથી જ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જેને લઈને રાજકોટના માર્કેટ યાર્ડમાં પાણી ભરાયું હતું. જેથી 1 લાખ જેટલી મગફળીની ગુણો પલળી ગઈ હતી. બીજી તરફ કપાસનો જથ્થો પણ પલળી ગયો છે. જેને લઈને ખેડૂતોને લાખોનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. બીજી તરફ ખેતરમાં ઉભા પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ખેડૂતોએ સ્થિતી અંગે નિરાશ થતા કહ્યું કે કપાસ પલળી જતા હવે કપાસમાં 50 રૂપિયાની ઘટ આવશે. જેથી સરકારે તેને સરભર કરવા માટે કંઈક કરવું જોઈએ.
કપાસ પલળી જતાં મણ દીઠ રૂ 50-100 ની ઘટ આવશે- ખેડૂત
ખંઢેરી ગામના ખેડૂતે જણાવ્યું કે, મોડી રાત્રે વરસાદ આવતા મગફળી અને કપાસનો જથ્થો પલળી ગયો હતો. જેથી વેપારી ભાવ ઘટાડશે. વરસાદના પગલે મણે 50થી 100 રૂપિયાની ઘટ આવશે. પહેલા 1100 રૂપિયા આવતા હતા અને હવે 1100થી ઓછો ભાવ મળશે. #Rajkot
શિયાળુ પાકમાં માવઠાનો માર પડ્યો
સૌરાષ્ટ્રના કેટલાય ભાગોના વાતાવરણમાં ગત રોજ બપોર બાદ પલટો આવ્યો હતો. અને સાંજના સમયે કમોસમી વરસાદ વરસતાં ખેડૂતો પર પડ્યા પર પાટા જેવો ઘાટ આ વર્ષે થયો છે. અગાઉ ચોમાસુ પાકમાં અતિવૃષ્ટિનો માર સહન કરી ચૂકેલા ધરતીપુત્રોને હવે શિયાળુ પાકમાં માવઠાનો માર પડ્યો છે.
More #Saurastra #Rain #farmers #Bedi Market #Loss #Rajkot News