ભગવતીપરા વિસ્તારમાં ભૂગર્ભ ગટર સાફ કરી રહેલા 3 મજૂરો ફસાયા હતા
સમયસર ત્રણેય મજૂરોને બહાર કાઢી લીધા હતા. જેને પગલે મોટી દુર્ઘટના થતા સહેજમાં અટકી ગઈ હતી
સામાન્ય રીતે આવા સમયે લોકો વિડીયો બનાવવામાં લાગી જતા હોય, ત્યારે સ્થાનિકોએ સમયસર મદદ કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
રાજકોટ. શહેરનાં ભગવતીપરા વિસ્તારમાં સ્થાનિક લોકોની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી છે. જેમાં ભૂગર્ભ ગટર સાફ કરી રહેલા 3 મજૂરો ફસાયા હતા. જો કે આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ કે તંત્રની રાહ જોયા વિના સ્થાનિકો દોડી ગયા હતા. અને સમયસર ત્રણેય મજૂરોને બહાર કાઢી લીધા હતા. જેને પગલે મોટી દુર્ઘટના થતા સહેજમાં અટકી ગઈ હતી. જો કે આ પૈકી એક મજૂર બેભાન થઈ જતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો છે. જેની હાલત ગંભીર છે. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને મનપાનાં જવાબદાર અધિકારીઓ પણ દોડી ગયા છે.
આ તકે ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે, ડ્રેનેજ સાફ કરવા જતા 3 કર્મચારીઓ ફસાયા હતા. જે ઘટનાની જાણ થતાં હું તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. આ ત્રણેય કર્મચારીઓ મારૂ હૃદય છે. જેથી હું ભગવાનને પ્રાથના કરૂ છું કે, ત્રણેય કર્મચારીઓને સારૂ થઈ જાય. મજૂરોને સમયસર બહાર કાઢવા માટે સ્થાનિકોનો આભાર પણ તેમણે માન્યો હતો. સાથે જ ધારાસભ્ય તરીકે પોતાની ફરજ બજાવવાની ખાતરી પણ આપી છે.
બેડીપરા સ્ટેશન ઓફિસરે સમગ્ર મામલે જણાવ્યું હતું કે, ભૂગર્ભ સાફ કરતા ત્રણ કર્મીઓ ફસાઈ ગયા હતા. જેનો ફોન આવ્યાની ગણતરીની મિનિટોમાં અમે સ્થળ પર પહોંચ્યા હતા. પરંતુ ત્યા સુધીમાં તો સ્થાનિકોએ ત્રણેયને બચાવી લીધા હતા. આ પૈકી એક કર્મચારી બેભાન થઈ જતા હાલ તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે આવા સમયે લોકો વિડીયો બનાવવામાં લાગી જતા હોય છે. ત્યારે સ્થાનિકોએ સમયસર મદદ કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ભગવતીપરા વિસ્તારમાં ભૂગર્ભ ગટર સાફ કરી રહેલા 3 મજૂરો ફસાયા હતા
સમયસર ત્રણેય મજૂરોને બહાર કાઢી લીધા હતા. જેને પગલે મોટી દુર્ઘટના થતા સહેજમાં અટકી ગઈ હતી
સામાન્ય રીતે આવા સમયે લોકો વિડીયો બનાવવામાં લાગી જતા હોય, ત્યારે સ્થાનિકોએ સમયસર મદદ કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
રાજકોટ. શહેરનાં ભગવતીપરા વિસ્તારમાં સ્થાનિક લોકોની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી છે. જેમાં ભૂગર્ભ ગટર સાફ કરી રહેલા 3 મજૂરો ફસાયા હતા. જો કે આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ કે તંત્રની રાહ જોયા વિના સ્થાનિકો દોડી ગયા હતા. અને સમયસર ત્રણેય મજૂરોને બહાર કાઢી લીધા હતા. જેને પગલે મોટી દુર્ઘટના થતા સહેજમાં અટકી ગઈ હતી. જો કે આ પૈકી એક મજૂર બેભાન થઈ જતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો છે. જેની હાલત ગંભીર છે. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને મનપાનાં જવાબદાર અધિકારીઓ પણ દોડી ગયા છે.
આ તકે ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે, ડ્રેનેજ સાફ કરવા જતા 3 કર્મચારીઓ ફસાયા હતા. જે ઘટનાની જાણ થતાં હું તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. આ ત્રણેય કર્મચારીઓ મારૂ હૃદય છે. જેથી હું ભગવાનને પ્રાથના કરૂ છું કે, ત્રણેય કર્મચારીઓને સારૂ થઈ જાય. મજૂરોને સમયસર બહાર કાઢવા માટે સ્થાનિકોનો આભાર પણ તેમણે માન્યો હતો. સાથે જ ધારાસભ્ય તરીકે પોતાની ફરજ બજાવવાની ખાતરી પણ આપી છે.
બેડીપરા સ્ટેશન ઓફિસરે સમગ્ર મામલે જણાવ્યું હતું કે, ભૂગર્ભ સાફ કરતા ત્રણ કર્મીઓ ફસાઈ ગયા હતા. જેનો ફોન આવ્યાની ગણતરીની મિનિટોમાં અમે સ્થળ પર પહોંચ્યા હતા. પરંતુ ત્યા સુધીમાં તો સ્થાનિકોએ ત્રણેયને બચાવી લીધા હતા. આ પૈકી એક કર્મચારી બેભાન થઈ જતા હાલ તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે આવા સમયે લોકો વિડીયો બનાવવામાં લાગી જતા હોય છે. ત્યારે સ્થાનિકોએ સમયસર મદદ કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.