પુણા વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર અને ખાડીની સમસ્યાનું નિરાકરણ લાવવા પાયલ પ્રયાસ કરશે.
આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચાર દરમિયાન ગેરેન્ટી કાર્ડમાં જે વચનો આપ્યા છે તે પૂરા થાય તે પ્રકારે વિપક્ષ તરીકે કામ કરીશુ – પાયલ
Watch Gujarat. સંજાણ બંદરેથી ગુજરાતમાં પ્રવેશેલા પારસીયો ગુજરાતીઓ સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે, જોકે, સુરતના દ્વારેથી કોંગ્રેસનો સફાયો કરી ગુજરાતના રાજકારણમાં પ્રવેશેલી AAP પાર્ટી આગામી દિવસોમાં ભાજપા માટે પણ પડકારરૂપ સાબિત થઈ શકે છે. માત્ર 22 વર્ષની અભિનેત્રી પાયલ સાકરીયા આજે AAPની યુવા કોર્પોરેટર છે અને તેનું કહેવું છે કે, ‘મને એક્ટિંગનો શોખ છે, હવે લોક સેવા કરવી મારી પ્રથમ ફરજ છે’.
સુરત મહાનગરપાલિકાનો ઇલેક્શન આ વખતે ખૂબ જ નવું પરિવર્તન લઈને આવ્યું છે. આ વખતે મનપામાં સત્તાપક્ષ તો નહીં પરંતુ વિપક્ષ જરૂર બદલાઈ ચુક્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી સત્તામાં ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ જોવા મળતું હતું પરંતુ હવે વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી કબજો કર્યો છે. તેમાં પણ સૌથી મહત્વની વાત તો એ છે કે આમ આદમી પાર્ટીમાંથી સૌથી નાની ઉંમરની વોર્ડ નંબર 16ની ઉમેદવાર પાયલ પાટીદાર ઉર્ફે સાકરીયા ટિકિટ આપી હતી. જે સારી બહુમતી સાથે વિજેતા પણ બની છે.
આ પણ એક નવું ઐતિહાસિક પરિબળ મનાઈ રહ્યું છે કારણકે અત્યાર સુધીમાં આટલી નાની ઉંમરના કોઈ ઉમેદવાર કોર્પોરેટર બન્યો નથી. ત્યારે મનાઈ રહ્યું છે કે સુરતના અત્યાર સુધીના કોર્પોરેટરોમાં 22 વર્ષની પાયલ સાકરીયા મનપાની સૌથી નાની કોર્પોરેટર બની ઉભરી આવી છે.
પાયલ સાકરીયા એક્ટર છે સાથે કરશે લોકોની સેવા
પાયલ સાકરીયા એ watchgujarat.com સાથે ટેલિફોનિક વાત કરતા માં પાયલે જણાવ્યું હતું કે મને એક્ટિંગનો શોખ છે, હવે લોક સેવા કરવી મારી પ્રથમ ફરજ છે. આમેય પહેલાંથી જ લોકોની સેવા કરવાનો મારામાં ભાવ રહ્યો છે. અને સેવા કરતી પણ આવી છું. ત્યારે હવે આમ આદમી પાર્ટીમાંથી મારા વિસ્તારમાંથી વિજેતા બન્યા બાદ હું લોકોની સેવાઓ કરીશ. અમારા પુણા વિસ્તારમાં હજુ પણ રોડ, રસ્તા, ગટર અને ખાડીની સમસ્યા લોકોને સતાવી રહી છે જેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીશું.
તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ લોકોને ચૂંટણી પ્રચાર દરમિયાન જે ગેરેન્ટી કાર્ડમાં વચનો આપ્યા છે તે પૂરા થાય તે પ્રકારે વિપક્ષ તરીકે કામ કરીશુ. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી જીત્યા પછી પાયલ હવે આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા માટે અમરેલી ગઈ છે પાર્ટીને વિશ્વાસ છે કે મતદારોને રિઝવવા માટે યુવા ચહેરાઓની જરૂર છે અને પાયલની સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ જીત જોઈને મતદારો આમ આદમી પાર્ટી તરફ વળશે તેવો વિશ્વાસ પાર્ટી રાખી રહી છે.
પુણા વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર અને ખાડીની સમસ્યાનું નિરાકરણ લાવવા પાયલ પ્રયાસ કરશે.
આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચાર દરમિયાન ગેરેન્ટી કાર્ડમાં જે વચનો આપ્યા છે તે પૂરા થાય તે પ્રકારે વિપક્ષ તરીકે કામ કરીશુ – પાયલ
Watch Gujarat. સંજાણ બંદરેથી ગુજરાતમાં પ્રવેશેલા પારસીયો ગુજરાતીઓ સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે, જોકે, સુરતના દ્વારેથી કોંગ્રેસનો સફાયો કરી ગુજરાતના રાજકારણમાં પ્રવેશેલી AAP પાર્ટી આગામી દિવસોમાં ભાજપા માટે પણ પડકારરૂપ સાબિત થઈ શકે છે. માત્ર 22 વર્ષની અભિનેત્રી પાયલ સાકરીયા આજે AAPની યુવા કોર્પોરેટર છે અને તેનું કહેવું છે કે, ‘મને એક્ટિંગનો શોખ છે, હવે લોક સેવા કરવી મારી પ્રથમ ફરજ છે’.
સુરત મહાનગરપાલિકાનો ઇલેક્શન આ વખતે ખૂબ જ નવું પરિવર્તન લઈને આવ્યું છે. આ વખતે મનપામાં સત્તાપક્ષ તો નહીં પરંતુ વિપક્ષ જરૂર બદલાઈ ચુક્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી સત્તામાં ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ જોવા મળતું હતું પરંતુ હવે વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી કબજો કર્યો છે. તેમાં પણ સૌથી મહત્વની વાત તો એ છે કે આમ આદમી પાર્ટીમાંથી સૌથી નાની ઉંમરની વોર્ડ નંબર 16ની ઉમેદવાર પાયલ પાટીદાર ઉર્ફે સાકરીયા ટિકિટ આપી હતી. જે સારી બહુમતી સાથે વિજેતા પણ બની છે.
આ પણ એક નવું ઐતિહાસિક પરિબળ મનાઈ રહ્યું છે કારણકે અત્યાર સુધીમાં આટલી નાની ઉંમરના કોઈ ઉમેદવાર કોર્પોરેટર બન્યો નથી. ત્યારે મનાઈ રહ્યું છે કે સુરતના અત્યાર સુધીના કોર્પોરેટરોમાં 22 વર્ષની પાયલ સાકરીયા મનપાની સૌથી નાની કોર્પોરેટર બની ઉભરી આવી છે.
પાયલ સાકરીયા એક્ટર છે સાથે કરશે લોકોની સેવા
પાયલ સાકરીયા એ watchgujarat.com સાથે ટેલિફોનિક વાત કરતા માં પાયલે જણાવ્યું હતું કે મને એક્ટિંગનો શોખ છે, હવે લોક સેવા કરવી મારી પ્રથમ ફરજ છે. આમેય પહેલાંથી જ લોકોની સેવા કરવાનો મારામાં ભાવ રહ્યો છે. અને સેવા કરતી પણ આવી છું. ત્યારે હવે આમ આદમી પાર્ટીમાંથી મારા વિસ્તારમાંથી વિજેતા બન્યા બાદ હું લોકોની સેવાઓ કરીશ. અમારા પુણા વિસ્તારમાં હજુ પણ રોડ, રસ્તા, ગટર અને ખાડીની સમસ્યા લોકોને સતાવી રહી છે જેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીશું.
તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ લોકોને ચૂંટણી પ્રચાર દરમિયાન જે ગેરેન્ટી કાર્ડમાં વચનો આપ્યા છે તે પૂરા થાય તે પ્રકારે વિપક્ષ તરીકે કામ કરીશુ. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી જીત્યા પછી પાયલ હવે આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા માટે અમરેલી ગઈ છે પાર્ટીને વિશ્વાસ છે કે મતદારોને રિઝવવા માટે યુવા ચહેરાઓની જરૂર છે અને પાયલની સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ જીત જોઈને મતદારો આમ આદમી પાર્ટી તરફ વળશે તેવો વિશ્વાસ પાર્ટી રાખી રહી છે.