દરેક હોસ્પિટલના હેડ સૌપ્રથમ રસીકરણ કરાવશે
દરેક બૂથ પર 100 આરોગ્ય કર્મીઓને પ્રથમ દિવસે આ રસી આપવામાં આવશે
વેક્સિન લીધા પછી વ્યક્તિને થોડો સમય ઓબ્ઝર્વેશન રૂમમાં રખાશે
ગુજરાતમાં કુલ 4.31 લાખ હેલ્થ વર્કરોને તબક્કામાં રસીકરણ માટે આવરી લેવામાં આવશે
ચાર લાખથી વધુ હેલ્થકેરવર્કર્સ સહિત 11 લાખ ફ્રન્ટલાઈનવર્કર્સને પહેલા ડોઝ અપાશે
WatchGujarat રાજ્યભરમાં આજથી "CORONA Vaccine" આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સવારે 10 વાગ્યાથી અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના કુલ ગુજરાતના 161 બૂથ પરથી રસી અપાશે. દરેક બૂથ પરથી પ્રથમ દિવસે 100 આરોગ્ય કર્મીઓને આ રસી આપવામાં આવશે. આમ પ્રથમ દિવસે રાજ્યમાં 16,000થી વધુ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવશે. જ્યારે દેશભરમાં 3 હજાર બૂથ પરથી 3 લાખ લોકોને રસી અપાશે. ગુજરાતમાં રસીકરણ માટે સિવિલ કે જનરલ હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો, ખાનગી હોસ્પિટલો, શાળાઓ તથા અને અન્ય સરકારી સ્થળોએ પણ રસીકરણ બૂથ ઊભાં કરાયાં છે.
"CORONA Vaccine" કાર્યક્રમની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓનલાઇન 10.30 વાગ્યે કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને આરોગ્યસચિવ જયંતી રવિ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઊભાં કરાયેલાં બૂથ પર હાજર રહ્યા હતા.લોકોમાં રસીકરણ અંગે વિશ્વાસ વધે તે માટે રાજ્ય સરકારમાં સેવા બજાવતાં સિનિયર ડોક્ટર્સ પ્રથમ રસી લીધી હતી. ત્યારબાદ અન્ય તબીબો તેમજ નર્સિંગ સ્ટાફ અને સહાયક કર્મચારીઓને આ રસી આપવામાં આવશે. ગુજરાતમાં કુલ 4.31 લાખ હેલ્થ વર્કર્સને આ તબક્કામાં રસીકરણ માટે આવરી લેવામાં આવશે. વેક્સિન લીધા પછી વ્યક્તિને થોડો સમય ઓબ્ઝર્વેશન રૂમમાં રખાશે.
કોરોના મહામારી સામેના જંગમાં ભારત દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન આજે કરી રહ્યું છે. ગુજરાતે પણ થોડા દિવસ પહેલાં ડેટાબેઝ તૈયાર કરવાનું કાર્ય પૂર્ણ કરી લીધું છે, જેમાં ચાર લાખથી વધુ હેલ્થકેરવર્કર્સ, 6 લાખથી વધુ ફ્રન્ટલાઇનવર્કર્સ, જેમાં પોલીસ, સફાઇકર્મચારી અને કોવિડની ડ્યૂટીમાં ડાયરેક્ટ ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે, એમ કુલ 11 લાખથી વધુ કોવિડ કર્મચારીઓને વેક્સિનનો ડોઝ પહેલા અપાશે.
દરેક હોસ્પિટલના હેડ સૌપ્રથમ રસીકરણ કરાવશે
દરેક બૂથ પર 100 આરોગ્ય કર્મીઓને પ્રથમ દિવસે આ રસી આપવામાં આવશે
વેક્સિન લીધા પછી વ્યક્તિને થોડો સમય ઓબ્ઝર્વેશન રૂમમાં રખાશે
ગુજરાતમાં કુલ 4.31 લાખ હેલ્થ વર્કરોને તબક્કામાં રસીકરણ માટે આવરી લેવામાં આવશે
ચાર લાખથી વધુ હેલ્થકેરવર્કર્સ સહિત 11 લાખ ફ્રન્ટલાઈનવર્કર્સને પહેલા ડોઝ અપાશે
WatchGujarat રાજ્યભરમાં આજથી "CORONA Vaccine" આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સવારે 10 વાગ્યાથી અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના કુલ ગુજરાતના 161 બૂથ પરથી રસી અપાશે. દરેક બૂથ પરથી પ્રથમ દિવસે 100 આરોગ્ય કર્મીઓને આ રસી આપવામાં આવશે. આમ પ્રથમ દિવસે રાજ્યમાં 16,000થી વધુ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવશે. જ્યારે દેશભરમાં 3 હજાર બૂથ પરથી 3 લાખ લોકોને રસી અપાશે. ગુજરાતમાં રસીકરણ માટે સિવિલ કે જનરલ હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો, ખાનગી હોસ્પિટલો, શાળાઓ તથા અને અન્ય સરકારી સ્થળોએ પણ રસીકરણ બૂથ ઊભાં કરાયાં છે.
"CORONA Vaccine" કાર્યક્રમની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓનલાઇન 10.30 વાગ્યે કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને આરોગ્યસચિવ જયંતી રવિ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઊભાં કરાયેલાં બૂથ પર હાજર રહ્યા હતા.લોકોમાં રસીકરણ અંગે વિશ્વાસ વધે તે માટે રાજ્ય સરકારમાં સેવા બજાવતાં સિનિયર ડોક્ટર્સ પ્રથમ રસી લીધી હતી. ત્યારબાદ અન્ય તબીબો તેમજ નર્સિંગ સ્ટાફ અને સહાયક કર્મચારીઓને આ રસી આપવામાં આવશે. ગુજરાતમાં કુલ 4.31 લાખ હેલ્થ વર્કર્સને આ તબક્કામાં રસીકરણ માટે આવરી લેવામાં આવશે. વેક્સિન લીધા પછી વ્યક્તિને થોડો સમય ઓબ્ઝર્વેશન રૂમમાં રખાશે.
કોરોના મહામારી સામેના જંગમાં ભારત દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન આજે કરી રહ્યું છે. ગુજરાતે પણ થોડા દિવસ પહેલાં ડેટાબેઝ તૈયાર કરવાનું કાર્ય પૂર્ણ કરી લીધું છે, જેમાં ચાર લાખથી વધુ હેલ્થકેરવર્કર્સ, 6 લાખથી વધુ ફ્રન્ટલાઇનવર્કર્સ, જેમાં પોલીસ, સફાઇકર્મચારી અને કોવિડની ડ્યૂટીમાં ડાયરેક્ટ ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે, એમ કુલ 11 લાખથી વધુ કોવિડ કર્મચારીઓને વેક્સિનનો ડોઝ પહેલા અપાશે.