મોરબી ખાતે લોકરક્ષક તરીકે ફરજ બજાવતાં અનિલ દાનાભાઈ ડાભીને ચૂંટણી ફરજ માટે સરકારી રિવોલ્વર આપવામાં આવી હતી
ગતરાત્રે 10 વાગ્યા આસપાસ એલઆરડી પોલીસકર્મી અનિલ ડાભી પોતાના હળવદના સાપકડાં ગામે ઘરે અચાનક જ ફાયરિંગનો અવાજ આવતા પરિવારજનો દોડી ગયા હતા.
જવાનને ગંભીર હાલતમાં હળવદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
જાણકારી મળતા જ હળવદ પોલીસ તેમજ મોરબી એસપી, ડીવાયએસપી સહિતનાં અધિકારીઓ પણ દોડી ગયા
મોરબી. હળવદનાં LRD જવાને ચૂંટણી ફરજ માટે અપાયેલી સરકારી રિવોલ્વરથી ગોળી ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. સાપકડાં ગામના વતની અને લોકરક્ષક તરીકે મોરબી જીલ્લામાં ફરજ બજાવતાં અનિલ દાનાભાઈ ડાભીએ અગમ્ય કારણે છેલ્લું પગલું ભરી લેતા પરિવારજનોમાં ઘેરા શોકનો માહોલ છવાયો છે. હાલ સ્થાનિક પોલીસે જવાનનાં મૃતદેહને પીએમ માટે રાજકોટ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ, મોરબી ખાતે લોકરક્ષક તરીકે ફરજ બજાવતાં અનિલ દાનાભાઈ ડાભીને ચૂંટણી ફરજ માટે સરકારી રિવોલ્વર આપવામાં આવી હતી. ગતરાત્રે 10 વાગ્યા આસપાસ એલઆરડી પોલીસકર્મી અનિલ ડાભી પોતાના હળવદના સાપકડાં ગામે ઘેર હતા. જ્યાં અચાનક જ ફાયરિંગનો અવાજ આવતા પરિવારજનો દોડી ગયા હતા. ત્યારબાદ આ જવાનને ગંભીર હાલતમાં હળવદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે ત્યાં સારવાર મળતા પહેલા જ તેનું મોત નિપજ્યું હતું.
ઘટનાની જાણકારી મળતા જ હળવદ પોલીસ તેમજ મોરબી એસપી, ડીવાયએસપી સહિતનાં અધિકારીઓ પણ દોડી ગયા હતા. અને જવાનનાં મૃતદેહને હળવદ હોસ્પિટલ બાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટની લેબોરેટરી ખાતે ખસેડાયો છે. જોકે, અનિલ ડાભીના છ માસ પૂર્વે જ લગ્ન થયા હતા. ત્યારે અચાનક તેણે આ પગલું ભરી લેતા પરિવારમાં આક્રંદ છવાયો છે. હાલ બનાવનું કરણ જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મોરબી ખાતે લોકરક્ષક તરીકે ફરજ બજાવતાં અનિલ દાનાભાઈ ડાભીને ચૂંટણી ફરજ માટે સરકારી રિવોલ્વર આપવામાં આવી હતી
ગતરાત્રે 10 વાગ્યા આસપાસ એલઆરડી પોલીસકર્મી અનિલ ડાભી પોતાના હળવદના સાપકડાં ગામે ઘરે અચાનક જ ફાયરિંગનો અવાજ આવતા પરિવારજનો દોડી ગયા હતા.
જવાનને ગંભીર હાલતમાં હળવદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
જાણકારી મળતા જ હળવદ પોલીસ તેમજ મોરબી એસપી, ડીવાયએસપી સહિતનાં અધિકારીઓ પણ દોડી ગયા
મોરબી. હળવદનાં LRD જવાને ચૂંટણી ફરજ માટે અપાયેલી સરકારી રિવોલ્વરથી ગોળી ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. સાપકડાં ગામના વતની અને લોકરક્ષક તરીકે મોરબી જીલ્લામાં ફરજ બજાવતાં અનિલ દાનાભાઈ ડાભીએ અગમ્ય કારણે છેલ્લું પગલું ભરી લેતા પરિવારજનોમાં ઘેરા શોકનો માહોલ છવાયો છે. હાલ સ્થાનિક પોલીસે જવાનનાં મૃતદેહને પીએમ માટે રાજકોટ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ, મોરબી ખાતે લોકરક્ષક તરીકે ફરજ બજાવતાં અનિલ દાનાભાઈ ડાભીને ચૂંટણી ફરજ માટે સરકારી રિવોલ્વર આપવામાં આવી હતી. ગતરાત્રે 10 વાગ્યા આસપાસ એલઆરડી પોલીસકર્મી અનિલ ડાભી પોતાના હળવદના સાપકડાં ગામે ઘેર હતા. જ્યાં અચાનક જ ફાયરિંગનો અવાજ આવતા પરિવારજનો દોડી ગયા હતા. ત્યારબાદ આ જવાનને ગંભીર હાલતમાં હળવદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે ત્યાં સારવાર મળતા પહેલા જ તેનું મોત નિપજ્યું હતું.
ઘટનાની જાણકારી મળતા જ હળવદ પોલીસ તેમજ મોરબી એસપી, ડીવાયએસપી સહિતનાં અધિકારીઓ પણ દોડી ગયા હતા. અને જવાનનાં મૃતદેહને હળવદ હોસ્પિટલ બાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટની લેબોરેટરી ખાતે ખસેડાયો છે. જોકે, અનિલ ડાભીના છ માસ પૂર્વે જ લગ્ન થયા હતા. ત્યારે અચાનક તેણે આ પગલું ભરી લેતા પરિવારમાં આક્રંદ છવાયો છે. હાલ બનાવનું કરણ જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.