ડે. ડાયરેક્ટર શ્રમદીપ સિંહાની કલેક્ટર રેમ્યા મોહન અને મ્યુ. કમિશ્નર ઉદ્દીત અગ્રવાલ સહિતનાં અધિકારીઓ સાથે એક બેઠક યોજાઇ
આજની બેઠકનો મુખ્ય મુદ્દો વધુમાં વધુ લોકો ખૂબ સરળતાથી એઈમ્સ સુધી કંઈ રીતે પહોંચી શકે તે હતો
WatchGujarat. કેન્દ્ર સરકાર દ્વારા ખંઢેરી નજીક 201 એકર જમીનમાં અંદાજે રૂપિયા 1200 કરોડના ખર્ચે એઇમ્સ હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. ત્યારે આજે ડે. ડાયરેક્ટર શ્રમદીપ સિંહાની કલેક્ટર રેમ્યા મોહન અને મ્યુ. કમિશ્નર ઉદ્દીત અગ્રવાલ સહિતનાં અધિકારીઓ સાથે એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ખંઢેરી રેલવે સ્ટેશનનાં નવીનીકરણ ઉપરાંત ગ્રીન કોરિડોર બનાવવા સહિતનાં મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. #AIIMS
બેઠક બાદ શ્રમદીપ સિંહાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, વધુમાં વધુ લોકો એઈમ્સ સુધી આવી શકે તે માટે જુદી-જુદી વ્યવસ્થા ગોઠવામાં આવનાર છે. જે અંતર્ગત એઈમ્સ સુધીનાં તમામ રસ્તાઓ વધુ મોટા અને સરળ કરવા માટે ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી છે. આ માટે ખંઢેરી રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે. તેમજ અંગદાન અને ઈમરજન્સી માટે એઇમ્સ હોસ્પિટલથી હિરાસર એરપોર્ટ સુધી ગ્રીન કોરીડોર બનાવવા વિશે પણ ચર્ચા કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું. #AIIMS
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે એઈમ્સ કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવે છે. પરંતુ રાજ્ય સરકાર તેમા ઘણો મહત્વનો ભાગ ભજવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારનાં કરાર મુજબ જગ્યાની ફાળવણી થઈ ચૂકી છે. હવે પાણી, વીજળી સહિતની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. જો કે આજની બેઠકનો મુખ્ય મુદ્દો વધુમાં વધુ લોકો ખૂબ સરળતાથી એઈમ્સ સુધી કંઈ રીતે પહોંચી શકે તે હતો. આ સાથે એઈમ્સ બન્યા બાદ હોસ્પિટલની અંદર ઇલેક્ટ્રિક કાર સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું છે.
More #Meeting #High authority #AIIMS #devlopment #Rajkot news #WatchGujarat
ડે. ડાયરેક્ટર શ્રમદીપ સિંહાની કલેક્ટર રેમ્યા મોહન અને મ્યુ. કમિશ્નર ઉદ્દીત અગ્રવાલ સહિતનાં અધિકારીઓ સાથે એક બેઠક યોજાઇ
આજની બેઠકનો મુખ્ય મુદ્દો વધુમાં વધુ લોકો ખૂબ સરળતાથી એઈમ્સ સુધી કંઈ રીતે પહોંચી શકે તે હતો
WatchGujarat. કેન્દ્ર સરકાર દ્વારા ખંઢેરી નજીક 201 એકર જમીનમાં અંદાજે રૂપિયા 1200 કરોડના ખર્ચે એઇમ્સ હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. ત્યારે આજે ડે. ડાયરેક્ટર શ્રમદીપ સિંહાની કલેક્ટર રેમ્યા મોહન અને મ્યુ. કમિશ્નર ઉદ્દીત અગ્રવાલ સહિતનાં અધિકારીઓ સાથે એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ખંઢેરી રેલવે સ્ટેશનનાં નવીનીકરણ ઉપરાંત ગ્રીન કોરિડોર બનાવવા સહિતનાં મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. #AIIMS
બેઠક બાદ શ્રમદીપ સિંહાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, વધુમાં વધુ લોકો એઈમ્સ સુધી આવી શકે તે માટે જુદી-જુદી વ્યવસ્થા ગોઠવામાં આવનાર છે. જે અંતર્ગત એઈમ્સ સુધીનાં તમામ રસ્તાઓ વધુ મોટા અને સરળ કરવા માટે ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી છે. આ માટે ખંઢેરી રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે. તેમજ અંગદાન અને ઈમરજન્સી માટે એઇમ્સ હોસ્પિટલથી હિરાસર એરપોર્ટ સુધી ગ્રીન કોરીડોર બનાવવા વિશે પણ ચર્ચા કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું. #AIIMS
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે એઈમ્સ કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવે છે. પરંતુ રાજ્ય સરકાર તેમા ઘણો મહત્વનો ભાગ ભજવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારનાં કરાર મુજબ જગ્યાની ફાળવણી થઈ ચૂકી છે. હવે પાણી, વીજળી સહિતની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. જો કે આજની બેઠકનો મુખ્ય મુદ્દો વધુમાં વધુ લોકો ખૂબ સરળતાથી એઈમ્સ સુધી કંઈ રીતે પહોંચી શકે તે હતો. આ સાથે એઈમ્સ બન્યા બાદ હોસ્પિટલની અંદર ઇલેક્ટ્રિક કાર સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું છે.
More #Meeting #High authority #AIIMS #devlopment #Rajkot news #WatchGujarat