WatchGujarat. ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી ભલે સત્તાપક્ષના ધારાસભ્ય હોય પણ તેમના પ્રશ્નો હંમેશા વિપક્ષની જેમ જ રહ્યા છે. સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે તેઓ સમયાંતરે સવાલ ઉઠાવતા હોય છે, વરાછા વિસ્તારના ટ્રાફિકના પ્રશ્નોની વાત હોય. કે ખાડા રસ્તાની ફરિયાદો હોય, કુમાર કાનાણી દ્વારા આ અંગે સમયાંતરે સવાલો પૂછવામાં આવે છે. જેને લઈને ખુદ ભાજપ શાસકોએ પણ ક્યારેક ક્ષોભજનક સ્થિતિમાં મુકવાનો વારો આવે છે.
[caption id="attachment_1413689" align="aligncenter" width="776"] Kumar kanani Letter on Social Media[/caption]
આજે તેઓએ વધુ એક પત્ર મ્યુનિસિપલ કમિશનર ને લખ્યો છે, અને ગાર્ડન વિભાગ સામે સવાલ ઉઠાવ્યો છે. વસસ્ટવમાં ભેસ્તાન ખાતે આવેલા લેક ગાર્ડનમાં રી ડેવલપ કરવાનો નિર્ણય મનપા દ્વારા કહેવામાં આવ્યો છે. કુમાર કાનાણી એ પત્ર લખતા સવાલ પૂછ્યો છે. ગાર્ડનની જાળવણી માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા જ હોય છે. છતાં 11 વર્ષમાં ગાર્ડનને રિડેવલ્પ કરવાની જરૂર કેમ પડે છે. તેમને પાત્રમાં એ પણ સ્પષ્ટ લખ્યું છે કે જો ભેસ્તાનનું લેક ગાર્ડન રી ડેવલપ થતું હોય તો તેમના વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ ઉદ્યાન ચોપાટીને પણ રી ડેવલપ કરવામાં આવે.
આ બાબતે કુમાર કાનાણી એ જણાવ્યું હતું કે લોકોના પ્રશ્નો બાબતે તેઓ હમેશા સક્રિય રહ્યા છે અને રહેશે. ભલે તેઓ મંત્રી નથી રહ્યા પણ લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ તેઓ પહેલા પણ કરતા આવ્યા છે અને ભવિષ્યમાં પણ કરતા રહેશે. જોકે તેની સામે વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે મંત્રી અને ધારાસભ્ય તરીકે કુમાર કાનાણી હંમેશા નિષ્ફ્ળ જ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી આવે છે એટલે તેમના દ્વારા આવા પ્રશ્નો ઉઠાવાતા રહેવાશે. ગેરકાયદે બાંધકામની જયારે વાતો તેઓ કરે છે, ત્યારે તેમને સમજવું જૉ કે સત્તાપક્ષ નેમનો જ છે.
જોકે આ સમગ્ર મામલે હવે ભાજપની સ્થિતિ જોવા જેવી થઇ છે કારણ કે ધારાસભ્ય ખુદ જયારે વિપક્ષની ભાષા બોલતા હોય ત્યારે સંગઠનમ હાલ તેઓ ચર્ચાનો વિષય બન્યા છે.
WatchGujarat. ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી ભલે સત્તાપક્ષના ધારાસભ્ય હોય પણ તેમના પ્રશ્નો હંમેશા વિપક્ષની જેમ જ રહ્યા છે. સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે તેઓ સમયાંતરે સવાલ ઉઠાવતા હોય છે, વરાછા વિસ્તારના ટ્રાફિકના પ્રશ્નોની વાત હોય. કે ખાડા રસ્તાની ફરિયાદો હોય, કુમાર કાનાણી દ્વારા આ અંગે સમયાંતરે સવાલો પૂછવામાં આવે છે. જેને લઈને ખુદ ભાજપ શાસકોએ પણ ક્યારેક ક્ષોભજનક સ્થિતિમાં મુકવાનો વારો આવે છે.
[caption id="attachment_1413689" align="aligncenter" width="776"] Kumar kanani Letter on Social Media[/caption]
આજે તેઓએ વધુ એક પત્ર મ્યુનિસિપલ કમિશનર ને લખ્યો છે, અને ગાર્ડન વિભાગ સામે સવાલ ઉઠાવ્યો છે. વસસ્ટવમાં ભેસ્તાન ખાતે આવેલા લેક ગાર્ડનમાં રી ડેવલપ કરવાનો નિર્ણય મનપા દ્વારા કહેવામાં આવ્યો છે. કુમાર કાનાણી એ પત્ર લખતા સવાલ પૂછ્યો છે. ગાર્ડનની જાળવણી માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા જ હોય છે. છતાં 11 વર્ષમાં ગાર્ડનને રિડેવલ્પ કરવાની જરૂર કેમ પડે છે. તેમને પાત્રમાં એ પણ સ્પષ્ટ લખ્યું છે કે જો ભેસ્તાનનું લેક ગાર્ડન રી ડેવલપ થતું હોય તો તેમના વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ ઉદ્યાન ચોપાટીને પણ રી ડેવલપ કરવામાં આવે.
આ બાબતે કુમાર કાનાણી એ જણાવ્યું હતું કે લોકોના પ્રશ્નો બાબતે તેઓ હમેશા સક્રિય રહ્યા છે અને રહેશે. ભલે તેઓ મંત્રી નથી રહ્યા પણ લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ તેઓ પહેલા પણ કરતા આવ્યા છે અને ભવિષ્યમાં પણ કરતા રહેશે. જોકે તેની સામે વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે મંત્રી અને ધારાસભ્ય તરીકે કુમાર કાનાણી હંમેશા નિષ્ફ્ળ જ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી આવે છે એટલે તેમના દ્વારા આવા પ્રશ્નો ઉઠાવાતા રહેવાશે. ગેરકાયદે બાંધકામની જયારે વાતો તેઓ કરે છે, ત્યારે તેમને સમજવું જૉ કે સત્તાપક્ષ નેમનો જ છે.
જોકે આ સમગ્ર મામલે હવે ભાજપની સ્થિતિ જોવા જેવી થઇ છે કારણ કે ધારાસભ્ય ખુદ જયારે વિપક્ષની ભાષા બોલતા હોય ત્યારે સંગઠનમ હાલ તેઓ ચર્ચાનો વિષય બન્યા છે.