150 ફૂટ રિંગરોડ પર પતંગની દોરીથી ગળુ કપાતાં વધુ એક યુવકનું કમકમાટીભર્યું મોત
યુવાન એકટીવા હંકારી ઘરેથી બહાર જતો હતો ત્યારે આ બનાવ બન્યો
WatchGujarat. શહેરમાં વધુ એકવાર પતંગનું પર્વ લોહિયાળ બન્યું છે. અને 150 ફૂટ રિંગરોડ પર પતંગની દોરીથી ગળુ કપાતાં વધુ એક યુવકનું કમકમાટીભર્યું મોત થયું છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. અને પોલીસ તેમજ 108નો કાફલો દોડી ગયો હતો. જો કે યુવકનું મોત થતા પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, 150 ફુટ રિંગરોડ પર રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે ગળામાં પતંગની દોરી ફંસાતાં એક યુવકનું ગળું કપાયું હતું. આ ઘટનામાં ગાંધીગ્રામ નાણાવટી ચોક સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ નંદનવાટીકા એપાર્ટમેન્ટમાં રહેતાં 21 વર્ષના યુવાન ઉત્સવ ચેતનભાઇ વ્યાસનું કમકમાટી ભર્યુ મોત નિપજતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. યુવાન એકટીવા હંકારી ઘરેથી બહાર જતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો.
ઉલ્લેખનીય છે કે, દિવસ દરમિયાન પતંગના દોરાથી ઇજા થવાના પચ્ચીસ જેટલા બનવો નોંધાયા હતાં. આ પૈકી 15 લોકોને સિવિલ હોસ્પિટલમાં ઓપીડી સારવાર અપાઈ હતી. જ્યારે બાકીનાએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત 60થી વધુ પક્ષીઓ પણ ઘાયલ થયા હતા. કરૂણા ફાઉન્ડેશન દ્વારા ત્રિકોણબાગ ખાતે તમામ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી.
150 ફૂટ રિંગરોડ પર પતંગની દોરીથી ગળુ કપાતાં વધુ એક યુવકનું કમકમાટીભર્યું મોત
યુવાન એકટીવા હંકારી ઘરેથી બહાર જતો હતો ત્યારે આ બનાવ બન્યો
WatchGujarat. શહેરમાં વધુ એકવાર પતંગનું પર્વ લોહિયાળ બન્યું છે. અને 150 ફૂટ રિંગરોડ પર પતંગની દોરીથી ગળુ કપાતાં વધુ એક યુવકનું કમકમાટીભર્યું મોત થયું છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. અને પોલીસ તેમજ 108નો કાફલો દોડી ગયો હતો. જો કે યુવકનું મોત થતા પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, 150 ફુટ રિંગરોડ પર રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે ગળામાં પતંગની દોરી ફંસાતાં એક યુવકનું ગળું કપાયું હતું. આ ઘટનામાં ગાંધીગ્રામ નાણાવટી ચોક સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ નંદનવાટીકા એપાર્ટમેન્ટમાં રહેતાં 21 વર્ષના યુવાન ઉત્સવ ચેતનભાઇ વ્યાસનું કમકમાટી ભર્યુ મોત નિપજતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. યુવાન એકટીવા હંકારી ઘરેથી બહાર જતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો.
ઉલ્લેખનીય છે કે, દિવસ દરમિયાન પતંગના દોરાથી ઇજા થવાના પચ્ચીસ જેટલા બનવો નોંધાયા હતાં. આ પૈકી 15 લોકોને સિવિલ હોસ્પિટલમાં ઓપીડી સારવાર અપાઈ હતી. જ્યારે બાકીનાએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત 60થી વધુ પક્ષીઓ પણ ઘાયલ થયા હતા. કરૂણા ફાઉન્ડેશન દ્વારા ત્રિકોણબાગ ખાતે તમામ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી.