ફ્રેબુઆરી 2018 સુધી હપ્તાની નિયમિત ભરપાઈ કર્યા બાદ હપ્તા ભરવાનું બંધ કરી દીધું
5.25 કરોડ રૂપિયા બેંકમાં ભરપાઈ ન કરી વિશ્વાસધાત અને છેતરપિંડી કરી
ભેજાબાજ ટોળકીએ જુદા જુદા 53 વ્હીકલની લોન ઉપર 8.64 કરોડની લોન લઈ 5.25 કરોડની ભરપાઈ કરી નહી
WatchGujarat સુરતના સહારા દરવાજા ખાતે આવેલી યસ બેંક સાથે વાહન લોનના નામે કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. 20 જણાની ઠગબાજ ટોળકીએ અશોક લેલન અને ટાટા કંપની દ્વારા મેન્યુફેક્ચર કરવામાં ન આવેલા વાહનોને હયાત બતાવી તેના બોગસ દસ્તાવેજા અને વીમા પોલિસી બનાવી જુદી જુદી 53 લોન મંજુર કરાવી કુલ રૂપિયા 8.64 કરોડ ખંખેરી લીધા હતા. શરુઆતમાં નિયમિત હપ્તાની ભરપાઈ કર્યા બાદ બાકીના હપ્તા પેટેના રૂપિયા 5.25 કરોડ નહી ભરપાઈ કરી છેતરપિંડી કરી હતી. બનાવ અંગે બેંક મેનેજરે ફરીયાદ કરવામાં આવતા ક્રાઈમ બ્રાન્ચે ટોળકી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરાના વાધોડિયા રોડ પર રહેતા સુમિતભાઈ રમેશચંદ્ર ભોસલે સહારા દરવાજા ખાતે ટ્વીન ટાવરમાં આવેલ યસ બેંકમાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી RCU મેનેજર (રીસ્ક કન્ટેન્મેન્ટ યુનિટ મેનેજર) તરીકે નોકરી કરે છે. ગત ઓગસ્ટ 2016થી ઓક્ટોબર 2018 દરમિયાન પોતાની માલિકીના બોજા વગરના ધંધાકીય વાહન યુઝ કોમર્શીયલ વ્હીકલ લોન મેળવવા માટે 20 લોકોએ અરજી કરી હતી. ત્યારબાદ તે 20 લોકોએ બેંક દ્વારા લોનની તમામ પ્રક્રિયા પુરી કર્યા બાદ ઓકથી વધુ વાર મળી અશોક લેલન અને ટાટા કંપનીના 53 વ્હીકલની લોન ઉપર કુલ રૂપિયા 8.64 કરોડની લોન મંજુર કરાવી હતી. જે લોનમાં 52 લોન યુઝ કોમર્શીયલ વ્હીકલ અને1 ન્યુ કોમર્શીયલ વ્હીકલ લોન મંજુર કરવામાં આવી હતી.
ભેજાબાજોએ ફ્રેબુઆરી 2018 સુધી હપ્તાની નિયમિત ભરપાઈ કર્યા બાદ હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. દરમિયાન બેંકની વિજિલન્સની તપાસ અને ઓડિટમાં લોનધારકોએ લોન મેળવવા રજુ કરેલા દસ્તાવેજા વાહનો ન હોવા છતાં ખોટા ઉભા કરી ખોટા દસ્તાવેજને લોન મેળવવા માટે ખરા તરીકે બેંકમાં રજુ કરી લોન લીધી હોવાનું ઘટસ્ફોટ થયો હતો. જેમાં વાહનોનું વેલ્યુએશન ઈર્શાદ પઠાણ વાલક પાટીયા સ્ટાર ઓટોગેરેજ ઉપર કરવામાં આવ્યું હતું અને ગાડીઓ અલગ અલગ વર્ષની બનાવટ હોવા છતાંયે ગાડીઓની વેલ્યુ ઓક સરખી બતાવી હતી. તેમજ ઈફ્કો ટોકીયો વીમા કંપનીની 33 પોલિસીમાં 5 ગાડી પોલિસી જ હોવાનું તેમજ ન્યુ ઈન્ડિયા વીમા કંપની 20 પોલિસીમાં પૈકી એક પણ પોલિસીમાં તેમની ન હોવાનું બહાર આવ્યું હતું.
અશોક લેલન અને ટાટા કંપની પાસેથી ખાત્રી કરાવતા લેલન કંપનીની 48માંથી 2 ગાડીઓ તેમના દ્વારા મેન્યુફેક્ચર થઈ છે. ટાટા કંપની 5 ગાડીમાંથી એક પણ ગાડી મેન્યુફેક્ચર થઈ નથી. આરોપીઓએ અશોક લેલન અને ટાટા કંપનીમાંથી મેન્યુફેક્ચર જ કરવામાં આવેલ નથી તેવા વાહનોને હયાત બતાવાયા હતા. હયાતી વગરના વાહનોના બોગસ અને બનાવટી દસ્તાવેજા તેમજ ખોટી વીમા પોલિસીઓ બનાવી જે દસ્તાવેજા બેંકમાં રજુ કરી જુદી જુદી 53 જેટલી લોનો ઉપર કુલ રૂપિયા 8.64 કરોડની લોન મેળવી હતી. લોન અવેજ પૈકી રૂપિયા 5.25 કરોડ બેંકમાં ભરપાઈ નહી કરી વિશ્વાસધાત અને છેતરપિંડી કરી હતી.જેથી બેંકના મેનેજર સુમિત ભોસલેએ ક્રાઈમ બ્રાન્ચમાં 20 ભેજાબાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ક્યાં ભેજાબાજ વિરુદ્ધ ગુનો નોંધાયો
કપિલ પરષોત્તમ કોઠીયા (રહે, સોના એપાર્ટમેન્ટ મોટા વરાછા)
ઈર્શાદ કાળુ પઠાણ (રહે, રહેમત નગર વાલક કામરેજ)
સલમા ઈર્શાદ પઠાણ (રહે, રહેમત નગર વાલક)
રાજેશ એમ.સોજીત્રા (રહે, અવધ રેસીડેન્સી શ્યામધામ સર્કલ)
આશીષ. બી.કાકડીયા (રહે,ઋષિકેશ એપાર્ટમેન્ટ વ્રજચોક)
અખિલ વિનુ ધિનૈયા (રહે, ગાર્ડન વેલી એપાર્ટમેન્ટ મોટા વરાછા)
વિજય એમ.ધોડિયા (રહે, વેરોના રેસીડેન્સી સરથાણા જકાતનાકા)
જીવન લાલ રાજગોર (રહે, પશુપતિનાથ નગર દાહોદ)
શૈલેષ જાદવાણી (રહે, સ્નેહમિલન સોસાયટી વરાછા)
બુધા બાલા મેધા (રહે,જયરણછોડ નગર સરથાણા)
ઈમરાન કાળુ પઠાણ (રહે,રહેમતનગર વાલક)
ભાવેશ કાળુ ગજેરા(રહે, કાવેરી હેબિટેડ સરથાણા)
અશ્વિન એમ.કટારીયા (રહે, શિવપાર્ક સોસાયટી ગોડાદરા)
જગદીશ ગોંડલીયા (રહે, વ્રજચોક સરથાણા જકાતનાકા)
સંજય સટોડીયા (રહે, શાલીગ્રામ સ્ટેપ્સ ઉત્રાણ)
મુકેશ ધીરુ સોજીત્રા (રહે,સીમાડાગામ)
જીગ્નેશ ભીમજી વિરાણી (રહે, શાશ્વત વિલા કામરેજ)
ઘનશ્યામ ચલોડીયા (રહે, સાગર સોસાયટી કાપોદ્રા)
હરેશ લાલજી ધોળકીયા (રહે, અમરેલી)
જીતેન્દ્ર વાધાણી (રહે, શિવમ રો હાઉસ મોટા વરાછા)
ફ્રેબુઆરી 2018 સુધી હપ્તાની નિયમિત ભરપાઈ કર્યા બાદ હપ્તા ભરવાનું બંધ કરી દીધું
5.25 કરોડ રૂપિયા બેંકમાં ભરપાઈ ન કરી વિશ્વાસધાત અને છેતરપિંડી કરી
ભેજાબાજ ટોળકીએ જુદા જુદા 53 વ્હીકલની લોન ઉપર 8.64 કરોડની લોન લઈ 5.25 કરોડની ભરપાઈ કરી નહી
WatchGujarat સુરતના સહારા દરવાજા ખાતે આવેલી યસ બેંક સાથે વાહન લોનના નામે કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. 20 જણાની ઠગબાજ ટોળકીએ અશોક લેલન અને ટાટા કંપની દ્વારા મેન્યુફેક્ચર કરવામાં ન આવેલા વાહનોને હયાત બતાવી તેના બોગસ દસ્તાવેજા અને વીમા પોલિસી બનાવી જુદી જુદી 53 લોન મંજુર કરાવી કુલ રૂપિયા 8.64 કરોડ ખંખેરી લીધા હતા. શરુઆતમાં નિયમિત હપ્તાની ભરપાઈ કર્યા બાદ બાકીના હપ્તા પેટેના રૂપિયા 5.25 કરોડ નહી ભરપાઈ કરી છેતરપિંડી કરી હતી. બનાવ અંગે બેંક મેનેજરે ફરીયાદ કરવામાં આવતા ક્રાઈમ બ્રાન્ચે ટોળકી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરાના વાધોડિયા રોડ પર રહેતા સુમિતભાઈ રમેશચંદ્ર ભોસલે સહારા દરવાજા ખાતે ટ્વીન ટાવરમાં આવેલ યસ બેંકમાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી RCU મેનેજર (રીસ્ક કન્ટેન્મેન્ટ યુનિટ મેનેજર) તરીકે નોકરી કરે છે. ગત ઓગસ્ટ 2016થી ઓક્ટોબર 2018 દરમિયાન પોતાની માલિકીના બોજા વગરના ધંધાકીય વાહન યુઝ કોમર્શીયલ વ્હીકલ લોન મેળવવા માટે 20 લોકોએ અરજી કરી હતી. ત્યારબાદ તે 20 લોકોએ બેંક દ્વારા લોનની તમામ પ્રક્રિયા પુરી કર્યા બાદ ઓકથી વધુ વાર મળી અશોક લેલન અને ટાટા કંપનીના 53 વ્હીકલની લોન ઉપર કુલ રૂપિયા 8.64 કરોડની લોન મંજુર કરાવી હતી. જે લોનમાં 52 લોન યુઝ કોમર્શીયલ વ્હીકલ અને1 ન્યુ કોમર્શીયલ વ્હીકલ લોન મંજુર કરવામાં આવી હતી.
ભેજાબાજોએ ફ્રેબુઆરી 2018 સુધી હપ્તાની નિયમિત ભરપાઈ કર્યા બાદ હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. દરમિયાન બેંકની વિજિલન્સની તપાસ અને ઓડિટમાં લોનધારકોએ લોન મેળવવા રજુ કરેલા દસ્તાવેજા વાહનો ન હોવા છતાં ખોટા ઉભા કરી ખોટા દસ્તાવેજને લોન મેળવવા માટે ખરા તરીકે બેંકમાં રજુ કરી લોન લીધી હોવાનું ઘટસ્ફોટ થયો હતો. જેમાં વાહનોનું વેલ્યુએશન ઈર્શાદ પઠાણ વાલક પાટીયા સ્ટાર ઓટોગેરેજ ઉપર કરવામાં આવ્યું હતું અને ગાડીઓ અલગ અલગ વર્ષની બનાવટ હોવા છતાંયે ગાડીઓની વેલ્યુ ઓક સરખી બતાવી હતી. તેમજ ઈફ્કો ટોકીયો વીમા કંપનીની 33 પોલિસીમાં 5 ગાડી પોલિસી જ હોવાનું તેમજ ન્યુ ઈન્ડિયા વીમા કંપની 20 પોલિસીમાં પૈકી એક પણ પોલિસીમાં તેમની ન હોવાનું બહાર આવ્યું હતું.
અશોક લેલન અને ટાટા કંપની પાસેથી ખાત્રી કરાવતા લેલન કંપનીની 48માંથી 2 ગાડીઓ તેમના દ્વારા મેન્યુફેક્ચર થઈ છે. ટાટા કંપની 5 ગાડીમાંથી એક પણ ગાડી મેન્યુફેક્ચર થઈ નથી. આરોપીઓએ અશોક લેલન અને ટાટા કંપનીમાંથી મેન્યુફેક્ચર જ કરવામાં આવેલ નથી તેવા વાહનોને હયાત બતાવાયા હતા. હયાતી વગરના વાહનોના બોગસ અને બનાવટી દસ્તાવેજા તેમજ ખોટી વીમા પોલિસીઓ બનાવી જે દસ્તાવેજા બેંકમાં રજુ કરી જુદી જુદી 53 જેટલી લોનો ઉપર કુલ રૂપિયા 8.64 કરોડની લોન મેળવી હતી. લોન અવેજ પૈકી રૂપિયા 5.25 કરોડ બેંકમાં ભરપાઈ નહી કરી વિશ્વાસધાત અને છેતરપિંડી કરી હતી.જેથી બેંકના મેનેજર સુમિત ભોસલેએ ક્રાઈમ બ્રાન્ચમાં 20 ભેજાબાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ક્યાં ભેજાબાજ વિરુદ્ધ ગુનો નોંધાયો
કપિલ પરષોત્તમ કોઠીયા (રહે, સોના એપાર્ટમેન્ટ મોટા વરાછા)