સીટી સ્કેનના ચાર્જમાં રૂ. 500નો ઘટાડવામાં આવ્યો
RT-PCR ટેસ્ટનો ચાર્જ રૂ.700થી ઘટાડીને 400 રૂ. કરવામાં આવ્યો
રાજ્યમાં જિલ્લા કક્ષાની હોસ્પિટલો માટે નવાં 17 સીટી સ્કેન મશીન ખરીદાશેઃ નીતિન પટેલ
કર્મચારીઓ માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થાની જાહેરાત કરશે
WatchGujarat. પ્રાપ્ત વિગતો અનુસાર આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં કેટલાંક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જે બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અનેક મોટી જાહેરાતો કરી હતી. જેમાં તેમને RT-PCR ટેસ્ટ અને HRCT ટેસ્ટના ભાવમાં ઘટાડો કર્યો હોવાની જાહેરાત કરી છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં અનેક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં તેમને જણાવ્યું હતું કે, હવેથી ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટનો ચાર્જ રૂ.700થી ઘટાડીને 400 રૂપિયા કરવામાં આવ્યો છે. તેમજ દર્દીઓના ઘરેથી ટેસ્ટ સેમ્પલ લઈને ટેસ્ટ કરવાનો ચાર્જ 900 રૂપિયાથી ઘટીને 550 રૂપિયા કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે એરપોર્ટ પર અત્યારસુધીનો ટેસ્ટનો ચાર્જ રૂ.4 હજાર હતો, જેમાં ઘટાડો કરીને રૂ.2 હજાર 700 કરવામાં આવ્યો છે. આ સાથે HRCT ટેસ્ટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં તેનો ચાર્જ રૂ.3 હજારથી ઘટીને રૂ.2 હજાર 500 થયો છે. આ ઉપરાંત સરકારી મશીનરી અને સરકારી હોસ્પિટલોમાં બધી જ જગ્યાએ આ ટેસ્ટ વિનામૂલ્યે થાય છે. આ ઉપરાંત રાજ્યમાં તમામ વિસ્તારને આવરી લઈ જિલ્લાકક્ષાએ સીટી સ્કેન MRIની સુવિદ્યા મળે એ માટે 112 કરોડનાં મશીન ખરીદવામાં આવશે.
આ અંગે મીડિયા સાથે વાત કરતાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, ત્રીજી લહેરમાં જિલ્લા કક્ષાની હોસ્પિટલ માટે નવાં 17 સીટી સ્કેન મશીન ખરીદવામાં આવશે. જે માટે ટેન્ડરપ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત સરકાર દ્વારા રાજ્યની મેડિકલ કોલેજ અને જિલ્લાકક્ષા હોસ્પિટલને 82.50 કરોડના ખર્ચની મંજૂરી આપવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકોને ખાનગી લેબમાં ટેસ્ટ કરાવવા ન જવું પડે તે માટે ગાંધીનગર, સોલા અને વડોદરા ગોત્રી કોલેજમાં નવાં મશીનો ખરીદવામાં આવશે. તેમજ માં અને માં વાત્સલ્ય યોજના હેઠળ વિનામૂલ્યે ટેસ્ટ કરી આપવામાં આવશે.
આ સાથે નીતિન પટેલે વેક્સિનેશનને લઈને પણ મોટી જાહેરાત કરી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે, હવેથી જેમને કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવાનો બાકી હશે તેમને પણ આગામી રવિવાર રસી આપવામાં આવશે. કોરોનાની બીજી લહેર દરમિયાન રાજ્યમાં વિનામૂલ્યે એન્ટિજન અને આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 1 કરોડ 61 લાખ કરતાં વધુ ટેસ્ટ કરાયા છે. આ ઉપરાંત 91 લાખ 95 હજાર એન્ટી-રેપિડ ટેસ્ટ પણ થયા છે.
આ સાથે તેમને સરકારી કર્મચારીઓના અટકાયેલા મોંઘવારી ભથ્થા સંદર્ભે નિવેદન આપતાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા જે જાહેરાત કરાઈ છે એના સવાયા લાભ સાથે રાજ્ય સરકાર કર્મચારીઓ માટે ટૂંક સમય મોંઘવારી ભથ્થાની જાહેરાત કરશે.
સીટી સ્કેનના ચાર્જમાં રૂ. 500નો ઘટાડવામાં આવ્યો
RT-PCR ટેસ્ટનો ચાર્જ રૂ.700થી ઘટાડીને 400 રૂ. કરવામાં આવ્યો
રાજ્યમાં જિલ્લા કક્ષાની હોસ્પિટલો માટે નવાં 17 સીટી સ્કેન મશીન ખરીદાશેઃ નીતિન પટેલ
કર્મચારીઓ માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થાની જાહેરાત કરશે
WatchGujarat. પ્રાપ્ત વિગતો અનુસાર આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં કેટલાંક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જે બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અનેક મોટી જાહેરાતો કરી હતી. જેમાં તેમને RT-PCR ટેસ્ટ અને HRCT ટેસ્ટના ભાવમાં ઘટાડો કર્યો હોવાની જાહેરાત કરી છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં અનેક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં તેમને જણાવ્યું હતું કે, હવેથી ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટનો ચાર્જ રૂ.700થી ઘટાડીને 400 રૂપિયા કરવામાં આવ્યો છે. તેમજ દર્દીઓના ઘરેથી ટેસ્ટ સેમ્પલ લઈને ટેસ્ટ કરવાનો ચાર્જ 900 રૂપિયાથી ઘટીને 550 રૂપિયા કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે એરપોર્ટ પર અત્યારસુધીનો ટેસ્ટનો ચાર્જ રૂ.4 હજાર હતો, જેમાં ઘટાડો કરીને રૂ.2 હજાર 700 કરવામાં આવ્યો છે. આ સાથે HRCT ટેસ્ટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં તેનો ચાર્જ રૂ.3 હજારથી ઘટીને રૂ.2 હજાર 500 થયો છે. આ ઉપરાંત સરકારી મશીનરી અને સરકારી હોસ્પિટલોમાં બધી જ જગ્યાએ આ ટેસ્ટ વિનામૂલ્યે થાય છે. આ ઉપરાંત રાજ્યમાં તમામ વિસ્તારને આવરી લઈ જિલ્લાકક્ષાએ સીટી સ્કેન MRIની સુવિદ્યા મળે એ માટે 112 કરોડનાં મશીન ખરીદવામાં આવશે.
આ અંગે મીડિયા સાથે વાત કરતાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, ત્રીજી લહેરમાં જિલ્લા કક્ષાની હોસ્પિટલ માટે નવાં 17 સીટી સ્કેન મશીન ખરીદવામાં આવશે. જે માટે ટેન્ડરપ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત સરકાર દ્વારા રાજ્યની મેડિકલ કોલેજ અને જિલ્લાકક્ષા હોસ્પિટલને 82.50 કરોડના ખર્ચની મંજૂરી આપવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકોને ખાનગી લેબમાં ટેસ્ટ કરાવવા ન જવું પડે તે માટે ગાંધીનગર, સોલા અને વડોદરા ગોત્રી કોલેજમાં નવાં મશીનો ખરીદવામાં આવશે. તેમજ માં અને માં વાત્સલ્ય યોજના હેઠળ વિનામૂલ્યે ટેસ્ટ કરી આપવામાં આવશે.
આ સાથે નીતિન પટેલે વેક્સિનેશનને લઈને પણ મોટી જાહેરાત કરી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે, હવેથી જેમને કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવાનો બાકી હશે તેમને પણ આગામી રવિવાર રસી આપવામાં આવશે. કોરોનાની બીજી લહેર દરમિયાન રાજ્યમાં વિનામૂલ્યે એન્ટિજન અને આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 1 કરોડ 61 લાખ કરતાં વધુ ટેસ્ટ કરાયા છે. આ ઉપરાંત 91 લાખ 95 હજાર એન્ટી-રેપિડ ટેસ્ટ પણ થયા છે.
આ સાથે તેમને સરકારી કર્મચારીઓના અટકાયેલા મોંઘવારી ભથ્થા સંદર્ભે નિવેદન આપતાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા જે જાહેરાત કરાઈ છે એના સવાયા લાભ સાથે રાજ્ય સરકાર કર્મચારીઓ માટે ટૂંક સમય મોંઘવારી ભથ્થાની જાહેરાત કરશે.