112 ગામના ખાતેદારોમાં ઈકો સેન્સિટિવ ઝોનની કાચી એન્ટ્રી પાડી આદિવાસીઓની જમીનો હડપવાની સરકારની મેલી મુરાદ
BTP ની આગેવાનીમાં આદિવાસીઓ ના કલેકટર કચેરીએ પહોંચી દેખાવો
WatchGujarat. SOU નજીકના શૂલપાણેશ્વર અભ્યારણ્ય વિસ્તારની ફરતે 4 તાલુકાના 112 ગામોને ઈકો-સેન્સેટીવ ઝોનમાં સમાવેશ સામે BTPની આગેવાનીમાં મોટી સંખ્યામાં નર્મદા જિલ્લાના આદિવાસીઓ કલેકટર કચેરીએ આવી પહોંચી દેખાવો કર્યા હતા.
નર્મદા જિલ્લામાં ઇકો સેન્સેટિવ મુદ્દે હવે રાજકારણ ગરમાયુ છે. બુધવારે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ઇકો સેન્સેટિવ ઝોન રદ કરવા વડાપ્રધાનને પત્ર લખ્યા બાદ ગુરુવારે સાંજે દેડિયાપાડા ધારાસભ્ય મહેશ વસાવા, નર્મદા જિલ્લા બિટીપી પ્રમુખ ચૈતર વસાવા, રાજપીપળા પાલિકા પૂર્વ પ્રમુખ મહેશ વસાવા, બહાદુર વસાવા સહિત મોટી સંખ્યામાં આદિવાસીઓએ નર્મદા કલેકટર ડી.એ.શાહને રજુઆત સાથે વિરોધ નોંધાવ્યો હતો.
BTP ની આગેવાનીમાં આદિવાસીઓ રજુઆત કરી હતી કે, ઈકો સેન્સિટિવ ઝોનને લીધે 121 ગામના લોકો વિસ્થાપિત થઇ જમીન વિહોણા થઈ જશે. આ વિસ્તારના ગામ લોકોની જમીનમાં ઈકો સેન્સિટિવ ઝોનના નામની કાચી એન્ટ્રી પાડવાની કામગીરી ચાલી રહી છે, જે આદિવાસીઓની જમીનો છીનવી લેવાની સરકારની મેલી મુરાદ છે.
બીટીપી ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, ઈકો સેન્સિટિવ ઝોનના નામે સરકાર આદિવાસીઓને વિસ્થાપિત કરી એ જમીનો પ્રવાસનના નામે ઉદ્યોગપતિઓને આપવા માંગે છે. નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે સરકારે આદિવાસીઓની જમીનો છીનવી લઈ એમને રંજાડવાનું કામ કર્યું છે. અમે ઈકો સેન્સિટિવ ઝોન કાયદાને કદી પણ નહીં સ્વીકારીએ, સરકાર આદિવાસી વિસ્તારમાં જે યોજનાઓ ચાલુ કરી છે એ બંધ નહિ કરે તો અમેં જલદ આંદોલન કરીશું.
રાજકીય પાર્ટીના ચૂંટાયેલા સાંસદ સભ્યો, ધારાસભ્યો, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો જો આદિવાસીઓના જળ, જંગલ, જમીન અને અસ્તિત્વને બચાવવા એક નહિ થાય તો આવનારા સમયમાં આદિવાસી સમાજ આવા તમામ નેતાઓને ઘર ભેગા કરશે. ભાજપ કોંગ્રેસ બન્નેવ એક થઈ સરકારના હાથ બની ગયા છે. ઈકો સેન્સેટિવ ઝોન જો રદ નહિ થાય તો દેશના 12 કરોડ આદિવાસીઓ આંદોલન કરશે, જો સરકાર આદિવાસીઓના હક પર હુમલો કરવાનું બંધ નહિ કરે તો અમે અમારા હક માટે જેલ ભરો આંદોલન કરતા પણ ખચકાઈશું નહિ અને આગળ લડત લડતા રહીશું.
More #SOU #eco sensitive zone #notification #make tribal people #angry #Gujaratinews #Watchgujarat
112 ગામના ખાતેદારોમાં ઈકો સેન્સિટિવ ઝોનની કાચી એન્ટ્રી પાડી આદિવાસીઓની જમીનો હડપવાની સરકારની મેલી મુરાદ
BTP ની આગેવાનીમાં આદિવાસીઓ ના કલેકટર કચેરીએ પહોંચી દેખાવો
WatchGujarat. SOU નજીકના શૂલપાણેશ્વર અભ્યારણ્ય વિસ્તારની ફરતે 4 તાલુકાના 112 ગામોને ઈકો-સેન્સેટીવ ઝોનમાં સમાવેશ સામે BTPની આગેવાનીમાં મોટી સંખ્યામાં નર્મદા જિલ્લાના આદિવાસીઓ કલેકટર કચેરીએ આવી પહોંચી દેખાવો કર્યા હતા.
નર્મદા જિલ્લામાં ઇકો સેન્સેટિવ મુદ્દે હવે રાજકારણ ગરમાયુ છે. બુધવારે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ઇકો સેન્સેટિવ ઝોન રદ કરવા વડાપ્રધાનને પત્ર લખ્યા બાદ ગુરુવારે સાંજે દેડિયાપાડા ધારાસભ્ય મહેશ વસાવા, નર્મદા જિલ્લા બિટીપી પ્રમુખ ચૈતર વસાવા, રાજપીપળા પાલિકા પૂર્વ પ્રમુખ મહેશ વસાવા, બહાદુર વસાવા સહિત મોટી સંખ્યામાં આદિવાસીઓએ નર્મદા કલેકટર ડી.એ.શાહને રજુઆત સાથે વિરોધ નોંધાવ્યો હતો.
BTP ની આગેવાનીમાં આદિવાસીઓ રજુઆત કરી હતી કે, ઈકો સેન્સિટિવ ઝોનને લીધે 121 ગામના લોકો વિસ્થાપિત થઇ જમીન વિહોણા થઈ જશે. આ વિસ્તારના ગામ લોકોની જમીનમાં ઈકો સેન્સિટિવ ઝોનના નામની કાચી એન્ટ્રી પાડવાની કામગીરી ચાલી રહી છે, જે આદિવાસીઓની જમીનો છીનવી લેવાની સરકારની મેલી મુરાદ છે.
બીટીપી ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, ઈકો સેન્સિટિવ ઝોનના નામે સરકાર આદિવાસીઓને વિસ્થાપિત કરી એ જમીનો પ્રવાસનના નામે ઉદ્યોગપતિઓને આપવા માંગે છે. નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે સરકારે આદિવાસીઓની જમીનો છીનવી લઈ એમને રંજાડવાનું કામ કર્યું છે. અમે ઈકો સેન્સિટિવ ઝોન કાયદાને કદી પણ નહીં સ્વીકારીએ, સરકાર આદિવાસી વિસ્તારમાં જે યોજનાઓ ચાલુ કરી છે એ બંધ નહિ કરે તો અમેં જલદ આંદોલન કરીશું.
રાજકીય પાર્ટીના ચૂંટાયેલા સાંસદ સભ્યો, ધારાસભ્યો, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો જો આદિવાસીઓના જળ, જંગલ, જમીન અને અસ્તિત્વને બચાવવા એક નહિ થાય તો આવનારા સમયમાં આદિવાસી સમાજ આવા તમામ નેતાઓને ઘર ભેગા કરશે. ભાજપ કોંગ્રેસ બન્નેવ એક થઈ સરકારના હાથ બની ગયા છે. ઈકો સેન્સેટિવ ઝોન જો રદ નહિ થાય તો દેશના 12 કરોડ આદિવાસીઓ આંદોલન કરશે, જો સરકાર આદિવાસીઓના હક પર હુમલો કરવાનું બંધ નહિ કરે તો અમે અમારા હક માટે જેલ ભરો આંદોલન કરતા પણ ખચકાઈશું નહિ અને આગળ લડત લડતા રહીશું.
More #SOU #eco sensitive zone #notification #make tribal people #angry #Gujaratinews #Watchgujarat