કોવિડ હોસ્પિટલ ખાતે પરિવારજનોનું હૈયાફાટ રૂદન, મૃતકના પરિવારજનોને તંત્ર દ્વારા સમજાવવાના પ્રયાસ
કલેક્ટરના આદેશ બાદ તપાસ કમિટી બની, તપાસ કમિટીના રિપોર્ટ બાદ જવાબદાર સામે પગલાં ભરાશે
માતાના મૃત્યુ બાબતે પરિવારને જાણ કરી ન હતી
સુશિલાબેનના મૃતદેહ સાથે શબાનાબેનનો મૃતદેહ બદલાયો
કોવિડ હોસ્પિટલના કાચ તોડફોડ કરતા પોલીસ બોલાવવી પડી
WatchGujarat. શહેર જિલ્લામાં કોરોનાના કેસ અને મોતમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત કોવિડ હોસ્પિટલની એક ગંભીર બેદરકારી સામે છે. જેમાં બે મહિલા કોરોના દર્દીના મૃતદેહ બદલાઈ ગયા હતા. એટલું જ નહીં પણ એક મૃતદેહની દફનવિધિને બદલે અગ્નિદાહ આપી દેવાતા પરિવારનો હોબાળો મચાવ્યો હતો. દરમિયાન ઉશ્કેરાયેલા પરિવારે તોડફોડ પણ કરી હતી. જેથી પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. હાલ પરિવારને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન કલેક્ટરના આદેશ બાદ તપાસ કમિટી બની છે. તપાસ કમિટીના રિપોર્ટ બાદ જવાબદાર સામે પગલાં ભરાશે.
સૈયદપુરામાં આવેલી રાજવાડી ખાતે 38 વર્ષીય શબાનાબેન મોહમદ અન્સારી પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પતિનું હૃદય રોગમાં મોત થયું હતું. હાલ પુત્ર અન્સ સહિત 3 ભાઈ અને એક બહેન માતા સાથે રહે છે. દરમિયાન 10 દિવસ પહેલા શબાનાબેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને સુરત કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન પુત્રને સવારે 8 વાગ્યે બોલાવ્યો હતો અને માતાના મૃત્યુ બાબતે પરિવારને જાણ કરી ન હતી.
પુત્ર અનસ અન્સારીએ જણાવ્યું હતું કે, માતા સાથે એક કલાક વાત થઈ હતી. પણ આજે એવી ઘટના બની ગઈ છે કે, માતાના મોત બાદ તંત્ર કહે છે કે બોડી નહી મળે. ડોક્ટરોએ પણ આ બાબત અમારાથી છુપાવી છે. સુશિલાબેન નામની મહિલાના મૃતદેહ સાથે શબાનાબેનનો મૃતદેહ બદલી ગયો છે અને તેઓએ અગ્નિદાહ પણ આપી દીધો છે.
પુત્ર અનસે વધુમાં જણાવ્યું હતું કે, ડોક્ટરો સાથે પરિવારની મિટિંગ થઈ રહી છે. અમે ન્યાય માટે લડીશું. કાલ સુધી માતાની હાલત સારી હતી. ગત રોજ જ એક કલાક વીડિયો કોલમાં વાત કરી હતી અને આજે મોત થઈ ગયું હોવાની જાણ થઈ હતી. જ્યારે પણ રિપોર્ટ લેવા આવતા ત્યારે એક જ રિપોર્ટ આપી દેતા હતા. આજે વધુ દબાણ કરવા માટે આવ્યા તો મોત થયું હોવાની જાણ કરી હતી. સુશિલાબેનનો મૃતદેહ અમે સ્વિકાર્યો નથી. મારે મારી મમ્મી જ જોઈએ. પોલીસ સુધી જવું પડે તે પણ જઈશું. ટોટલ ચાર મૃતદેહ છે. મૃતક શબાનાબેનના પરિવારે અન્ય મૃતદેહની તપાસ કરતા શબાનાબેનનો મૃતદેહ નથી. ચાર મૃતદેહમાં સુશીલાબેનનો મૃતદેહ હોવાનું કહી રહ્યા છે. સુશિલાબેનનો પરિવાર હજી અજાણ કે એમણે કોના મૃતદેહને અગ્નિદાહ આપ્યો છે.
સુશિલાબેનનો પરિવાર હવે સુરત પરત આવવા પણ તૈયાર નથી
સુશિલાનું પરિવાર શબાનાબેનના મૃતદેહને લઈને રાત્રે 10.30 વાગ્યો સ્મશાને પહોંચી ગયું હતું. અંતિમવિધી કરી ગામડે જતા રહ્યા હતા. સવારે જ્યારે આ ઘટના બહાર આવી ત્યારે પતિએ કહ્યું હતું કે અમે તો ચહેરો જોઈને જ અંતિમવિધિ કરી હતી. જોકે, ભત્રીજાએ કહ્યું હતું કે, મારા કાકાથી ભૂલ પણ થઈ હોય શકે છે. જેથી શબાનાના મૃતદેહને અગ્નિદાહ અપાઈ ગયો હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. હાલ પરિવારને ફરિયાદ કરવી હોય તો કરી શકો છો. જોકે, જો મૃતદેહને અગ્નિદાહ અપાઈ ગયો હોય તો તે પરત ન લાવી શકાય તેવી રીતે સમજાવવામાં આવી રહ્યો છે. વધુ તપાસ પોલીસ દ્વારા પણ હાથ ધરવામાં આવી છે. જોકે, સુશિલાબેનનો પરિવાર હવે સુરત પરત આવવા પણ તૈયાર નથી.
બે મહિલા કોરોના દર્દીના મૃતદેહ બદલાતા તાબડતોડ બેઠક બોલાવાય છે. જેમાં સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ, મેડિકલ કોલેજના ડિન રુતંબરા, આરએમઓકેતન નાયક, મેડિકલ ઓફિસર ડો. લક્ષમણ, નરસિંગ આગેવાન ઇકબાલ કડીવાળા, સહિત ના ડોક્ટરો હાજર રહ્યા હતા. ત્રણ ડોક્ટર રાઉન્ડ ધી ક્લોક 24 કલાક તૈનાત રહેશે અને મૃતદેહ પરિવારને ઓળખ કરીને આપશે. કલેક્ટરના આદેશ બાદ તપાસ કમિટી બની છે. તપાસ કમિટીના રિપોર્ટ બાદ જવાબદાર સામે પગલાં ભરાશે.
સ્ટાફની અછતને લઈ આવી ભૂલ
કોવિડ-19 હોસ્પિટલ બહાર પોલીસ બંદોબસ્ત મગાયો છે. લોક ડાઉન દરમિયાન સામાજિક સંસ્થાઓ કોવિડ-19 હોસ્પિટલમાં મદદ રૂપ થતી હતી. જોકે ધંધા રોજગાર ચાલુ થયા બાદ સ્ટાફની ઘટ સાથે સામાજિક કાર્યકર્તાઓની પણ અછત દેખાય છે. હાલ કોવિડ-19 હોસ્પિટલમાં દર્દીઓનો વધારો અને સ્ટાફની અછતને લઈ આવી ભૂલ થઈ હોય એમ કહી શકાય છે.
કોવિડ હોસ્પિટલ ખાતે પરિવારજનોનું હૈયાફાટ રૂદન, મૃતકના પરિવારજનોને તંત્ર દ્વારા સમજાવવાના પ્રયાસ
કલેક્ટરના આદેશ બાદ તપાસ કમિટી બની, તપાસ કમિટીના રિપોર્ટ બાદ જવાબદાર સામે પગલાં ભરાશે
માતાના મૃત્યુ બાબતે પરિવારને જાણ કરી ન હતી
સુશિલાબેનના મૃતદેહ સાથે શબાનાબેનનો મૃતદેહ બદલાયો
કોવિડ હોસ્પિટલના કાચ તોડફોડ કરતા પોલીસ બોલાવવી પડી
WatchGujarat. શહેર જિલ્લામાં કોરોનાના કેસ અને મોતમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત કોવિડ હોસ્પિટલની એક ગંભીર બેદરકારી સામે છે. જેમાં બે મહિલા કોરોના દર્દીના મૃતદેહ બદલાઈ ગયા હતા. એટલું જ નહીં પણ એક મૃતદેહની દફનવિધિને બદલે અગ્નિદાહ આપી દેવાતા પરિવારનો હોબાળો મચાવ્યો હતો. દરમિયાન ઉશ્કેરાયેલા પરિવારે તોડફોડ પણ કરી હતી. જેથી પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. હાલ પરિવારને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન કલેક્ટરના આદેશ બાદ તપાસ કમિટી બની છે. તપાસ કમિટીના રિપોર્ટ બાદ જવાબદાર સામે પગલાં ભરાશે.
સૈયદપુરામાં આવેલી રાજવાડી ખાતે 38 વર્ષીય શબાનાબેન મોહમદ અન્સારી પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પતિનું હૃદય રોગમાં મોત થયું હતું. હાલ પુત્ર અન્સ સહિત 3 ભાઈ અને એક બહેન માતા સાથે રહે છે. દરમિયાન 10 દિવસ પહેલા શબાનાબેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને સુરત કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન પુત્રને સવારે 8 વાગ્યે બોલાવ્યો હતો અને માતાના મૃત્યુ બાબતે પરિવારને જાણ કરી ન હતી.
પુત્ર અનસ અન્સારીએ જણાવ્યું હતું કે, માતા સાથે એક કલાક વાત થઈ હતી. પણ આજે એવી ઘટના બની ગઈ છે કે, માતાના મોત બાદ તંત્ર કહે છે કે બોડી નહી મળે. ડોક્ટરોએ પણ આ બાબત અમારાથી છુપાવી છે. સુશિલાબેન નામની મહિલાના મૃતદેહ સાથે શબાનાબેનનો મૃતદેહ બદલી ગયો છે અને તેઓએ અગ્નિદાહ પણ આપી દીધો છે.
પુત્ર અનસે વધુમાં જણાવ્યું હતું કે, ડોક્ટરો સાથે પરિવારની મિટિંગ થઈ રહી છે. અમે ન્યાય માટે લડીશું. કાલ સુધી માતાની હાલત સારી હતી. ગત રોજ જ એક કલાક વીડિયો કોલમાં વાત કરી હતી અને આજે મોત થઈ ગયું હોવાની જાણ થઈ હતી. જ્યારે પણ રિપોર્ટ લેવા આવતા ત્યારે એક જ રિપોર્ટ આપી દેતા હતા. આજે વધુ દબાણ કરવા માટે આવ્યા તો મોત થયું હોવાની જાણ કરી હતી. સુશિલાબેનનો મૃતદેહ અમે સ્વિકાર્યો નથી. મારે મારી મમ્મી જ જોઈએ. પોલીસ સુધી જવું પડે તે પણ જઈશું. ટોટલ ચાર મૃતદેહ છે. મૃતક શબાનાબેનના પરિવારે અન્ય મૃતદેહની તપાસ કરતા શબાનાબેનનો મૃતદેહ નથી. ચાર મૃતદેહમાં સુશીલાબેનનો મૃતદેહ હોવાનું કહી રહ્યા છે. સુશિલાબેનનો પરિવાર હજી અજાણ કે એમણે કોના મૃતદેહને અગ્નિદાહ આપ્યો છે.
સુશિલાબેનનો પરિવાર હવે સુરત પરત આવવા પણ તૈયાર નથી
સુશિલાનું પરિવાર શબાનાબેનના મૃતદેહને લઈને રાત્રે 10.30 વાગ્યો સ્મશાને પહોંચી ગયું હતું. અંતિમવિધી કરી ગામડે જતા રહ્યા હતા. સવારે જ્યારે આ ઘટના બહાર આવી ત્યારે પતિએ કહ્યું હતું કે અમે તો ચહેરો જોઈને જ અંતિમવિધિ કરી હતી. જોકે, ભત્રીજાએ કહ્યું હતું કે, મારા કાકાથી ભૂલ પણ થઈ હોય શકે છે. જેથી શબાનાના મૃતદેહને અગ્નિદાહ અપાઈ ગયો હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. હાલ પરિવારને ફરિયાદ કરવી હોય તો કરી શકો છો. જોકે, જો મૃતદેહને અગ્નિદાહ અપાઈ ગયો હોય તો તે પરત ન લાવી શકાય તેવી રીતે સમજાવવામાં આવી રહ્યો છે. વધુ તપાસ પોલીસ દ્વારા પણ હાથ ધરવામાં આવી છે. જોકે, સુશિલાબેનનો પરિવાર હવે સુરત પરત આવવા પણ તૈયાર નથી.
બે મહિલા કોરોના દર્દીના મૃતદેહ બદલાતા તાબડતોડ બેઠક બોલાવાય છે. જેમાં સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ, મેડિકલ કોલેજના ડિન રુતંબરા, આરએમઓકેતન નાયક, મેડિકલ ઓફિસર ડો. લક્ષમણ, નરસિંગ આગેવાન ઇકબાલ કડીવાળા, સહિત ના ડોક્ટરો હાજર રહ્યા હતા. ત્રણ ડોક્ટર રાઉન્ડ ધી ક્લોક 24 કલાક તૈનાત રહેશે અને મૃતદેહ પરિવારને ઓળખ કરીને આપશે. કલેક્ટરના આદેશ બાદ તપાસ કમિટી બની છે. તપાસ કમિટીના રિપોર્ટ બાદ જવાબદાર સામે પગલાં ભરાશે.
સ્ટાફની અછતને લઈ આવી ભૂલ
કોવિડ-19 હોસ્પિટલ બહાર પોલીસ બંદોબસ્ત મગાયો છે. લોક ડાઉન દરમિયાન સામાજિક સંસ્થાઓ કોવિડ-19 હોસ્પિટલમાં મદદ રૂપ થતી હતી. જોકે ધંધા રોજગાર ચાલુ થયા બાદ સ્ટાફની ઘટ સાથે સામાજિક કાર્યકર્તાઓની પણ અછત દેખાય છે. હાલ કોવિડ-19 હોસ્પિટલમાં દર્દીઓનો વધારો અને સ્ટાફની અછતને લઈ આવી ભૂલ થઈ હોય એમ કહી શકાય છે.