સાંજે 6.45 કલાકે શરૂ થતો 30 મિનિટના લેસર શો નો સમય 7.30 કલાકનો કરાયો
શો માં કુલ 51 ઉચ્ચ-રીઝોલ્યુશન પ્રોજેક્ટરનો ઉપયોગ
WatchGujarat. શિયાળાની વિદાય સાથે હવે દિવસ અને રાતના સમયમાં ફેરફાર જોવા મળશે. વૈશ્વિક સુપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાંજનાં સમયે યોજાતા લેસર શો (પ્રોજેક્શન મેપીંગ શો) પ્રવાસીઓ માટે SOU માં મુખ્ય આકર્ષણ પૈકી એક છે. સામાન્ય રીતે સાંજનાં 6.44 કલાકે પ્રવાસીઓ માટે આ 30 મિનિટ નો શો શરૂ કરવામાં આવતો હોય છે.
હવે ઉનાળાની ઋતુનો પ્રારંભ થયો છે, જેના કારણે દિન-પ્રતિદિન દિવસ લાંબો થતો જાય છે, જેનાં કારણે તાત્કાલિક અસરથી મુખ્ય વહીવટદારની કચેરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફથી સાંજનાં શો નો સમય 6.45 કલાકનાં બદલે 7.30 કલાકથી લેસર શો (પ્રોજેક્શન મેપિંગ શો) શરૂ કરવામાં આવશે તેવો નિર્ણય જાહેર કરાયો છે.
https://twitter.com/watchgujarat/status/1370010422632280071?s=21
લેસર શો માટેની લાઇટ દુનિયાની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે અને તેની લેસર ગન શક્તિશાળી છે લેસર શો (પ્રોજેક્શન મેપિંગ શો) જયારે સંપૂર્ણ અંધારૂ હોય ત્યારે વધુ સારી રીતે જોઇ શકાય તેમ હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવનાર પ્રવાસીઓનાં લાભાર્થે આ નિર્ણય લેવાયો છે.
SOU ખાતે લેસર શો 182 મીટરની ઊંચાઇની રચનાને પ્રકાશિત કરે છે. સાંજના સમયે લેસર શોમાં સરદાર વલ્લભભાઈ પટેલની યાત્રા અને ભારતને અખંડ રાષ્ટ્ર તરીકે બનાવવાની તેમની ભૂમિકા દર્શાવવામાં આવે છે. શોમાં લેઝર લાઇટ્સ, સાઉન્ડ, ગ્રાફિક્સ અને સ્ટોરી ટેલિંગના સુંદર મિશ્રણવાળી મૂર્તિઓ કેનવાસ તરીકે ઉપયોગમાં લેવાય છે. 30 મિનિટનો શો દર્શકોને મંત્ર મુગ્ધ કરી દે છે. શોમાં કુલ 51 ઉચ્ચ-રીઝોલ્યુશન પ્રોજેક્ટરનો ઉપયોગ થાય છે. તે બધા 600 મીટરના અંતરે મુકવામાં આવ્યા છે.
ક્રિસ્ટી ક્રિમસન, જર્મનીની લેસર શો નિર્માતા કંપની, યુએસ આધારિત વૈશ્વિક વિઝ્યુઅલ ટેકનોલોજીએ સહયોગ આપ્યો છે. ભારતમાં પ્રથમ વખત SOU ખાતે ઉચ્ચ ક્ષમતાના પ્રોજેક્ટરો થકી લેસર લાઇટિંગ સ્થાપિત થઈ છે. લેન્સ અને લેસરો બધી હવામાન પરિસ્થિતિઓમાં ટકી શકે છે.
સાંજે 6.45 કલાકે શરૂ થતો 30 મિનિટના લેસર શો નો સમય 7.30 કલાકનો કરાયો
શો માં કુલ 51 ઉચ્ચ-રીઝોલ્યુશન પ્રોજેક્ટરનો ઉપયોગ
WatchGujarat. શિયાળાની વિદાય સાથે હવે દિવસ અને રાતના સમયમાં ફેરફાર જોવા મળશે. વૈશ્વિક સુપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાંજનાં સમયે યોજાતા લેસર શો (પ્રોજેક્શન મેપીંગ શો) પ્રવાસીઓ માટે SOU માં મુખ્ય આકર્ષણ પૈકી એક છે. સામાન્ય રીતે સાંજનાં 6.44 કલાકે પ્રવાસીઓ માટે આ 30 મિનિટ નો શો શરૂ કરવામાં આવતો હોય છે.
હવે ઉનાળાની ઋતુનો પ્રારંભ થયો છે, જેના કારણે દિન-પ્રતિદિન દિવસ લાંબો થતો જાય છે, જેનાં કારણે તાત્કાલિક અસરથી મુખ્ય વહીવટદારની કચેરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફથી સાંજનાં શો નો સમય 6.45 કલાકનાં બદલે 7.30 કલાકથી લેસર શો (પ્રોજેક્શન મેપિંગ શો) શરૂ કરવામાં આવશે તેવો નિર્ણય જાહેર કરાયો છે.
લેસર શો માટેની લાઇટ દુનિયાની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે અને તેની લેસર ગન શક્તિશાળી છે લેસર શો (પ્રોજેક્શન મેપિંગ શો) જયારે સંપૂર્ણ અંધારૂ હોય ત્યારે વધુ સારી રીતે જોઇ શકાય તેમ હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવનાર પ્રવાસીઓનાં લાભાર્થે આ નિર્ણય લેવાયો છે.
SOU ખાતે લેસર શો 182 મીટરની ઊંચાઇની રચનાને પ્રકાશિત કરે છે. સાંજના સમયે લેસર શોમાં સરદાર વલ્લભભાઈ પટેલની યાત્રા અને ભારતને અખંડ રાષ્ટ્ર તરીકે બનાવવાની તેમની ભૂમિકા દર્શાવવામાં આવે છે. શોમાં લેઝર લાઇટ્સ, સાઉન્ડ, ગ્રાફિક્સ અને સ્ટોરી ટેલિંગના સુંદર મિશ્રણવાળી મૂર્તિઓ કેનવાસ તરીકે ઉપયોગમાં લેવાય છે. 30 મિનિટનો શો દર્શકોને મંત્ર મુગ્ધ કરી દે છે. શોમાં કુલ 51 ઉચ્ચ-રીઝોલ્યુશન પ્રોજેક્ટરનો ઉપયોગ થાય છે. તે બધા 600 મીટરના અંતરે મુકવામાં આવ્યા છે.
ક્રિસ્ટી ક્રિમસન, જર્મનીની લેસર શો નિર્માતા કંપની, યુએસ આધારિત વૈશ્વિક વિઝ્યુઅલ ટેકનોલોજીએ સહયોગ આપ્યો છે. ભારતમાં પ્રથમ વખત SOU ખાતે ઉચ્ચ ક્ષમતાના પ્રોજેક્ટરો થકી લેસર લાઇટિંગ સ્થાપિત થઈ છે. લેન્સ અને લેસરો બધી હવામાન પરિસ્થિતિઓમાં ટકી શકે છે.