વિસ્ટાડોમ કોચમાં સુવિધા અને સવલતોને લઈ પ્રવાસ જીવનમાં યાદગાર બની રહેશે
અમદાવાદથી SOU જવા વિસ્ટાડોમ કોચથી સ્જજ જનશતાબ્દિની સુવિધા જોઇ દંગ રહી જશો
વિસ્ટાડોમ કોચ અને એક્ઝિક્યુટિવ ચેરકારમાં સફરનું ભાડું ₹885, CC નું ₹395 અને સેકન્ડ ક્લાસનું ₹120
WatchGujarat. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કેવડિયા સ્ટેશનનું લોકાર્પણ કર્યું. આ સાથે 6 રાજ્યોમાંથી કેવડિયા સુધી જતી 8 ટ્રેનોનો પણ શુભારંભ કરાવ્યો. હવે અમદાવાદીઓને કેવડિયા જવા માટે સી પ્લેનની સાથે સાથે નવી ભેટ પણ મળી ચૂકી છે.
અમદાવાદ-કેવડિયા જનશતાબ્દિની ખાસિયત એ છે કે, ટ્રેનમાં કાચના કોચ છે. જેથી પ્રવાસી કુદરતનો નજરો માણવાની સાથે પ્રવાસ કરી શકશે. તો વિસ્ટાડોમ કોચથી સજ્જ આ જનશતાબ્દિમાં અન્ય શું છે સુવિધા જાણીએ.
રવિવારે કેવડિયા ખાતે દેશનું પ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે આજે 8 રેલવે સ્ટેશનથી ટ્રેનોને કેવડિયા આવવા રવાના કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં પહેલી અમદાવાદ-કેવડિયા વચ્ચે દોડનારી જનશતાબ્દિ ટ્રેન અત્યાધુનિક સુવિધાથી સજ્જ છે. આ ટ્રેનમાં વાઇફાઇ સહિતની તમામ સુવિધા છે.
જનશતાબ્દીમાં સૌપ્રથમ લગાવાયેલો વિસ્તાડોમ કોચ LHB પ્લેટફોર્મ ઉપર ચેન્નાઇ કોચ ફેકટરીમાં ટુરિઝમને વેગ આપવા નિર્માણ કરાયું છે. યાદગાર પ્રવાસ બનાવવા સાથે મુસાફરી કરનારને તેની સફર જીવનભર સફર યાદ રહેશે.
હાઇસ્પીડ આધુનિક કોચમાં અનેક સુવિધા, સિસ્ટમ અને સવલતો ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
દૈનિક ટ્રેન બન્ને તરફ 4 ફેરા મારનાર છે. ટ્રેંનનું રિઝર્વેશન રવિવારથી જ 18 જાન્યુઆરી માટે સવારે 8 કલાકથી ખુલ્યું હતું. જોકે પ્રથમ દિવસે અમદાવાદ-કેવડિયા વિસ્ટાડોમ કોચમાં પ્રવાસ કરવા બન્ને તરફના 4 ફેરમાં બપોરે 3 વાગ્યા સુધી 7 કલાકમાં એક પણ ટિકિટ બુક થઈ ન હતી.
આ ટ્રેનમાં સેકન્ડ કલાસ, ચેરકાર,એક્ઝિક્યુટિવ ચેરકાર અને અનુભીતિ ચેરકાર (વિસ્ટાડોમ કોચ) લગાવાયા છે.
IRCTC અને PRS સેન્ટર પર સવારે 8 કલાકે બુકીંગ શરૂ થવાથી બપોરે 3 કલાક સુધીમાં માત્ર સેકન્ડ કલાસ 2S માટે અમદાવાદથી કેવડિયા જવા 8 પ્રવાસીઓએ ટિકિટ બુક કરાવી હતી. એવી જ રીતે કેવડિયાથી અમદાવાદ આવવા સેકન્ડ ક્લાસમાં માત્ર 9 ટિકિટ જ બુક થઈ હતી.
સેકન્ડ કલાસ 2S નું ભાડું ₹120 નિયત કરાયું છે. જેની 669 સીટ છે. CC ની 196 સીટ છે, જેનું ભાડું ₹395, એક્ઝિક્યુટિવ ચેરકાર EC ની 32 સીટ અને ભાડું ₹885 છે. વિસ્તાડોમ કોચ અનુભૂતિ EA માં 38 સીટ અને ભાડું ₹885 છે.
વિસ્ટાડોમ કોચ શું છે
વિસ્ટાડોમ કોચ સંપૂર્ણ રીતે એસી કોચ હોય છે. વિસ્ટાડોમ કોચ અધ્યાધુનિક ટેકનોલોજીથી LHB પ્લેટફોર્મ પર પહેલી વખત ચેનાઈ કોચ ફેકટરીમાં તૈયાર કરાયો છે. કોચ ઉચ્ચસ્તરિય સુવિધાથી સજ્જ છે. જેનું ઇન્ટિરિયલ ખૂબ જ આકર્ષક છે. વિસ્ટાડોમ કોચમાં ગ્લાસની મોટી વિન્ડો સાથે કોચમાં સાઇડ અને કોચની છત ગ્લાસની જ છે. જેથી પ્રવાસી બહારના કુદરતી નજારાનો પ્રવાસ સાથે આનંદ લઇ શકે.
વિસ્ટાડોમ કોચની વિશેષતા
ઓબ્ઝર્વેશન લોન્જ : કોચના એક છેડે વિશાળ કાચની બારી પાસે પ્રવાસી ઉભા રહી મુસાફરી માણી શક
180 ડિગ્રી રોટેટ સીટ : 180 ડિગ્રી સુધી ફરી શક્તિ આરામદાયક સીટથી ચારે તરફનો નજારો બેઠા બેઠા જોઈ શકાશે
ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર : કોચની બન્ને તરફ ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર લગાવાયા છે
ગ્લાસ રૂફતોપ : પ્રવાસનને વેગ આપવા બનાવેલા કોચની છત પર ઇલેક્ટ્રિક કન્ટ્રોલ ગ્લાસ રૂફ ટોપ લગાવાયા છે, જેથી બેઠા બેઠા આકાશી નજારો નિહાળી શકાશે
લાર્જ સાઈઝ વિન્ડો : કોચ માં 5 લાર્જ સાઈઝ વિન્ડોથી પ્રવાસીઓ બહારનો આહલાદક નજારો નિહાળી શકશે
ફોલ્ડેડ સ્નેક ટેબલ : સીટ પર આરામદાયક મુસાફરી સાથે નાસ્તો અને ભોજન લેવા ફોલ્ડએડ સ્નેક ટેબલ અપાયું છે
સીટ નંબર વીથ બ્રેઇલ સાઈન : સીટની પાછળ નંબર બ્રેઇલ સાઈનમાં પ્રવાસીઓની સવલત માટે લખાયા છે
ઇન્ફોટેક સિસ્ટમ : કોચમાં પેસેન્જર ઇન્ફોટેક સિસ્ટમ લગાવાય છે. જેમાં ડિજિટલ ડિસ્પ્લે અને સ્પીકર અને Wifi મનોરંજન માટે અપાયા છે.
સેફટી ફીચર્સ : ઓન બોર્ડ CCTV, ફાયર ડિટેક્શન સિસ્ટમ, એલાર્મ અને સ્પીકરની સુરક્ષાથી સજ્જ
LED ડેસ્ટિનેશન બોર્ડ : પ્રવાસીઓને કોચમાં બેઠા બેઠા જ સ્ટેશનની જાણકારી આપવા LED ડેસ્ટિનેશન બોર્ડ, સ્પીકર સાથે છે
લગેજ કમપાર્ટમેન્ટ : પ્રવાસીઓને તેઓનો સમાન મુકવા સ્ટીલનું આકર્ષક અને વિશાળ લગેજ કમ્પાર્ટમેન્ટ છે
મીની પેન્ટ્રી : કોચમાં મીની પેન્ટ્રીમાં ફ્રીઝ, ઓવન, કોફી મેકર અને બોટલ કુલરની સુવિધા છે.
વિસ્ટાડોમ કોચમાં સુવિધા અને સવલતોને લઈ પ્રવાસ જીવનમાં યાદગાર બની રહેશે
અમદાવાદથી SOU જવા વિસ્ટાડોમ કોચથી સ્જજ જનશતાબ્દિની સુવિધા જોઇ દંગ રહી જશો
વિસ્ટાડોમ કોચ અને એક્ઝિક્યુટિવ ચેરકારમાં સફરનું ભાડું ₹885, CC નું ₹395 અને સેકન્ડ ક્લાસનું ₹120
WatchGujarat. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કેવડિયા સ્ટેશનનું લોકાર્પણ કર્યું. આ સાથે 6 રાજ્યોમાંથી કેવડિયા સુધી જતી 8 ટ્રેનોનો પણ શુભારંભ કરાવ્યો. હવે અમદાવાદીઓને કેવડિયા જવા માટે સી પ્લેનની સાથે સાથે નવી ભેટ પણ મળી ચૂકી છે.
અમદાવાદ-કેવડિયા જનશતાબ્દિની ખાસિયત એ છે કે, ટ્રેનમાં કાચના કોચ છે. જેથી પ્રવાસી કુદરતનો નજરો માણવાની સાથે પ્રવાસ કરી શકશે. તો વિસ્ટાડોમ કોચથી સજ્જ આ જનશતાબ્દિમાં અન્ય શું છે સુવિધા જાણીએ.
રવિવારે કેવડિયા ખાતે દેશનું પ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે આજે 8 રેલવે સ્ટેશનથી ટ્રેનોને કેવડિયા આવવા રવાના કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં પહેલી અમદાવાદ-કેવડિયા વચ્ચે દોડનારી જનશતાબ્દિ ટ્રેન અત્યાધુનિક સુવિધાથી સજ્જ છે. આ ટ્રેનમાં વાઇફાઇ સહિતની તમામ સુવિધા છે.
જનશતાબ્દીમાં સૌપ્રથમ લગાવાયેલો વિસ્તાડોમ કોચ LHB પ્લેટફોર્મ ઉપર ચેન્નાઇ કોચ ફેકટરીમાં ટુરિઝમને વેગ આપવા નિર્માણ કરાયું છે. યાદગાર પ્રવાસ બનાવવા સાથે મુસાફરી કરનારને તેની સફર જીવનભર સફર યાદ રહેશે.
હાઇસ્પીડ આધુનિક કોચમાં અનેક સુવિધા, સિસ્ટમ અને સવલતો ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
દૈનિક ટ્રેન બન્ને તરફ 4 ફેરા મારનાર છે. ટ્રેંનનું રિઝર્વેશન રવિવારથી જ 18 જાન્યુઆરી માટે સવારે 8 કલાકથી ખુલ્યું હતું. જોકે પ્રથમ દિવસે અમદાવાદ-કેવડિયા વિસ્ટાડોમ કોચમાં પ્રવાસ કરવા બન્ને તરફના 4 ફેરમાં બપોરે 3 વાગ્યા સુધી 7 કલાકમાં એક પણ ટિકિટ બુક થઈ ન હતી.
આ ટ્રેનમાં સેકન્ડ કલાસ, ચેરકાર,એક્ઝિક્યુટિવ ચેરકાર અને અનુભીતિ ચેરકાર (વિસ્ટાડોમ કોચ) લગાવાયા છે.
IRCTC અને PRS સેન્ટર પર સવારે 8 કલાકે બુકીંગ શરૂ થવાથી બપોરે 3 કલાક સુધીમાં માત્ર સેકન્ડ કલાસ 2S માટે અમદાવાદથી કેવડિયા જવા 8 પ્રવાસીઓએ ટિકિટ બુક કરાવી હતી. એવી જ રીતે કેવડિયાથી અમદાવાદ આવવા સેકન્ડ ક્લાસમાં માત્ર 9 ટિકિટ જ બુક થઈ હતી.
સેકન્ડ કલાસ 2S નું ભાડું ₹120 નિયત કરાયું છે. જેની 669 સીટ છે. CC ની 196 સીટ છે, જેનું ભાડું ₹395, એક્ઝિક્યુટિવ ચેરકાર EC ની 32 સીટ અને ભાડું ₹885 છે. વિસ્તાડોમ કોચ અનુભૂતિ EA માં 38 સીટ અને ભાડું ₹885 છે.
વિસ્ટાડોમ કોચ શું છે
વિસ્ટાડોમ કોચ સંપૂર્ણ રીતે એસી કોચ હોય છે. વિસ્ટાડોમ કોચ અધ્યાધુનિક ટેકનોલોજીથી LHB પ્લેટફોર્મ પર પહેલી વખત ચેનાઈ કોચ ફેકટરીમાં તૈયાર કરાયો છે. કોચ ઉચ્ચસ્તરિય સુવિધાથી સજ્જ છે. જેનું ઇન્ટિરિયલ ખૂબ જ આકર્ષક છે. વિસ્ટાડોમ કોચમાં ગ્લાસની મોટી વિન્ડો સાથે કોચમાં સાઇડ અને કોચની છત ગ્લાસની જ છે. જેથી પ્રવાસી બહારના કુદરતી નજારાનો પ્રવાસ સાથે આનંદ લઇ શકે.
વિસ્ટાડોમ કોચની વિશેષતા
ઓબ્ઝર્વેશન લોન્જ : કોચના એક છેડે વિશાળ કાચની બારી પાસે પ્રવાસી ઉભા રહી મુસાફરી માણી શક